SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આના સમાધાનમાં પૂજ્યશ્રીએ પૂર્ણ સરળતાથી ફરમાવ્યુ` કે : “એવું ખનવાનું જ નથી. છતાં કદાચ કાઈ ખાખતમાં વિચારભેદ રહે તે અમા ખને (હું તથા લબ્ધિસૂરિજી) સહુમત થઈ ને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યને તે ખાખત સોંપી દઈશુ. અને તેઓ જે એક નિશ્ ય લાવશે, તે આપણે બધાંને કબૂલ મંજુર રહેશે. એટલે ! હવે કાંઈ કહેવાનું રહે છે ?” ૩૦૦ શ્રીલક્ષ્મણુસૂરિજી મ.ને આ સરળ અને ચેાગ્ય માર્ગ ઘણુા જ ગમી ગયા. તેમણે બીજી કાઈ ખાખત ખાકી રહી હૈાવાની ના પાડી. અને હવે કાર્યના પ્રારંભ કરવા તૈયાર થયા. આ રીતે સમાધાનના માર્ગ લેવાયાથી શહેરમાં સર્વત્ર આનંદ આનં≠ પ્રસરવા લાગ્યા. વૃદ્ધ મહાપુરુષાની સરળતા અને ઉદારતા પ્રતિ સૌ કોઈ ને અપાર માન ઉપજ્યું. તિથિ અંગેની આ વાટાઘાટમાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજના સ્વભાવમાં પૂજ્યશ્રીના જેવી જ સરળતા અને સાચી ભાવના જોવા મળી હતી. અને એને કારણે જ આ માર્ગ અપનાવવાનું શકય બન્યું હતું. પણ એમની આ સરળતારૂપ સેનાની થાળીમાં એક લાઢાની મેખ હતી. જેનું ધ્યાન એમને હજી નહાતું. જો કે એ પણ એમની ઉદારતાનું જ પરિણામ હતું. નિણૅય લેવાયાને અઠવાડિયું વીત્યું હશે, ત્યાં શ્રીવિક્રમવિજયજી તથા શ્રીભાસ્કરવિજયજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેઓએ પૂજ્યશ્રીને કહ્યું કે : “અમારા જાણવામાં આવ્યું છે કે— આપને આપના પ્રયાસમાં સફળતા મળી છે. આપનાવાળાની-અમુક અમુકની લેખિત સ ંમતિ અને સહી આવી પણ ગઈ છે. એ વાત જાણીને એ મમતને આનંદ વ્યકત કરવા અમે આવ્યા છીએ.” તેની આ માહિતી સાચી હતી. શ્રીસાગરાન દસૂરિજી મ. તથા શ્રીવિજયનીતિસૂરિજી મ., એ અન્ને વૃદ્ધે આચાર્યની લેખિત સંમતિ પૂજ્યશ્રી ઉપર આવી ગઈ હતી. ત્યારમાદ શ્રીન ંદનસૂરિજી મ.એ તેમને પૂછ્યું : ' તમારૂં કામ કાં સુધી ચાલ્યું ?” તેઓ કહે કે : “પ્રયાસ ચાલુ છે. હજી વાર લાગશે.” શ્રી નંદનસૂરિજી મ.એ કહ્યુ` કે : “જ્યારે ૧૯૯૨માં તમે બધાએ જીદી સંવત્સરી-શનિવારની કરી, ત્યારે શમચંદ્રસૂરિજી. ‘સાદડી’માં ચામાસુ` રહેલા તમારા પૂજ્ય ગુરુદેવ શ્રીલબ્ધિ સૂરિજી મહારાજની આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાથી શનિવારની સ'વત્સરી જાહેર કરી હતી. અને તેના મેટાં મોટાં પાસ્ટા છપાવી બહાર પાડયાં હતાં, જે અત્યારે પણ માજીદ છે. તા આ વખતે જ્યારે ખુદ લબ્ધિસૂરિજી મ. સમાધાનના માર્ગ કાઢે છે, અને સમાધાનના નિણુ ય લાવવાના છે, ત્યારે રામચંદ્રસૂરિજીએ પેાતે એમ જ કહી દેવુ જોઈ એ કે- પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભા. શુ. ૫ એ કરી, શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તે અત્યારે પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજ જે સમાધાન કરે, અને જે એક નિણ્ય લાવે તે મારે અને અમારે સને કબૂલ જ છે. અને કબૂલ હોય જ.’ આ રીતે તેમણે લબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમતિ માકલી આપવી જ જોઇએ.” શ્રી ભાસ્કરવિજયજી આ સાંભળીને કહે કે : સાદડીની આ વાત હુ' જાણતા નથી. ત્યારે શ્રીવિક્રમવિજયજીએ કહ્યું કે : ‘નદનસૂરિજી મહારાજ જે કહે છે, તે ખરાખર છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy