SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાવણન-૩ [[ ૨૫ તેમની પાસેથી ઘાસ, લાકડાં આદિને સ્ટેટ તરફથી કર લેવામાં આવતો નથી. જ્યાં બીજી વસતી હોય ત્યાં કર લેવામાં આવે છે. એમનો ખોરાક મુખ્યત્વે બાજરી, મકાઈ અને ખડધાનનો છે. અને શિકાર કરી માંસાહાર પણ એ લોકો કરે છે. આ પ્રજા એટલી વ્યસની છે કે તેમના પૈસા બધા દારૂમાં જ ઊડી જાય છે. એમનાં ગામો ત્રણ-ચાર માઈલના વિસ્તારમાં વસેલાં હોય છે. એ પ્રજા દારૂ પીનાર અને ઝનૂની હાઈ આપસઆપસમાં લડી ન પડાય એ ઉદ્દેશથી જુદી જુદી ટેકરીઓ ઉપર દૂર દૂર એક એક બબ્બે ઘર, ઝૂંપડાં વગેરે બાંધી વસે છે. એમના લગ્નની વિધિ બ્રાહ્મણગોર કરાવે છે. અને એ ગોરને તેઓ જ્યારે ખેતી પાકે ત્યારે લાગાઓ આપે છે. કોઈ કારણસર એમને એકઠાં થવાની આવશ્યકતા પડે ત્યારે ત્યારે તેમને નાયક ઠેલ વગડાવે અને એ દ્વારા સૌને એટલી ત્વરાથી ભેગા કરે કે એક સાધનસંપન્ન રાજા પણ એટલી ત્વરાથી એ કામ ન કરી શકે. ઢેલના શબ્દ ઉપરથી જે જાતનું કામ હોય તેને એ લોકો પારખી લે છે. ઉદયપુર અને ડુંગરપુર રાજ્યમાં એકથી બીજે ગામ જતાં ઠરાવેલ ચકી આપવી પડે છે. મેળા ઉપર કેસરિયાજીની યાત્રાએ આવનાર માટે ચોકીને દર અધે છે. સાધુ, બ્રાહ્મણ, રાજપૂત, મુસલમાન પાસેથી ચોકી ક્યાંય લેવાતી નથી; તેમ સરકારી અમલદારો અને સરકાર જેમની ચોરી માક કરે તેમની પણ ચોકી નથી લેવાતી. ચેક લેનાર ભલે કલાવાર વારે આવે ત્યારે વારાફરતી ચોકી લેવા આવે છે-બેસે છે. ભીલ પ્રજા ભરવ, જોગણ, કાલિકા, ચંડી આદિ ઘણુય દેવદેવીને માને છે, તેમ છતાં એ લોકો કેસરિયાનાથજીને સૌથી વધારે માને-પૂજે છે. જ્યારે ત્યારે ડગલે ને પગલે કેસરિયાનાથજીની જ બાધા આખડી રાખે છે. દર પૂનમે એમનાં ટોળાં કેસરિયાળ આવે છે. પણ ફાગણ વદિ આઠમના મેળા ઉપર તે એમનાં ઝુંડનાં ઝુંડ આવે છે. આ દિવસે ચારે તરફ નજર નાખીએ ત્યાં રસ્તાઓ ભલભીલડીથી જ ઊભરાતા હોય છે. આ મેળાને દિવસે રસ્તાની ચોમેર માઈલ સુધી ટેકરીઓ ઉપર ભીલ ચેક કરતા આઠે પહોર ઊભા રહે છે. કેસરિયાછ આવનાર ભીલ-ભીલડીઓ ગીતો ગાતાં ગાતાં આવે છે, અને મેળાને દિવસે તો એમનાં ઝૂંડનાં ઝૂડે ગીત ગાવામાં વ્યસ્ત રહે છે. એ ગીતોમાં મુખ્યત્વે બાધા-આખડી રાખનારને શે લાભ થયો એ જ વર્ણન હોય છે. નમૂના દાખલ એક ગીત આપને લખી મોકલાવું છું : અમદાવાદ મોડા તીરથ૦ જાઈ રે જઈ કુંવર માંદો થાય તીરથ, ઘણે અકેલે થાંઈ તીરથ થારી જેલમાં લઈ રે તીરથ કુંવરીઓ વંચેક તીરથ૦ કુંવર હજી વલિઓ તીરથ યારી સંધ ચાલે તીરથ૦ સોનાવાલે મેરીઓ' તીરથ૦, રૂપાવાળી ચકલી તીરથ૦. રૂપાવાળા કુકડા તીરથ, સોનાવાળી માછલી તીરથ૦. મગરા માંહે ધુલેવ હૈ તીરથ, પારી સંધ ચલાવો તીરથ૦. હાથ માંહે જલરો લેટીઓ તીરથ, હાથ મુંડા દેવો તીરથ૦. ઉગતો સૂરજ બાંદી લેવો તીરથ, લીલી પીળી ગાડી તીરથ૦. કુંવર રમતા થાયે તીરથ, સઘળો સંગ ચાલવા લાગે તીરથ૦. નોરલ જેડ મે તીરથ, અમદાવાદ ક્રૂ મેડા તીરથ૦. રસ્તે લાગે તીરથ, દનડા બૂડી જાય તીરથ૦. ૧ માં. ૨ પગે ચાલીને યાત્રા કરવાની બેલમા એટલે માનતા. ૩ વંચે-બચે, જીવતો રહે. ૪ હજાગવલિઓ-વધારે માંદો પડયો. ૫ મેર. ૬ નાનાં ડુંગરા. ૭ દિવસ. ૮ આથમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy