SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદને આંગણે ૫ (૪) શા. છોટાલાલ લલુભાઈ ઝવેરી. તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા. તત્ત્વજ્ઞાનના તેઓ ભારે રસિયા અને બહુશ્રુત શ્રાવક હતા. જ્યારે તેઓ વ્યાખ્યાન સાંભળવા આવે, ત્યારે દૂરથી પૂ. મહારાજશ્રીને ગંભીર અવાજ સાંભળીને તેઓ બેલી ઉઠતા કે શું ઉપાશ્રયમાં દેવતાઈ વાજા વાગે છે ?” (૫) ઝવેરી મેહનલાલ ગોકળદાસ. તેઓ પણ વિદ્યાશાળાના ટ્રસ્ટી હતા. અને કસુંબાવા ડમાં રહેતા હતા. પ્રતિષ્ઠાદિ વિધિવિધાન કરાવવામાં તેઓ તથા શ્રી છોટાભાઈ ઝવેરી કુશળ હતા. આ ઉપરાંત-નગરશેઠ મણીભાઈ પ્રેમાભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈ શેઠ મનસુખભાઈ ભગુભાઈ શેઠ હઠીસિંહ કેસરીસિંહનું આખું કુટુંબ,-શેઠ સારાભાઈ શેઠ જેસીંગભાઈ વગેરે, તથા શા. ભગુભાઈ વીરચંદ, (હાજા પટેલની પળવાળા), ઝવેરી છોટાલાલ ચાંપશી, શા. જેસીંગભાઈ માણેકચંદ (હાજા પટેલની પોળવાળા) વગેરે ભાવિક અને વિદ્વાન–આગેવાન શ્રેષ્ટિ શ્રાવક પૂજ્યશ્રીની વ્યાખ્યાન-સભાના મુખ્ય શ્રેતાઓ હતા. શેઠ શ્રી મનસુખભાઈ હંમેશાં પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા અને અત્યંત ગંભીર વિષયોને પણ અત્યંત સરળતાથી શ્રોતાઓના હૃદયમાં જચાવવાની પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ જોઈને તેમના હૈયામાં પૂજ્યશ્રી તરફ બહુમાન જાગ્રત થતું. એકવાર તેમની શારીરિક સ્થિતિ કાંઈક નરમ હતી. વ્યાખ્યાનમાં આવી શકાય તેમ ન હતું. પણ માંગલિક સાંભળવાની અભિલાષાથી તેમણે શ્રી ડાહ્યાભાઈ દેવતાને પૂજ્યશ્રીને બેલાવી લાવવા માટે મેકલ્યા. બપોરે તાપ થઈ જાય, એટલે પૂજ્યશ્રી સવારના-ઠંડે પહોરે જ પધારી જાય તો સારું, એવા આશયથી ડાહ્યાભાઈએ સવારે જ બંગલે પધારવા વિનંતિ કરી. પણું વ્યાખ્યાનને સમય થઈ ગયું હતું એટલે પૂ. મહારાજશ્રીએ કહ્યું કે : “અત્યારે વ્યાખ્યાનો સમય થયે છે. માટે વ્યાખ્યાન પૂરું થયા પછી હું આવી જઈશ.” વ્યાખ્યાન પૂરું થયા પછી પૂજ્યશ્રી શેઠને બંગલે પધાર્યા. ધર્મોપદેશ સંભળાવીને ખૂબ આશ્વાસન આપ્યું. ત્યારપછી ઉપાશ્રયે આવીને પફખાણ પાયું. શ્રી મનસુખભાઈ શેઠના મનમાં આ પ્રસંગને ખૂબ પ્રભાવ પડ્યો. તેમને લાગ્યું કેમહારાજજી કેઈની ખોટી શેહમાં તણાઈ જાય તેમ નથી. અને લોકોને ધર્મ પમાડવાની અપૂર્વ ધગશવાળા છે. આથી તેમને પૂજ્યશ્રી ઉપર સવિશેષ ભક્તિભાવ જાગે. અને તે નિરંતર વધતું જ રહ્યો. આ વખતે અમદાવાદના નગરશેઠ શ્રી મણીભાઈ પ્રેમાભાઈ હતા. તેઓ સાધુઓ પ્રત્યે ભક્તિ-બહુમાન ધરાવતા. તેમણે ઉચ્ચ પ્રકારની પાશ્ચાત્ય કેળવણી લીધેલી હોવાથી, તેમજ શ્રી મણીભાઈ ન ભુભાઈ દ્વિવેદી વિગેરેના પરિચયને લીધે વેદાન્તના ગ્રન્થોનું ઊંડું અવલોકન કર્યું હોવાથી, મનને સંતોષ પમાડે એવું વ્યાખ્યાન તેમને ક્યાંય દેખાતું નહિ. તેમના મનમાં વ્યાખ્યાન માટે એ પૂર્વગ્રહ બંધાઈ ગયેલે કે વ્યાખ્યાનમાં તે કથા-વાર્તા જ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy