________________
સ્તુતિ-સ્તોત્રાદિ-સાહિત્યમાં ક્રમિક પરિવર્તન
પરિવર્તનશીલ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકેદરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નવો અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણું સ્તુતિ-સ્તોત્રાદિવિષયક સાહિત્ય પણ વંચિત નથી રહી શક્યું, અર્થાત જગતની અનન્ય વિભૂતિનું પોતામાં દર્શન કરનાર અને તે જ વસ્તુનો બીજાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય ઉપર્યુક્ત શાશ્વત નિયમથી અસ્કૃષ્ટ નથી રહી શકવું, એ આપણે આપણુ સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-સ્તોત્રાદિ-વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ.
એક સમય એવો હતો કે જ્યારે, અત્યારે આપણી નજર સામે દે પાસનાને લગતું જે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-રતવનાદિ-વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું; તેમ છતાં એકબીજા દર્શન, એકબીજા સંપ્રદાય અને એક બીજી પ્રજા સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યોએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પિતાની નજર દોડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગે. સ્તુતિ-સ્તવાદિ સાહિત્યનું સર્જન અને તેમાં કેમિક પરિવર્તન
આજે આપણે સમક્ષ વિદ્યમાન સંગીતાલાપથી ભરપૂર સ્તુતિ-સ્તોત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઈ આપણને જરૂર એ આશંકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્ય નહિ હોય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર-કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના કઈ રીતે કરતી હશે ? પરંતુ તે યુગની જનતાના જીવન અને માનસનો વિચાર કરતાં એનો ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ-ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાંક-વિતામાં કે છવામાં–વાણમાં ઉતારવારૂપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરુષોના ચરિતને અને તેમના પવિત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહોતી જણાતી. એ જ કારણ હતું કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રાધ્યયન, વીરસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિઓ બસ થતી હતી, જેમાં તીર્થકરેદેવના જીવંત અને ભારોભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ સ્તુતિઓ જીવનના તલને સ્પર્શનાર તેમ જ ભાવવાહી હોઈ એ દ્વારા એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org