SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાદ્ | શ્રી લક્ષ્મીચંદભાઈ વધારે કુદ્ધ થયા. તેમણે કેસ કરવાની બીક બતાવી. અને તેઓ મેજીસ્ટ્રેટ મગનલાલભાઈને ઉપાશ્રયે લઈ આવ્યા. તેમણે ધમકીપૂર્વક ઉલટતપાસ કરી. અને દરેક બાબતની ખૂબ ચકાસણી કરી, પણ મહારાજશ્રીની વાત તે દીવા જેવી સ્પષ્ટ ને સત્ય હતી. એટલે તેમણે જણાવ્યું કે “આ છોકરાએ કાઈની શીખવણીથી કે દોરવણીથી ભાગી જઈ ને દીક્ષા લીધી નથી, પણ પિતાની સમજણપૂર્વકની ભાવનાથી જ લીધી છે. માટે આ બાબતમાં કાયદેસર કાંઈ થઈ શકે નહિ.” પિતાનાથી શક્ય એટલા દરેક ઉપાય અજમાવ્યા, પણ એકેયમાં શ્રીલક્ષ્મીચંદભાઈ સફળ ન થયા. “દીવાળી બા પણ આવ્યા હતા. તેમનું ક૯પાંત હૃદયદ્રાવક હતું. તેમના મુખમાં એક જ વાત હતી કે મારે નેમચંદ ઘરે પાછા આવે. તેઓ પથ્થર વડે માથું કૂટતાં હતાં. જેનારાઓ માટે એ અસહ્ય જ હતું. રડી–રડીને જ્યારે તેઓ થાકયા, ત્યારે અત્યાર સુધી નિર્મમ અને નિર્વિકાર-ભાવે રહેલા આપણું નવદીક્ષિત ચરિત્રનાયકશ્રીએ તેમને બોધભરી-પ્રેમભરી વાણીમાં સમજાવ્યા. શ્રી લક્ષ્મીચંદભાઈ જ્ઞાની અને સમજુ તો હતા જ. પણ બલવત્તર મેહ-દશાને કારણે તેઓ જરા મુગ્ધ બન્યા હતા. પિતાના સાધુ-પુત્રરત્નની બોધ-વાણી સાંભળીને તેમની મેહદશા ધીમે-ધીમે ઓછી થઈ ગઈ. પુત્ર-વિરહનું દુઃખ તો હતું જ, પણ સાથે-સાથે પિતાનો પુત્ર આવા ઉચ્ચ પંથે ગયે એને આનન્દ પણ હવે ખુબ જ થતો હતો. તેઓ શાન્ત થઈ, પૂ. ગુરુ મહારાજની ક્ષમા યાચી, પુત્રને હિત–શિક્ષા આપીને પુનઃ ઘરે આવી ગયા. - આજથી સોળ વર્ષ પૂર્વે પુત્ર-જન્મ પછી જતિષી શ્રી વિષ્ણુભટ્ટજીએ કહેલી ઉક્તિ જાણે સત્ય પુરવાર થઈ રહી હતી “કુંભ લગ્નકા પૂત, બડા અવધૂત. રાતદિન કરે ભજન.” [૧૧] શાસ્ત્રાભ્યાસ દીક્ષા લીધા બાદ આપણા ચરિત્રનાયક મુનિપ્રવરશ્રી નેમિવિજયજી મહારાજ સાધુના આચાર પાળવામાં તલ્લીન બન્યા. ગુરુભગવંત પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા લઈને સાધુ યોગ્ય આવશ્યક સૂત્રાભ્યાસ તેઓએ ટુંક સમયમાં જ કરી લીધો. તેમની નવનવાં વસ્તુતત્ત્વની જિજ્ઞાસા અપૂર્વ હતી. ગુરુભગવંત તેમજ અન્ય મુનિવરેની સાથે તેઓ ખૂબ વિનય અને ભક્તિપૂર્વક વર્તતા. તેથી તેઓ ગુરુમહારાજના પૂર્ણ કૃપાપાત્ર બની ગયા. બીજાં પણ અષ્ટ પ્રવરાનમાતાનું અણીશુદ્ધપાલન, ક્રિયારૂચિ, સ્વાધ્યાય તત્પરતા વિગેરે સાધગ્ય ગુણ તેમનામાં અલ્પ સમયમાં જ ખીલી નીકળ્યા. - તેઓશ્રીનું પ્રથમ ચોમાસું ભાવનગરમાં જ થયું. આ પ્રથમ ચાતુર્માસમાં જ તેઓને વ્યાખ્યાન વાંચવાને પ્રસંગ આવ્યો. વાત એવી બની કે–તેઓશ્રી સ્વાધ્યાયાદિથી નિવૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy