SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ધક્યને કાંઠે : આ પછી એકવાર ફરી શ્રીલક્ષ્મણસૂરિજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમણે કહ્યું કે : “રામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તે ચાલે કે કેમ? કારણ કે–પ્રેમસૂરિજીની સહી આવે, એટલે તેમાં તેમની સહી આવી જ જાય છે.” આને સ્પષ્ટ જવાબ આપતાં શ્રીદનસૂરિજી મ.એ કહ્યું કે : “આમાં તો શ્રીરામચંદ્રસૂરિજીની પિતાની સહી જોઈએ જ. જ્યારે તિથિચર્ચાનો નિર્ણય લાવવા માટે સાગરજી મ. અને રામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી, ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં રામચંદ્રસૂરિજીએ પોતાના ગુરુ શ્રી પ્રેમસૂરિજીની હયાતી છતાંય પોતાની જ સહી કરી હતી. પણ પ્રેમમસૂરિજીની સહી તેમાં નહોતી કરાવી. તે પછી આ નિર્ણયમાં પણુ રામચંદ્રસૂરિજીની પિતાની જ સહી હોવી જોઈએ.” - આ સાંભળીને શ્રીલક્ષ્મણસૂરિએ કહ્યું: “તેમણે પી. એલ. વમાં સહી આપી છે, એટલે આમાં આપવા વિચાર નથી.” આનો ઉત્તર પૂજ્યશ્રીએ આખ્યો કે : “તે વિચાર વ્યાજબી નથી. કારણ—હું તથા લબ્ધિસૂરિ મહારાજ જે નિર્ણય લાવીએ, તે કદીચે પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતો આવે તો તેમાં રામચંદ્રસૂરિને કાંઈ વાંધો નથી, અને કદાચ અમારો નિર્ણય પી. એલ. વૈદ્યથી જુદે આવે, તો તે પી. એલ. વૈદ્ય અમારા બન્નેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ રામચંદ્રસૂરિને વાંધો હોય જ નહિ.” આ ઉત્તરની પૂરવણીમાં શ્રીનંદનસૂરિજી મ.એ સ્પષ્ટ કહ્યું કે : પી. એલ. વૈદ્યના નિર્ણયમાં રામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ તેમનું કથન બિલકુલ વ્યાજબી નથી. પણ માત્ર બહાનું જ છે.” - ઘોડા દિવસો પછી પૂજ્યશ્રી સપરિવાર ખંભાતથી શકરપર પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા. ખંભાતના શેઠ કેશવલાલ બુલાખીદાસ તે વખતે ત્યાં બેઠેલા. નગીનદાસભાઈ વંદન કરીને બેઠા અને બોલ્યા કે : સાહેબ ! હવે આ તિથિનું બધું ચેકસ પતી જશે.” આટલું કહી, ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રીનંદનસૂરિ મ. ને વંચાવ્યો. એ વાંચીને તરત જ શ્રીનંદનસૂરિજી મ.એ શેઠ નગીનભાઈને કહ્યું કે : “હવે પતવાનું નથી. એ લખી રાખજો.” - “આપ આમ કેમ કહો છો, સાહેબ ?' નગીનભાઈના આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે : “આ પત્રમાં રામચંદ્રસૂરિજી ખંભાત આવવાનું લખે છે. એટલે મને લાગે કે-હવે પતવાનું નથી ખરી રીતે તો તેમણે લબ્ધિસૂરિજી મહારાજને એમ જ લખી દેવું જોઈએ કે “તિથિ બાબતમાં આ૫ જે સમાધાન લાવશે તે મારે કબૂલ-મંજૂર છે.” અહીં આવવાનો શું અર્થ છે?” મેં તો એકવાર લબ્ધિસૂરિજી મહારાજને પણ સ્તંભનાજીના દેરે ભેગા થયા, ત્યારે કહ્યું હતું કે : “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે, સરળતા ભરેલી છે. કોઈ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy