SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મન્થન શોષખાળની રામાયણ ચાલુ હતી. લક્ષ્મીચ દભાઈ વ. ભારે મુંઝવણમાં મૂકાઈ ગયા. એમ ને એમ સાંજ પડી ગઈ. કાઈ ને કાંઈ સૂઝતું નહેાતુ. એવામાં એકાએક લક્ષ્મીચંદભાઈની વિચક્ષણ બુદ્ધિમાં ચમકારા થયા-“નેમચંદ અને દુલભજી મિત્રો હતા, બન્ને વારંવાર મળતા. ખંનેને દીક્ષા લેવી હતી. માટે તે અને એક થઈને દીક્ષા માટે જ ભાગી છૂટયા હોવા જોઈ એ.’’ પછી તે કયાં ગયા છે તેની કલ્પના કરતાં શી વાર ! એક વાત તે તેએ જાણતા જ હતા કે–જાય તેા ભાવનગર પૂજ્ય શ્રી વૃદ્ધિચદ્રજી મહારાજ પાસે જ જાય, ખીજે નહી”. આવે વિચાર સ્ફુરતાં જ તેમણે ગામમાં જે માણસા ઘેાડા-ઉંટ કે ગાડામાં લોકોને અહારગામ લઈ જતા હતા, તેમને ત્યાં તપાસ કરાવી તે જાણવા મળ્યું કે–“ઝીણીયા ઉ*ટવાળા આજે વહેલી સવારે એકાએક ભાવનગર ગયેા છે. સાથે એ છેાકરા હતા.” કરાએ ઝીણીયાની મદદ લઈ ને હવે તે તેમના મનમાં નિશ્ચય થઈ ગયા કે-અને ૨૫ ભાવનગર જ ગયા છે. આ વાત જાણ્યા પછી ઘરમાં બધાં ઉદાસ થઈ ગયા. ઘર આખામાં જાણે શૂનકાર થઈ ગયે. દીવાળી બહેનની આંખે આંસુઓની ધારા ચાલી. માતાની મમતા છે ને ? તેમાંય પેાતાના લાડીલા પુત્રરત્ન નેમચંદ્ર દીક્ષા લઈ લેશે, એ વિચારે તેા દીવાળીબેન અને લક્ષ્મીચંઢ ભાઈ ને પણ અસ્વસ્થ બનાવી દીધા. તેમણે તત્કાળ ભાવનગર શેઠ જસરાજભાઈ ને પત્ર લખ્યું કે-“નેમચંદ્ર ત્યાં આન્યા હોય તે તુર્તજ તેને અહીં પાછા મોકલી આપે. તેને અમારી રજા સિવાય દીક્ષા આપશે નહિ.” ખરે જ ! મેહુરાજની માયા અજમ છે. મમતાનું બંધન અસાધારણ છે. ભાવનગરથી જવાબ આવ્યે કે—“નેમચંદ તથા દુČભજી અહીં આવ્યા છે. તે દીક્ષા લેવાની વાત કરે છે. પણ પૂ. ગુરુમહારાજશ્રીએ માતા-પિતાની રજા વિના દીક્ષા આપવાની તેમને ના પાડી છે. હાલ તેઓ અહી' રહેશે.” આ સમાચાર મળવાથી લક્ષ્મીચ દ્રભાઈના મનમાં કઈક ધરપત વળી. દીવાળીબાનેય ઘેાડીક રાહત મળી, કારણ કે નેમચંદ ગમે તેટલી ઉતાવળ કરે તાય હવે તેા પેાતાની રજા સિવાય એને દીક્ષા મળવાની જ નહાતી. પણ નેમચંદભાઈ પણ બુદ્ધિમાન અને હાંશિયાર હતા. તેઓ દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. અને એના કેાઈ ઉત્તમ રસ્તા શોધી કાઢવા તેમણે પેાતાના સમગ્ર બુદ્ધિ-મળને કામે લગાડી દીધુ' હતું. દુ‘ભજીએ પણ પૂજ્યશ્રીને ખૂબ આજીજી કરવા માંડી, તેના પિતાજી તેા ઘણા સમયથી સ્વર્ગ વાસ પામ્યા હેાવાથી તેના માટે મીજી કેાઈ ચિન્તા નહોતી. એટલે એની ઉત્કટ ભાવના જોઈ ને શ્રી ગુરુમહારાજે એક શુભ દિવસે તેને દીક્ષા આપી દીધી. પણ આપણા ચરિત્રનાયકશ્રીને ન આપી, કારણકે તેમના માતા-પિતા વિ. બધાં જ દીક્ષાની વિરૂદ્ધ હતાં. તેથી તેમની રજા મળે તેા જ આપવી, એવા ગુરુ મ. ના વિચાર હતા. શા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy