SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનમ નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈએ સકળ સંઘની સભા બોલાવી હતી. તે વખતે કરવામાં આવેલ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે વીતરાગ શાસનમાં થાએ અને શાસનને જળહળતું બનાવે. ન શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનો જન્મ સૌરાષ્ટ્રમાં મહુવામાં વિક્રમ સંવત ૧૨લ્માં થયે હતે. સત્તર વરસની નાની વયે તેમણે સંસારત્યાગ કર્યો અને ૩૫ વર્ષની વયે તેમને આચાર્યપદ અપાયું. તેઓ સર્વત્ર બહુ પંકાયેલા હતા. અખંડ બ્રહ્મતેજ, અપૂર્વ પ્રતિભા, તેમજ શાસનસેવાની ધગશના કારણે તેઓ જૈન જગતમાં “સૂરિસમ્રાટના ગૌરવવંતા નામથી ઓળખાય છે. તેમને જન્મ ૧૯૨૯ના કાર્તક સુદ ૧ ને શનિવાર તથા અગ્નિદાહ ૨૦૦૬ ના કાર્તક સુદ ૧૦ ને શનિવારે મહુવામાં જ થયે. આ જન્મ અને મૃત્યુના સમય અને સ્થળને સંવાદ વિરલ છે. (મુંબઈ સમાચાર, તા. ૧૦-૧૧-૪૯) મુંબઈ તા. ૯ મી નવેંબર જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગારોહણથી સકળ જૈન સંઘને પડેલી ખટ બદલ દિલગીરી બતાવવા માટે આજે મુંબઈના જૈનેની શાસભા શ્રીનમિનાથજી મહારાજ દેરાસરજીના ઉપાશ્રયમાં મળી હતી. આ સભા મુંબઈની ૫૮ સંસ્થાઓ તરફથી બોલાવવામાં આવી હતી. અને તેમાં મુંબઈના જુદા જુદા ઉપાશ્રયમાં બિરાજતા જૈનાચાર્યોએ હાજરી આપી હતી. સભામાં શેઠ કુલચંદ શામજી, શેઠ મોહનલાલ દીપચંદ ચોકસી, શેઠ શાંતિલાલ મગનલાલ શાહ, શેઠ દીપચંદ શાહ, શેઠ વરધીલાલ વમળશી, શેઠ મગનલાલ મૂળચંદ, શેઠ દામજી જેઠાભાઈ શાહ વગેરેએ હાજરી આપી હતી. મહાન બોટ શરૂઆતમાં શેઠ કુલચંદ શામજીભાઈએ જણાવ્યું હતું કે ઃ પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરિજી કાળધર્મ પામવાથી જૈનસંઘને મહાન બેટ પડી છે, જેનસંઘ પર તેમનું અપૂર્વ વર્ચસ્વ હતું. અને તેમણે જૈન તીર્થો તથા શાસનની બજાવેલી સેવા જૈન તવારીખ માં સુવર્ણાક્ષરે કેતરાઈ જશે. એકતાના પ્રખર હિમાયતી શેઠ શાંતિલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે–આજે જ્યારે તેમની જરૂર હતી ત્યારે જ તેઓ કાળધર્મ પામ્યા છે. તેથી આપણને ઘણું દુઃખ થાય છે. આજે જૈન ધર્મ પર પ્રહાર થઈ રહ્યા છે ત્યારે આવા એકતાના હિમાયતી મહાન આચાર્યની હયાતી આપણને માર્ગદર્શક થઈ પડત. તેમણે જણાવ્યું હતું કે-શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંગઠનપ્રેમી હતા. એ એમના જીવનનું ધ્યેય હતું. આપણે એમના સ્મારકરૂપે સંગઠિત થઈએ એમ હું ઈચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy