SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું છે, કાંઈ તત્ત્વજ્ઞાન ચર્ચાતું નથી. એવાં વ્યાખ્યાન સાંભળવાથી શું ફાયદો? તેમની તર્કપ્રધાન બુદ્ધિ આત્મા વગેરે પદાર્થોના અસ્તિત્વ વિષે સંદિગ્ધ હતી. તેમના પરમમિત્ર શ્રી ધળશાજી તેમના આ વિચારો સારી રીતે જાણતા હતા. તેમની ભાવના એવી કે–શ્રીસંઘના સમર્થ નાયક નગરશેઠ જે દઢ શ્રદ્ધાળુ બને તો શ્રીસંઘને મહાત્ લાભ થાય. અને આવી ઉત્તમ ભાવનાથી પ્રેરાયેલા તેઓ નગરશેઠને રૂચિકર અને સતેષપ્રદ વ્યાખ્યાનની તપાસ વારંવાર કરતા. આપણું પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને તેમને લાગ્યું કે–આ વ્યાખ્યાન-શૈલી નગરશેઠ માટે સચોટ અસરકારક નીવડશે. એટલે તેઓ પહોંચ્યા નગરશેઠ પાસે. શેઠની પાસે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી વિ.ની ભારેભાર પ્રશંસા કરતાં તેમણે કહ્યું: “શેઠ! આપ એકવાર વ્યાખ્યાનમાં પધારે, આપને ઘણો આનંદ આવશે.” ધોળશાજીની પરમાર્થ –વૃત્તિ માટે શેઠને ઘણું સન્માન હતું. તેથી તેઓ તેમની વાતને અનાદર કરી શકતા નહીં, એટલે તેઓ “આજે અમુક મહેમાન આવવાના છે, આજે અમુક કાર્યક્રમ છે એમ બહાના કાઢીને વ્યાખ્યાનની વાત ટાળવા લાગ્યા. પણ ધોળશાજી ગંભીર અને અડગ હતા. સતત ઉદ્યમથી દરેક કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, એમ મકકમપણે માનનારા હતા. તેમણે હંમેશાં પ્રેરણા કરવી ચાલુ રાખી. પરિણામે એક દિવસ નગરશેઠના મનમાં વિચાર આવ્યો કે-આ ધોળશાજી હંમેશાં મહારાજ સાહેબનું વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણું કરે છે, તો એક દિવસ સાંભળીએ તો ખરા. તેમણે ધોળશાજીને કહ્યું કે આવતી કાલે હું વ્યાખ્યાનમાં જરૂર આવીશ. ધોળશાજી તે રાજીના રેડ થઈ ગયા. તેમની ઉમદા ભાવના અને ઉદ્યમ આજે સફળ બન્યા. બીજે દિવસે સવારે વ્યાખ્યાન સમયે તેઓ શેઠના બંગલે પહોંચી ગયા, અને શેઠને લઈને ઉપાશ્રયે આવ્યા. વ્યાખ્યાન ચાલતું હતું. અનેક શ્રોતાજનો પૂજ્યશ્રીના વચન-પીયૂષને પિતાના હૃદયપાત્રમાં ઝીલી રહ્યા હતા. નગરશેઠ પણ બેઠા. પૂજ્યશ્રીની તક–પરિશુધ અને વૈરાગ્યરસઝરતી વાણી સાંભળીને તેમનું ચિત્ત પ્રસન્ન બન્યું. ઘણા સમયથી દઢ વીંટળાયેલા પૂર્વગ્રહના બંધને આજે આપમેળે છૂટી ગયા. તેઓ જેવું ઈચ્છતા હતા, તેવું જ – બલકે તેના કરતાંય ઉચ્ચ કેટિનું વ્યાખ્યાન આજે તેમને સાંભળવા મળ્યું. આથી તેઓ ખૂબ પ્રભાવિત બન્યા. ત્યારપછી બીજે દિવસે સવારે ધોળશાજી શેઠને બોલાવવા ગયા, તો શેઠ તો કયારનાય તૈયાર થઈને જ બેઠા હતા. તેમણે કહ્યું : “ચાલ ! હું તો તૈયાર જ છું.” Èળશાજી પણ તેમના આ અદૂભુત પરિવર્તનથી સાનંદાશ્ચર્ય પામ્યા. પછી તે પ્રતિદિન વ્યાખ્યાનમાં આવવું એ નગરશેઠને નિત્યનિયમ થઈ ગયો. ત્યાં સુધી કે–વ્યાખ્યાન બેસવાને હજી પા કલાકની વાર હોય, કેઈ આવ્યું ન હોય, ત્યારે નગરશેઠ હાજર થઈ જાય. અને વ્યાખ્યાનના આરંભથી માંડીને અંત સુધીનો અક્ષરેઅક્ષર સાંભળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy