SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું થાય એવે વ્યવસાય કરે, એ તેમને બિલકુલ રૂચતું નહિં. તેથી તેઓ ડાહ્યાભાઈથી જુદા રહેતા. સ્વયં ઝવેરાતને ધંધે કરતા. ઘણું સારા કોડપતિ શેઠીયાઓ સાથે તેમને અંગત પરિચય હતું. પણ તેમની પાસે તેઓ કદી પણ ઝવેરાત લઈ જતા નહિ, કારણ કે આર્થિક બાબત–પિતાના ધાર્મિક સંબંધમાં ધક્કો પહોંચાડનાર છે, એમ તેઓ સ્પષ્ટપણે માનતા. તેમની વ્યાખ્યાન શ્રવણ-રૂચિ અજબ હતી. પૂજ્યશ્રીની સભાના તેઓ વિદ્વાન-સમજુ શ્રેતા હતા. અમદાવાદના કેટયાધિપતિ શેઠીયાઓ તેમની મારફત લાખો રૂપિયાનું ગુપ્તદાન ગરીબોને અપાવતા. શેઠ હઠીસિંહ કેસરીસિંહ તરફથી તે ત્યાં સુધી હુકમ હતું કે-“પ્રથમ જેન–પછી બીજી હિન્દુ કે મે અને મુસલમાન આદિ અઢારે વર્ણમાં કઈ પણ દુઃખી માણસ ભૂખે ન રહે જોઈએ.” અને એ માટે તેઓ શ્રી ધળશાજી દ્વારા લાખ રૂપિયાની દાન-સરિતા વહેવડાવતા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ દર મહિને હજારો રૂપિયાનું દાન તેમની મારફત કરતા. ધૂળશાજી ખૂબ આબરૂદાર-પ્રતિષ્ઠિત માણસ હતા. શ્રી મનસુખભાઈ જેવા શ્રેષ્ઠિઓ પોતાના ભરોસે લાખો રૂપિયા દાન કરવા માટે આપે છે, તેથી તેમાં કેઈ સમયે કેઈ ને પણ શંકા ન ઉપજે, એટલા માટે તેઓ એક ખાનગી નેધપોથીમાં પાઈએ પાઈને ગણત્રીપૂર્વક હિસાબ સંકેતરૂપે લખી રાખતા. એક દિવસ તે સ્વાભાવિક રીતે જ શેઠ મનસુખભાઈને એ ધ બતાવવા ગયા. પણ શેઠે તે તેમને કહી દીધું કે “મારે એ યાદી સાંભળવી નથી, તેમ જાણવી પણ નથી. હું સાંભળું, ને કઈ પ્રસંગે કોઈની પણ સાથે વિરોધ થતાં આવેશને લીધે મારાથી આ કરેલાં ઉપકાર-સંબંધી કાંઈ કહેવાઈ જાય, તે કર્યા–કારવ્યા ઉપર પાણી ફરી વળે. અને તમારા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા હજી અમને અમારામાં ય નથી જણાતી.” ધોળશાજી તે આ સાંભળીને છકક થઈ ગયા. તેઓ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ-ખૂબ અનુમોદના-પ્રશંસા કરી રહ્યા. - તેઓ હંમેશાં શ્રાવક–ગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા. અને પ્રતિદિન બપોરે પૂ. શ્રી મૂળચંદજી મહારાજ પાસે સામાયિક કરવા જતા. આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં બેસીને છૂટે હાથે દાન આપતા, શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધળશાજીની ભાષા મીઠી તેમજ વૈરાગ્ય પોષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તેઓ વૈરાગ્ય વધે તેવું જ બેલતા. આગમ-વિષયના તેઓ સારા જાણકાર હોવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોને જવાબ આપવાનું કામ પૂ. શ્રી મૂળચંદજી મહારાજ તેમને ભળાવતા. તેઓ પણ સારી રીતે સામાને સંતેષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા. (૩) શ્રી ડાહ્યાભાઈ દેવતા. તેઓ ફતાસાની પિળમાં રહેતા, અને વિદ્યાશાળાના બેઠકીયા હતા. વિદ્યાશાળામાં તેઓ કાયમ રાસ-વાંચન કરતા. કંઠ મીઠે, અને અર્થ સમજાવવાની શક્તિ પણ સરસ. એટલે ઘણું શ્રોતાઓનું મન તેઓ આકષી શકતા. અતિ વ્યવસાયી જીવનમાં ધર્મભાવના ઓછી ન થઈ જાય એટલા માટે શેઠ શ્રી મનસુખભાઈ પણ તેમને પ્રતિદિન પોતાને ત્યાં બોલાવતા, અને બે કલાક રાસ સાંભળતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy