________________
પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ
(ર૭૯ નવા ન મુ વંદે—એ ભગવાન વિતરાગ તીર્થંકરદેવની વાણીને તેઓએ બરાબર અંતરમાં ઉતારી હતી. અને તેથી તેઓશ્રીનું જીવન એક સાચા સંતપુરુષનું જીવન બની શકવ્યું હતું.
જીવનસંબંધી કેટલીક વિગતો હવે દાદાગુરુશ્રીના જન્મ, માતા-પિતા, દીક્ષા વગેરેની કેટલીક વિગતો જોઈએ :–
તેઓશ્રી વડોદરાના રહેવાસી હતા. વિ. સં. ૧૯૦૭માં તેઓનો જન્મ થયો હતો. તેઓની જ્ઞાતિ દશા શ્રીમાળી હતી. સંસારી અવસ્થામાં તેનું નામ છગનલાલ હતું. તેઓ પરિણીત હતા, પણ એમનું અંતર તો સંયમમાર્ગની જ ઝંખના કરતું હતું, એટલે ઘરમાં રહ્યા છતાં તેઓ જળકમળ જેવું અલિપ્ત જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા; અને સંસારી મટી લાગી ક્યારે બનાય, એની રાહમાં હતા. શાહ છોટાલાલ જગજીવનદાસ પણ વડોદરાના વતની હતા. અને એમનું મન પણ વૈરા
ગ્વાભિમુખ હતું. બે સમાનધમ જીવો વચ્ચે સહેજે ધર્મનેહ બંધાઈ ગયો. અને વૈરાગ્યભાવના ઉત્કટ બનતાં, વિ. સં. ૧૯૩૫ની સાલમાં, જ્યારે છગનલાલ અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયમાં હતા ત્યારે, બને મિત્રો, પરમપૂજ્યપાદ, શાસનરક્ષક, પંજાબદેશદ્ધારક, ન્યાયાંનિધિ, અજ્ઞાનતિમિરતરણિ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી) મહારાજશ્રીન ચરણોમાં જઈ પહોંચ્યા. પૂજ્ય આત્મારામજી મહારાજ મહાપ્રતાપી અને જ્ઞાન અને ચારિત્રની સાક્ષાભૂર્તિ હતા. એમનું તેજ, બલ અને પરાક્રમ સૂર્ય જેવું અપૂર્વ હતું; અને પંજાબમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનધર્મના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરીને તેઓ જૈનધર્મના મહાપ્રભાવક જ્યોતિર્ધર બન્યા હતા. આવા ધર્મની જાજવલ્યમાન મૂર્તિ સમા મહાપુરુષના વરદ હસ્તે, વિ. સં. ૧૯૩૫ના ભાવ વદિ ૧૧ના રોજ, બંને મિત્રોએ પ્રત્રજ્યા અંગીકાર કરી. છગનલાલનું નામ મુનિ કાંતિવિજયજી અને છોટાલાલનું નામ મુનિ હું સવિજયજી રાખવામાં આવ્યું. મુનિ કાંતિવિજ્યજીની દીક્ષા પૂજ્ય મુનિરાજ શ્રી લક્ષ્મીવિજયજી મહારાજશ્રીના શિષ્ય તરીકે થઈ હતી, પરંતુ પાંચ વર્ષ બાદ એમની વડી દીક્ષા થઈ તે વખતે પૂજ્યવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, એટલે તેઓને પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. સાધુજીવનના આચારનું તેઓ ખૂબ સજાગપણે પાલન કરતા હતા, અને એમાં ખામી ન આવે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા, છતાં શ્રમણુધર્મની જવાબદારીને તેઓ એટલી મોટી સમજતા હતા કે મુનિપદનું પાલન બરાબર થઈ શકે તો તેથી જ તેઓ પૂર્ણ સંતુષ્ટ હતા. એટલે તેઓશ્રીએ ક્યારેક કોઈ પદવીની ચાહના કરી ન હતી, એટલું જ નહીં, એનાથી હમેશાં દૂર જ રહેતા હતા. છેવટે ૫૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં, પાટણના શ્રીસંધના અને સમુદાયના આગ્રહને કારણે, તેઓએ પ્રવર્તક પદવીને સ્વીકાર કર્યો હતો. આ પદવી પછી ૪૧ વર્ષ સુધી સાવ નિર્મા, ભાવે, કેવળ ધર્મ કર્તવ્યની બુદ્ધિથી અને કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, વિવિધ રીતે શાસન, શ્રીસંધ અને સમાજની સેવા કરીને, ત્રેસઠ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરીને, ૯ વર્ષની પરિપકવ વયે, વિ. સં. ૧૯૯૮ના અષાડ સુદિ ૧૦ને દિવસે, પાટણમાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા. આ પહેલાં બે વર્ષ અગાઉ મારા પરમ ઉપકારી ગુરુશ્રી સ્વર્ગવાસી બન્યા હતા. ઉપરાઉપરી વડીલોનું શિરછત્ર દૂર થઈ જવાથી હું એક પ્રકારની નિરાધારતા અનુભવી રહ્યો. પણ છેવટે સંગોની વિયોગાન્તતાને વિચારીને અને મુખ્યત્વે પૂજ્ય દાદા
છે જોગાનુજોગ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાના વતની હતા, અને એમનું નામ પણ છગનલાલ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org