SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ - શેઠ મગનલાલ મૂળચંદે શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને અંજલિ અર્પતાં જણાવ્યું હતું કે– તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી જૈનસંઘ તેમજ સાધુ સમાજની એકતા માટે ઝઝુમ્યા હતા. પહેલી હરોળમાં મોખરાનું સ્થાન શ્રી મણલાલ મોહનલાલ પાદરાકરે જણાવ્યું હતું કે- ભારતભરમાં જૈન ધર્મ માટે સર્વ કાંઈ કરી છૂટનાર જૈનાચાર્યોની હરોળમાં સગત સૂરિસમ્રાટનું નામ મોખરે આવે છે. તેમણે જણાવ્યું હતું કે--આજે આપણે પૂજ્ય મુનિવરોને ભીખ માગવાને અને ગળે પાટીયું બાંધવાનો વખત આવ્યો છે. પણ જે સૂરિસમ્રા હયાત હોત તો તેઓ કહેત કે બધાં જેલમાં જાવ અને ત્યાં નવકાર મંત્ર ગણે....હું આ કલપનાથી કહું છું. કદંબગિરિ તીર્થ શ્રી મેહનલાલ દીપચંદ ચેકસીએ જણાવ્યું હતું કે–શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે તીર્થરક્ષા માટે બજાવેલી સેવા અનુપમ છે. તેમણે કદંબગિરિ તીર્થ એવા સ્થાનમાં મૂકયું છે કે સિદ્ધક્ષેત્રની યાત્રાએ જનાર તેના દર્શન કર્યા વિના રહે નહિ. તેમણે સૂચના કરી હતી કે-આપણે આપણા તીર્થો-કળાધામ વગેરે જગત આગળ મૂકીએ તો જગત જૈન ધર્મ શું છે તે જાણી શકશે. તેમણે જણાવ્યું હતું કે આપણે સદ્દગતનું એવું સ્મારક ઘડવું કે જેની ભવિષ્યમાં ઇતિહાસકારને નોંધ લેવી પડે. લાખના લાડીલા મુનિશ્રી કાન્તિસાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે–શ્રી વિજયનેમિસૂરી શ્વરજીમાં અદ્ભુત હૃદયબળ હતું. અને એથી તેઓ લાખના હૃદયમાં સ્થાન ધરાવતા હતા. કાપરડા તીર્થ | મુનિશ્રી ગુલાબમુનિએ જણાવ્યું હતું કે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મારવાડમાં કાપરડા તીર્થનો જીર્ણોદ્ધાર કરાવીને જૈન તેમજ જૈનેતરોમાં અપૂર્વ નામના મેળવી છે. એક વખત એવો હતો કે—કાપરડાના દેરાસરજીમાં આશાતનાઓ થતી હતી. ભૈરવજીની મૂર્તિ આગળ સેંકડે બકરાઓને વધ કરવામાં આવતો. લેહી છંટાતા હતા. પણ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જ્યારે આ નજરોનજર જોયું ત્યારે તેમનું દિલ હચમચી ઉઠયું હતું. તેમણે વિરોધીઓને પ્રેમથી જીતી લઈને દેરાસરજીમાંથી ભૈરવજીની મૂર્તિ બહાર કઢાવી અને આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જૈનસંઘનું બહુમાન કર્યું પંન્યાસજી ભાનવિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે આજે શાસનને એક મહાન સિતારાની ખોટ પડી છે. એથી આપણે શોકમગ્ન થઈ ગયા છીએ. પણ શેકને અદા કર્યો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ કરીએ-આદશે વગેરે અપનાવી લઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy