SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું રકમ આપવાનું નકકી કર્યું. અને આમ નહિ ધારેલી રીતે પસાની વ્યવસ્થા થઈ જવાથી શ્રીસિદ્ધાચલજીની શીતલ છાયામાં એક સંસ્કૃત પાઠશાલા સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિ. સં. ૧૯૪૮નું ચોમાસું પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પાલીતાણું કર્યું. આ ચોમાસામાં ભાદરવા સુદ ૬ ના મંગળ દિવસે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવી. એનું નામ “શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા” રાખ્યું. એમાં પૂજ્ય શ્રીદાનવિજયજી મહારાજની અધ્યક્ષતામાં સાધુઓને વિવિધ-વિષયક અધ્યયન કરાવવાનું કાર્ય શરૂ થયું. શાસ્ત્રીજીને રોકવામાં આવ્યા. આપણું ચરિત્રનાયકશ્રીનું આ ચોમાસું ભાવનગરમાં પૂ. ગુરુદેવની સાથે જ હતું. તેઓ પણ અહીં શાસ્ત્રીજી પાસે વ્યાકરણ તથા ન્યાયના આગળના ગ્રન્થનું અધ્યયન કરી રહ્યા હતા. તેઓશ્રીની ભણવાની તમન્ના તથા ભણાવવાની શક્તિ પૂ. શ્રી દાનવિજયજી મહારાજે બરાબર પારખી લીધેલી. તેમને વિચાર આવ્યું કે-જે શ્રીનેમવિજ્યજી અહીં આવે તે પાઠશાળા વધારે વ્યવસ્થિત અને પ્રગતિશીલ બને. આ વિચાર આવતાં જ તેમણે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પત્ર તથા શ્રાવકે દ્વારા વિજ્ઞપ્તિ કરી કે “મુનિ શ્રી નેમવિજયજીને અહીં મોકલવા કૃપા કરો.” ગુરુદેવે પણ લાભાલાભનો વિચાર કરીને પિતાના વિનયી શિષ્યને પાલિતાણા જવા આજ્ઞા આપી. - પૂ. ગુરુદેવની તબીયત નરમગરમ રહેતી હોવાથી પાલિતાણું જવા માટે પૂજ્યશ્રીનું મન માનતું નહોતું. પણ “જુગાર ધામ” ગુરુ આજ્ઞાને જ પોતાનું સર્વસ્વ માનનારા તેઓશ્રી ગુરુદેવની આજ્ઞા થવાથી પાલિતાણા પધાર્યા. તેમના આવવાથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજને ઘણે આનન્દ થયો. હવે પાઠશાળાની પ્રવૃત્તિને સવિશેષ વેગ મળે. અહીં–ભાવનગરમાં વૈશાખ માસમાં પૂજ્ય ગુરુદેવની તબીયત એકાએક વધારે અસ્વસ્થ બનતી ગઈ“સેજાના વ્યાધિએ ખૂબ જોર પકડયું હતું. ગુરુદેવની સેવામાં સમગ્ર સંઘ ખડેપગે તૈયાર હતા. ઔષધોપચારમાં કોઈ કચાશ નહોતી રખાઈ. પંજાબના સુખદયાળ વૈદ્ય, વડોદરાના ચુનીલાલ વૈદ્ય અને ભાવનગરના દરબારી ડોકટર શિવનાથ–એ ત્રણેય ઔષધોપચાર કરવામાં અવિરત તત્પર બની ગયા. સાધુ-સાધ્વીઓ લગભગ ૫૦ થી વધારે સંખ્યામાં હાજર હતા. પૂ. શ્રીમોહનલાલજી મહારાજ પણ ત્યાં બિરાજતા હતા. તેઓશ્રી પૂ. ગુરુદેવને શાતા પૂછવા માટે ભાવનગર પધારેલા. આવી માંદગી હોવા છતાંય તેઓશ્રીની શાન્તિ-સમતા અજોડ હતી, અસાધારણ હતી. જાણે તેઓ ઉપશમ-રસમાં સ્નાન કરી રહ્યા હોય, એવું જેનારાઓને લાગતું. આત્મજાગૃતિ પણ એટલી જ હતી. હંમેશાં “શ્રીચઉશરણપયન્ના” વિગેરે સૂત્રોનું તેઓશ્રી શ્રવણ કરતાં, અને એમાં કઇકવાર પોતે બેલવા માટે અશકત હોવા છતાંય “કો નિજધામ જેવી ગાથાએને અર્થ વિશદ રીતે સમજાવતા. આ ગાથાનો અર્થ સમજાવતી વખતે તેઓશ્રીને આલ્હાદ ૧ આજે પણ આ પાઠશાળા ત્યાં પાલિતાણામાં ચાલુ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy