SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ વિભાગમાં વહેંચીને એમાં ધર્મકથાનુયોગને પણ સમાવેશ કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ સમજી શકાય છે કે ધર્મની પ્રભાવનામાં અને આત્મસાધનામાં ધર્મકથાનું કેટલું મહત્ત્વ છે. જ્ઞાનયોગ, ધ્યાગ, કર્મયોગ અને ભક્તિગ, એ ચાર પ્રકારના યોગોમાંના ભક્તિયોગની જેમ, સામાન્ય બુદ્ધિના, એ છા ભણેલા, ભલા-ળા બાળ-જીવોને ગમ્મત સાથે જ્ઞાન આપીને એમને સરળતા અને સુગમતાપૂર્વક નીતિ, સદાચાર અને ધર્મની સમજૂતી આપવામાં ધર્મકથાનુયોગની ઉપયોગિતા અને ઉપકારકતા ઘણું વ્યાપક છે. મારા દાદાગુરુની જીવનકથા એ ધર્મબોધક એક પાવનકારી ધર્મકથા છે અહિંસા-સમભાવ-અનેકાંતવાદમૂલક વાત્સલ્યસભર સાધુતા જૈનધર્મો પ્રરૂપેલ આત્મસાધનાના રાજમાર્ગનો અને પૂજ્ય પ્રવર્તકજી મહારાજની અખંડ જીવનસાધનાનો વિચાર કરીએ છીએ તો એમ જ લાગે છે કે તેઓશ્રીમાં એ બને એકરૂપ બની ગયાં હતાં; અને તેથી તેઓનું જીવન જૈનધર્મ અને સંસ્કૃતિના એક સાચા પ્રતિનિધિ કહી શકાય એવા ધર્મપ્રભાવક પુરુષનું કે સ્વ-પર ઉભયનું કલ્યાણ સાધનાર મહર્ષિ સાધુ–સંતપુરુષનું આદર્શ જીવન હતું. જૈન તીર્થકરે અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે. અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ હવામાનં સામvi–શ્રમણજીવનનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે–એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તો સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મેટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સ્વાદાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના–પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહે કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. અને આત્મસાધનાની યાત્રામાં આગળ વધતાં વધતાં છેવટે એ ત્રણે એકરૂપ બની જાય છે; આનું જ નામ મોક્ષ એટલે કે ભવસાગરના છેડા. (ખરી રીતે એ ત્રણે એકબીજામાં એવાં તો એ તપ્રોત છે કે જે એ ત્રણમાંના ગમે તે એકની યથાર્થ અને જીવનસ્પશી સાધના કરવામાં આવે તો બાકીનાની સાધના પણ આપોઆપ થતી રહે; અને જે એકની પણ ઉપેક્ષા કરવામાં આવે તો બીજાની સાધનામાં ક્ષતિ આવ્યા વગર ન રહે.) અહિંસા, સમતા અને અનેકાંતદષ્ટિ : આત્મસાધનાના સાધનરૂપ તેમ જ સાગરૂપ આ ગુણસંપત્તિની અપ્રમત્ત આરાધનાની દૃષ્ટિએ જ્યારે મારા દાદાગુરુશ્રીની સંયમસાધનાનો વિચાર કરવામાં આવે છે, ત્યારે એમ જ લાગે છે કે એ ત્રણેનો પવિત્ર ત્રિવેણીસંગમ એમના જીવનમાં સાવ સહજપણે સધાયે હતો; અને તેઓએ શ્રમણજીવનનો એક શ્રેષ્ઠ આદર્શ પિતાની સદા અપ્રમત્ત ધર્મ સાધના દ્વારા જીવી બતાવ્યો હતો, એ મેં પ્રત્યક્ષ જોયું છે. એમની આવી સિદ્ધિ આગળ મસ્તક નમી જાય છે. અહિંસા તે શ્રમણ-જીવનનું મહાવત જ છે; અને પૂરી જાગૃતિ રાખવામાં આવે તો જ એનું પાલન થઈ શકે છે. એકેન્દ્રિય અને કીડી-કુંથુઆ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોથી લઈને તે કુંજર સુધીના કોઈ પણ જીવને જરા પણ કિલામણ ન થાય, અને માનવીની તો લાગણી પણ ન દુભાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy