SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] અમદાવાદને આંગણે ચાતુર્માસ પૂર્ણ થયા બાઢ પૂજ્યશ્રીએ વઢવાણથી પાલિતાણા તરફ વિહાર કર્યો. માર્ગમાં લીંબડી ગામ આવ્યું. ત્યાં પૂજ્ય મુનિવરશ્રી આનન્દસાગરજી મ. મન્યા. તેઓ પજ્યશ્રીની સાથે રહ્યા. અને પૂજ્યશ્રી પાસે વ્યાકરણદિનો અભ્યાસ કરવા લાગ્યા. પૂજ્યશ્રી પણ તેમને પ્રેમપૂર્વક સરસ રીતે ભણાવતા. લીંબડીથી વિહાર કરી પાલિતાણે પધાર્યા. અહીં તાર્કિકશિરોમણિ પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) બિરાજતા હતા, તેમની સાથે ઉતર્યા. આ એ સમયની વાત છે કે, જ્યારે પાલિતાણાના ઠાકોર સાથે વેતામ્બર જૈન કેમને શ્રી શત્રુંજય તીર્થ બાબત ઘર્ષણ ચાલતું હતું. પૂજયશ્રી દાનવિજયજી મ. નીડર-સ્પષ્ણવતા હતા. તેઓ જૈન સંઘને લડી લેવાની પ્રેરણા આપવાની સાથે જરા પણ મચક ન આપવાનું કહેતા હતા. આ વાતની ઠાકોર સાહેબને ખબર પડવાથી તેમના ઉપર ઠાકોરસાહેબની કરડી નજર થઈ-ખફા મરજી થઈ. તેમણે પૂ. મુનિશ્રી ઉપર ચાંપતી દેખરેખ રાખવા માંડી. આ કારણથી ત્યાં હવે વધારે રહેવું એ ઉચિત નહતું. તેમ જાહેર રીતે વિડાર કરવામાં પણ દહેશત હતી. એટલે શું કરવું તેની વિચારણા થઈ. ઓત્પાતિકી બુદ્ધિના સ્વામી આપણું પૂજ્યશ્રીએ એક સરસ ઉપાય શોધી કાઢયે. અને એ ઉપાય અનુસાર-સવારે ચંડિલ શુદ્ધિએ જતા હોય, તેમ પૂજ્યશ્રી દાનવિજયજી મ. આદિ સાધુઓ નીકળી ગયા. અને વિહાર કરીને જેસર પધારી ગયા. જેસર પહોંચીને ત્યાં સ્થિરતા કરી. હવે પછીનું પાલિતાણાનું વાતાવરણ જોવા તથા તેને ચોખ્ખું કરવા માટે પૂજ્યશ્રી પાલિતાણા રેકાયા. અને થોડા જ દિવસમાં ત્યાંના વાતાવરણની કલુષતા કુનેહથી દૂર કરીને તેઓશ્રી ગારિયાધાર પધાર્યા. ગારિયાધારમાં-છડુંને પારણે છઠ્ઠું કરતા મહાતપસ્વી પૂ. મુનિશ્રી ખાન્તિવિજયજી દાદા તથા પૂ. મુનિશ્રી મતીવિજ્યજી મહારાજ બિરાજતા હતા. તેમની પાસે પૂજ્યશ્રી પધાર્યા. એમને જોઈને એ પૂજ્યવરોને પણ ખૂબ આનન્દ થયે. પૂ. શ્રી મેતિવિજયજી મહારાજ આપણું પૂજ્યશ્રી ઉપર ખૂબ વાત્સલ્ય રાખતા. અહીં થોડા દિવસ રહીને પૂજ્યશ્રી જેસર પધાર્યા. ત્યાં પૂ.શ્રી દાનવિજયજી મહારાજને મેળાપ થયે. જેસરથી સૌ મુનિવરો સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિચરતાંવિતરાગની વાણીનો પ્રકાશ ઠેર ઠેર પ્રસરાવતા તેઓ અમદાવાદ પધાર્યા. અહીં તેઓ સર્વ પાંજરાપોળ જૈન ઉપાશ્રયમાં બિરાજ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy