SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ મારા પરમ ઉપકારી પૂજ્યપાદ દાદાગુરુશ્રીનું જ્યારે પણ પુણ્ય સ્મરણ કરું છું ત્યારે, સાચા ગુરુના જ્ઞાન અને ચારિત્રના પ્રભાવનું વર્ણન કરતી રોજૂ મન ચાહ્યાવં શિષ્યઃ સદનસંસારા: એ કાવ્યપંક્તિ અંતરમાં ગુંજી ઊઠે છે, અને એની યથાર્થતા સમજાઈ જાય છે. સાચા ગુરુનું તો જીવન અને આચરણ જ શિષ્યની શંકાઓનું નિવારણ કરી દે છે. મેં મારા દાદાગુરુશ્રીમાં એક આદર્શ ધર્મગુરુ, વિદ્યાગુરુ અને દીક્ષાગુરુ તરીકે આ મહિમા પ્રત્યક્ષ અનુભવ્યો છે. એમની હાજરી માત્રથી -કેવળ એમનાં દર્શનથી જ-કંઈક શાસ્ત્રીય બાબતોના સંશાનું નિરાકરણ થઈ જતું, એટલું જ નહીં, જીવનસાધના અને ચારિત્રની આરાધનાને લગતી અનેક શંકા-કુશંકાઓનું પણ જાણે આપમેળે જ શમન થઈ જતું. આવા જીવનસિદ્ધ પ્રભાવક મહાપુરુષ હતા મારા પરમ પૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, આજે આ ઉંમરે અને છ દાયકા જેટલા દીક્ષા-પર્યાય પછી પણ લાગે છે કે આવા વાત્સલ્યમૂર્તિને શિરછત્ર તરીકે મેળવવામાં હું કેટલો બધે ભાગ્યશાળી હતો ! એમનું સ્મરણ અંતરને ગદ્ગદ બનાવી મૂકે છે, અને જાણે આજે પણ હું એમની આગળ બાળમુનિ હોઉં એવું સંવેદન ચિત્તમાં જગાડે છે. સાચે જ, તેઓશ્રીના મહાન ઉપકારની કઈ સીમા જ નથી. કુટુંબના સંસ્કારને લીધે અને ખાસ કરીને મારાં પ્રાતઃસ્મરણીય માતુશ્રીની હિતચિંતા અને પ્રેરણાને લીધે મારામાં જે કંઈ અલ્પ-સ્વલ્પ ધર્મસંસ્કારે પડ્યા હતા, અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું જે કંઈ સામાન્ય બીજારોપણ થયું હતું, તેને જ્ઞાન પાસના અને સંયમઆરાધનારૂપે જે કંઈ વિકાસ થયો, તે મારા પરમપૂજ્ય દાદાગુરુદેવ અને મારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજની મારા પ્રત્યેની નિઃસીમ ધર્મકૃપાને પ્રતાપે જ. શીલ અને પ્રજ્ઞાથી સમૃદ્ધ એમના સ્ફટિક સમા નિર્મળ જીવનનું સ્મરણ અને આલેખન એક ધર્મમાર્ગદર્શક અને આત્મભાવપ્રેરક ધર્મકથા જ બની રહે છે. આપણું આસન્મોપકારી, ચરમ તીર્થકર, ભગવાન શ્રી મહતિ-મહાવીરવર્ધમાનવામીના શાસનમાં સમગ્ર જૈન આગમને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગ, એમ ચાર * આ ગ્રંથના સંપાદકોની વિનતિથી પૂજ્ય મહારાજશ્રીએ આ “જ્ઞાનાંજલિ” ગ્રંથ માટે લખી આપેલ લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy