SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૧૯ જનસમુદાયની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ વધારવામાં અદ્વિતીય સફળતા મળે. જન્મકુંડલીનું(નો) આ ઉત્તમ પ્રકારનો રોગ જીવનમાં અણધારી સફળતાઓ આપી જ્ઞાનમાર્ગમાં બહુ આગળ લાવે. વિરોધીઓ પણ શરણે આવે. સિંહ રાશિને ગુરુ શત્રુ પર વિજય અપાવનાર, મુત્સદ્દીગીરીભર્યા કાર્યોમાં સફળતા આપનાર, સારાસારને નિર્ણય કરવાની શક્તિ આપનાર, અને ધાર્મિક કાર્યોમાં તેમજ જ્ઞાનમાર્ગમાં યશ આપનાર બને. જન્મકાળની પહેલી જ મહાદશા ગુરુની હોઈ જીવનમાં આ ગુરુ-મંગળનો યોગ ખૂબ જ યશદાયક બની રહે. આ કંડલીમાં સમમ કેન્દ્રમાં રહેલે ગુર દશમકેદ્રમાં રહેલા ચંદ્ર સાથે ગજકેસરી યંગ કરતો હોવાથી જેમ હાથીઓનો સમૂહ કેસરીસિંહને જોતાં ભાગી જાય તેમ વિરોધીઓ તથા અજ્ઞાનીઓને સમૂહ તેમની હાજરી માત્રથી જ વેરવિખેર થઈ શરણે આવે અને તેમનું નેતૃત્વ સ્વીકારે. આ ગુરુના કારણે બુધની મહાદશા દરમ્યાન ૩૬ વર્ષની વય સુધીમાં જીવદયાના કાર્યો તથા પાઠશાળાઓની સ્થાપના થવા પામે. આઠમા સ્થાનમાં આયુષ્ય, સંકટ વિષે જોવાય છે. મૃત્યુનો કારકગ્રહ શનિ છે, અને તે શનિ આ કુંડલીમાં પોતાના સ્થાન પર દષ્ટિ કરતો હોવાથી તેમજ બળવાન શુભગ્રહ ગુરુ કેન્દ્રમાં રહેલું હોવાથી દીર્ધાયુષી બને અને લાંબું આયુષ્ય ભેગવે. જીવનના ઉત્તરાર્ધ માં રાજાએ તરફથી પણ માનસન્માન મળે. નવમાં સ્થાનમાં ધર્મ, ભાગ્ય, ગુરુ, પિતા, પ્રવાસ, વિશે જોવાય છે. આ સ્થાનમાં સપ્તમેશ સૂર્ય નીચ બની રહેલો હોવાથી સાંસારિક ભાગીદારીનો નિષેધ સૂચવે છે. પરંતુ ધાર્મિક પ્રગતિને માટે તે ખૂબ જ અનુકૂળ બની રહે છે. ચલિતમાં ચંદ્ર-બુધ પણ આ સ્થાનમાં આવતા હોવાથી ધાર્મિક બાબતોનું ઉચ્ચ પ્રકારનું જ્ઞાન મળે અને ધાર્મિક પુસ્તકના લેખન-પ્રકાશન મોટા પ્રમાણમાં કરવામાં સારી સફળતા મળે. ભાગ્યેશ શુક્ર દશમ કેન્દ્રમાં મોક્ષકારક કેતુ સાથે રહેલો હોવાથી આ જન્મમાં ત્યાગમાર્ગે આગળ વધી એક્ષપ્રાપ્તિ માટેની સારી કમાઈનો સંચય આ જન્મમાં કરે કે જે હવે પછીના જન્મ માટે આ જન્મ કરતાં ઘણું ઉંચું સ્થાન પુનર્જન્મમાં આપે. જન્મકુંડલીનું દશમું સ્થાન કર્તવ, અધિકાર, માન, પ્રતિષ્ઠા, તથા કાર્યક્ષેત્રનો નિર્દેશ કરે છે. આ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ-શુક્ર-કેતુ ચાર ગ્રહની હાજરી તથા ગુરુની દષ્ટિ છે. શાસ્ત્રકાર કહે છે કે જે કોઈ પણ સ્થાનમાં ત્રણથી વધારે ગ્રહો ૨ સ્થાનની પુષ્ટિ કરે છે. આ સ્થાનમાં મેક્ષિકારક કેતુ જીવનની મોક્ષમાર્ગ પ્રત્યે આગળ વધવાની પ્રવૃત્તિ તથા કાર્યક્ષેત્રનું સૂચન કરે છે. તે મુજબ ત્યાગમાર્ગ અને ધર્મક્ષેત્ર એ કાર્યક્ષેત્ર બને. કર્મેશ મંગળ સપ્તમકેંદ્રમાં ગુરુ સાથે રહી રાજયોગ કરતા હોવાથી તેમ જ નવમાંશમાં તે સ્વનવમાંશી થતો હેઈ ધાર્મિક ક્ષેત્રે જ માન-પ્રતિષ્ઠા, અધિકાર અને અગ્રપદ મળે. બીજાઓને ન મળ્યું હોય તેવું અદ્વિતીય માન કે પદવી મળે. અહીં આ સ્થાનમાં ચંદ્ર નીચ બને છે પરંતુ ચંદ્ર વૃદ્ધેશ છે. પઝેશનું નીચ હોવું એ શુભ તત્ત્વ છે. તે રોગ, શત્રુ અને ઋણ પર વિજય અપાવનાર બને છે. ઉપરાંત ચંદ્ર નવમાંશમાં સ્વનવમાંશી બનતો હોઈ તેનું નીચત્વ ઓછું થવા પામે છે. આ કુંડલીના બે મહત્ત્વના યોગો સપ્તમ અને કર્મ સ્થાનરૂપી બે મહત્ત્વના કેંદ્રમાં થતા હોવાથી દેવીકૃપાથી જીવનમાં ઓછી મહેનતે વધારે યશ અને સળફતા મળે. સમાજમાં પ્રવર્તતા મતભેદો કે વિરોધ દૂર કરવામાં યશ મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy