SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું પણ આ પ્રયોગથી જરીકે નહિ અંજાયેલા પૂજ્યશ્રીના મુખમાંથી સહસા ઉપદેશ– વચનો સરી પડયાં : “મહમ્મદ છેલ ! તમારી આ વિદ્યાને પ્રયોગ કયારે કોઈ પણ સાધુ-સંતની મશ્કરી કે ઠેકડી માટે ન થઈ જાય, એની ખાસ તકેદારી રાખજે.” મહમ્મદ છેલને પોતાની વિદ્યા કરતાં આ વચનોમાં અલૌકિક જ વર્તાયું. તેઓ નમ્રતાથી એ સાંભળી રહ્યા. ત્યારબાદ પૂજ્યશ્રીએ ત્રણ બાજોઠ મંગાવ્યા. અને એકની ઉપર એક, એમ ત્રણે ગોઠવાવ્યાં. એના ઉપર પોતે બિરાજમાન થયા. પછી મહમ્મદ છેલને કહ્યું કે : “આમાં વચલે બાજોઠ તમે ખેંચી લ્યો.' કંઈક નવું જોવાની જિજ્ઞાસાથી પ્રેરાયેલા મહમ્મદ છેલે ધીમે રહીને વચલો બાજોઠ ખેંચી લીધો. તેમને એમ કે હમણાં જ મહારાજ નીચે પડશે. પણ ભારે નવાઈની વાત બની. ત્રણ બાજોઠમાંથી વચલે લઈ લેવાથી તદ્દન નિરાધાર બનેલો ઉપલો બાજોઠ સહેજ પણ આઘાપાછા થયા વિના–એમને એમ જ (અદ્ધર) રહી ગયો, અને પૂજ્યશ્રી પ્રસન્નભાવે એના પર બેઠાં જ રહ્યાં. આ જોઈને મહમ્મદ છેલ પૂજ્યશ્રીને નમી પડયાં. તેમને પ્રતીતિ થઈ કે : જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન પ્રભાવશક્તિ વિદ્યમાન છે. થોડીવાર અદ્ધર–સ્થિર રહ્યા પછી પૂજ્યશ્રી ત્યાંથી ઊભાં થઈ ગયાં, અને બાજોઠને યથાસ્થાને મૂકાવી દીધાં. મહમ્મદ છેલ પણ પૂજ્યશ્રીના વચનને નમ્રતાથી સ્વીકારી, વંદન કરીને સ્વસ્થાને ગયાં. નોંધ –આ જીવનચરિત્ર લખાઈ ગયું અને છપાઈ ગયું, ત્યારબાદ આ માહિતીઓ પૂજ્યપુરુષ પાસેથી ચોક્કસ રૂપે પ્રાપ્ત થઈ. એટલે તેને અહીં પરિશિષ્ટમાં દાખલ કરી છે. મહમ્મદ છેલને પ્રસંગ ઘણુને અતિશયોક્તિ લાગશે. પણ આ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી જ કરી. વાસ્તવમાં પૂજ્યશ્રી મહાન સત્વશાલી પુરુષ હતા. એમનું બ્રહ્મતેજ પણ અપૂર્વ–અલૌકિક હતું. એવાં સત્ત્વ-બ્રહ્મના ધારક પુરુષને ગુરુપરંપરાએ સાત્ત્વિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, એ અવશ્ય બનવા જોગ છે. પ્રસ્તુત પ્રસંગ પણ એમના દિવ્ય સત્ત્વને જ વ્યક્ત કરે છે. કલિકાલસર્વજ્ઞ પૂજ્યશ્રી હેમચંદ્ર સૂરિ મહારાજાના જીવનમાં પણ આ પ્રસંગ બનેલો છે. એમાં સાત પાટ ઉપરાઉપરી તેઓશ્રી મૂકાવે છે. અને વ્યાખ્યાન શરૂ કરે છે. સામે રાજા-મંત્રી–સંઘ રસપૂર્વક શ્રવણ કરતાં બેઠાં છે. સી તન્મય બન્યાં છે. તે વખતે પૂર્વથી અપાયેલી સૂચના પ્રમાણે શિષ્ય નીચેની છેલ્લી પાટથી આરંભીને એક પછી એક સાતેય પાટે ખેંચી લે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે કલિકાલસર્વજ્ઞ અદ્ધર રહેલાં આસન પર જ દેશના દે છે. પ્રસ્તુત પ્રસંગ પણ પૂજ્યશ્રીની આવી કઈ દિવ્ય સાત્વિક શક્તિના પ્રભાવે બન્યું હોય તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy