SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાભ્યાસ થઈ ને પ્રાગાભાઈ દરખાર નામના એક સરળ અને જિજ્ઞાસુ શ્રાવકને હંમેશાં વ્યાખ્યાનરૂપે ધના ઉપદેશ આપતા. વકતૃત્વ-શક્તિ એમને સહજ રીતે જ વરેલી. એટલે પ્રાગાભાઈ પણ રસથી સાંભળતા. એક વાર આવી જ રીતે તેઓશ્રી ઉપદેશ આપતા હતા, ત્યાં શ્રીગુરૂ મ. કાંઈક કા પ્રસ'ગે તે તરફ આવી ચડ્યા. તેઓશ્રીના કાને શિષ્યના અવાજ સભાળાયા. તેઓ કાઈ ને ખમર ન પડે એ રીતે સાંભળવા ઉભા રહ્યા. ઘેાડીવાર સાંભળીને તે આશ્ચર્ય પામી ગયા. પાતાના શિષ્યની નૈસર્ગિક વક્તૃત્વશક્તિ તેઓએ પારખી લીધી. તેઓશ્રીને લાગ્યું કેજો આને વ્યાખ્યાન વાંચવાની તક મળે, તે આગળ જતાં સુન્દર વ્યાખ્યાનકાર અને અને તેઓ મનમાં કાંઈક નિણૅય કરીને ત્યાંથી આસને પધારી ગયા. જોતજોતામાં પર્યુષણા મહાપના મંગલ દિવસે આવી પહેાંચ્યા. ચાથા દિવસે કલ્પન વાંચન શરૂ થયું. તે દિવસે પૂ. ગુરૂદેવે શેઠ જસરાજભાઈ ને બેલાવીને સૂચના કરી કે જસરાજભાઈ ! આવતી કાલે વ્યાખ્યાન નેમવિજય વાંચશે. ૨૯ શું કહેા છે ? સાહેબ ! શેઠે સાશ્ચય પૂછ્યુ. હું બરાબર કહું છું. શેઠ ! મને ખાત્રી છે કે એ વ્યાખ્યાન જરૂર વાંચો, અનન્ય ગુરુભક્ત જસરાજભાઈ એ એ વાતને ‘તહુત્તિ’ કહી સ્વીકારી લીધી. ગુરૂવચનમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. શ્રીજો દિવસ થયે. પૂ. ગુરૂદેવે પેાતાના પ્રશિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી, કે આ પ્રમાણે કરવાનુ છે. વ્યાખ્યાનસમય થયે. એટલે પૂ. ગુરૂદેવે શ્રી નેમ વિજયજીને ખેાલાવીને ફરમાવ્યું: નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને વ્યાખ્યાનમાં જા. આમ કહીને સુખેાધિકાની પ્રાચીન હસ્તલિખિત-પડિમાત્રાવાળી પ્રત તેમના હાથમાં આપી.૧ વિનયી શિષ્યના મુખમાં ‘તહત્તિ' સિવાય બીજે શા જવાબ હેાય ? તેએએ જવાની તૈયારી કરી. ત્યાં જ શ્રીગુરુદેવે કહ્યું: કપડા કેમ આવે પહેયો છે ? લે, આ મારે કપડા પહેરી જા. એમ જ થયું. મનમાં જરા આશ્ચય તા થયુ, પણ એને શમતાં વાર ન લાગી. ગુર્વાના હતી ને? વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની નાની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂ. ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે-ત્યાં નહિ, અહીં ઉપર આવેા. મારી બાજુમાં બેસે, પૂ. શ્રીએ પૂછ્યું; એમ કેમ ? વડીલ મુનિશ્રીએ કહ્યું-હું કહું છું ને ? તમે ઉપર બેસે. અહીં પણ આશ્ચર્ય થયું. પણ વડીલની આજ્ઞા હતી. એટલે ઉપર બેઠા, શ્રીચારિત્રવિજયજી મહારાજે વ્યાખ્યાન શરૂ થયું. એકાદ પાનુ વંચાયુ, કે તરત જ પચ્ચક્ખાણ આપવાની હાકલ કરી. ૧. આ પ્રત આજે પણ ખંભાતના શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાન ભંડારમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy