SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ લોગવિસદ્ધચાઓ ૨૮૧ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓને ચારેક વર્ષથી ક્ષય વ્યાધિ થયેલે. છતાં ચરિત્રની નિર્મળ આરાધનામાં તેઓએ ખામી આવવા નહતી દીધી. અંત સમયે પૂજ્યશ્રીએ પણ ઘણી સુંદર નિર્માણ કરાવી. તેઓ વિદ્વાન સરળ અને ખૂબ જ ક્રિયાકાંડમાં રૂચિવાળા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા પછી તરત જ કાર્તક વદિ તેરશે લાઠીદડના રહેવાસી સંઘવી મેહનલાલ લાલચંદના સુપુત્ર શ્રી છોટાલાલને ત્યાગભાવના થવાથી પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી કીર્તિપ્રભ વિજયજી રાખીને શ્રીવિજયસૂરિજીના શિષ્ય બનાવ્યા. આ પછી પૂજ્યશ્રી ઘેઘા પધાર્યા. ત્યાં થોડા દિવસ રહ્યા. તેઓશ્રીના પ્રભાવક ઉપદેશના પરિણામે ત્યાંના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેઓશ્રીની નિશ્રામાં સિદ્ધાચલજીનો છ“શી” પાળતો સંઘ કાઢ્યો. એ સંઘ સાથે પાલિતાણું પધાર્યા, યાત્રા કરી, સંઘવીને તીર્થમાળા પહેરાવીને તેઓશ્રી કદંબગિરિ આવીને રહ્યા. આ મહાતીર્થની જાહોજલાલી હવે જામી રહી હતી. યાત્રિકે સારા પ્રમાણમાં આવતા, ને લાભ લેતા. એમને ઉતારા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સાત ઓરડાની, અગિયાર ઓરડાની ધર્મશાળાઓ બંધાઈ હતી. એમાં સાત ઓરડાની ધર્મશાળા પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી વલ્લભ વિજયજી મ. ની પ્રેરણાથી શેઠ માણેકલાલ ચુનીલાલે બંધાવેલી. “શ્રીવિજયસૂરિ જ્ઞાનશાળાનું ત્રણ માળનું ભવ્ય મકાન પણ તેમણે અહીં બંધાવેલું. આ બધી સુંદર વ્યવસ્થાને લીધે યાત્રિકોને રહેવાની પૂરતી સગવડ હતી. હવે અહીં જરૂર હતી એક ભેજનશાળાની. યાત્રિકે ગમે ત્યારે યાત્રા કરીને આવે, ત્યારે તેમને જમવાની સગવડ મળવી જ જોઈએ. આ વિચાર આવતાં પૂજ્યશ્રીએ પેઢીના વહીવટદાર શેઠ ઈશ્વરદાસ મૂળચંદ વગેરેને એ માટે ઉપદેશ કર્યો. તીર્થની સમુન્નતિ અને સાધમિકેની સેવાને મહાન લાભ મેળવવાનો રાજમાર્ગ દેખાડો. તેઓશ્રીને આ અમેઘ ઉપદેશ વહીવટ. દારોએ ઝીલી લીધે, અને ભેજનશાળાના મકાન અંગે હિલચાલ શરૂ કરી. - પૂજયશ્રી તે અહીંથી મહુવા પધાર્યા. ત્યાં દેરાસરનું કામકાજ ચાલું હતું. જોયણીથી તેમજ પ્રભાસપાટણથી લાવેલા અતિપ્રાચીન જિનબિંબને અહીં દેરાસરમાં પણ દાખલ બિરાજમાન કરાવ્યા. અહીંથી તેઓશ્રી વિહાર કરતાં કરતાં સાવરકુંડલા આવ્યા. અહીંના સંઘની વર્ષોથી વિનંતિ હતી. એકવાર તે અહીં આવવા વિહાર કરેલે, ને નહોતું અવાયું. એથી આ વખતે સંઘના જોરદાર આગ્રહને માન આપીને તેઓશ્રી ત્યાં પધાર્યા. સંઘે પણ ભવ્ય સ્વાગત વગેરે પ્રભાવનાના કાર્યો કરીને અપૂર્વ ભક્તિ પ્રદર્શિત કરી. અહીં એક માસ રહ્યા. વ્યાખ્યાન પ્રતિદિન થતું. જૈન-જૈનેતર સૌ એને લાભ અચૂક લેતાં. અહીં સંઘમાં પણ ત્રણ પક્ષ હતા. તેમાં એક પક્ષ અંચલગચ્છને અને બે પક્ષ લેકાગચ્છને માનતા હતા. માત્ર ૧૦-૧૨ ઘર જ તપાગચ્છની માન્યતાવાળા હતા. પૂજ્યશ્રીએ એ અધું જાણ્યા પછી સૌ પ્રથમ એ ત્રણ પક્ષોના પારસ્પરિક કલેશે દૂર કરીને એક્તા સ્થાપી. પછી તેઓને ઉપદેશ આપીને તપાગચ્છની ક્રિયા કરવાને સન્મુખ બનાવ્યાં. સંઘને મેટ ભાગ તપાગચ્છની માન્યતા ધરાવતે થયો, એટલે પૂજ્યશ્રીએ ભંડારિયાના વતની શા. દેવચંદ ગુલાબંધ વગેરેને તપાગચ્છીય ઉપાશ્રય કરાવવાની પ્રેરણા આપી. એટલે એ ગૃહસ્થાએ એ માટે જમીન વેચાણ લઈ, તેમાં સંઘના સહકારથી તપાગચ્છીય ઉપાશ્રય બંધાવ્યું, ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy