SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શાસનસમ્રા, તરત જ પૂજ્યશ્રીએ પિતાની પાછલી બાજુએ સૂતેલા શ્રી કુલચંદભાઈ છગનલાલ સલતને(બોટાદવાળા) હાક મારી ઃ અલ્યા કુલચંદ ! જાગે છે ? કુલચંદભાઈ જાગતા જ હતા. જ્ઞાની ગુરૂ-શિષ્યને રહસ્યમય વાર્તાલાપ તેમણે સાંભળેલું. તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા, ને કહ્યું : જી સાહેબ ! ફરમાવે. પૂજ્યશ્રીએ કહ્યું : જા બધે તપાસ કરી આવ. બધું સલામત છે ને? કુલચંદભાઈ ચારે તરફ આંટે મારી આવ્યા. બધું અસ્તવ્યસ્ત હતું. લોકે પ્રગાઢ નિદ્રામાં અને વેરવિખેર દશામાં પડ્યા હતા. તે બધું જોયું. પણ તેઓ પ્રતિમાવાળા મંડપમાં ન જઈ શક્યા. પૂજ્યશ્રી પાસે આવીને વાત કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે જા ! નંદનસૂરિને ઉઠાડ. શ્રીનંદનસૂરિજી મ. ઉઠીને આવ્યા એટલે પૂજ્યશ્રીએ બંનેને કહ્યું : “તમે બંને મંડપમાં જઈ આવે.” બંને ગયા. મંડપમાં સર્વત્ર ફરી આવ્યા. પણ કયાંય ઉની આંચ નહોતી આવી. એટલે નિરાંત અનુભવી. પૂજ્યશ્રીને એ જણાવ્યું. આ પછી શ્રી ઉદયસૂરિજી મ. તથા શ્રીનંદનસૂરિજી મ, એ બંને સૂરિવએ દેરાસરમાં શેષ આખી રાત્રિપર્યત વિશિષ્ટ મંત્રજાપ કર્યો. - સવારના પાંચ વાગ્યા. લગભગ મંડપના થાંભલે થાંભલે પાંચ-પાંચ-સાત સાત માણસને ગોઠવી દેવામાં આવ્યા. તેઓ તે તે થાંભલાને મજબૂત રીતે પકડીને ઊભા. બરાબર સાડા પાંચ વાગ્યા ને ભયંકર વળી વછૂટા-વાવાઝોડું કુંકાયું. જે થાંભલાદીઠ માણસોની ગોઠવણ ન કરી હોત તે મંડપ વેરવિખેર થઈ જાત. સાથે પ્રતિમાજીને પણ નુકશાન થાત. અર્ધો કલાક એ વંટેળીયે એકધારે રહ્યો. પછી એકાએક જેમ આવે તેમ ચાલે ગયે. પૂરતી સાવધાની રાખી હોવાથી જરા પણ નુકશાન ન થયું. ત્યારપછી જ પૂજ્યશ્રી, બંને સૂરિવ અને કુલચંદભાઈ વગેરેએ નિરાંતને દમ લીધે. ફાગણ શુદ ૩– આજે પ્રભુજીને ગાદીનશીન કરવાના હતા. પ્રથમ તે દેરાસરજીના મંડપમાં પશુદાખલ બિરાજમાન શ્રી નમિનાથ પ્રભુને ત્યાંથી પ્રભુજીની આજ્ઞા યાચવાપૂર્વક ઉત્થાપવાની ક્રિયા કરવામાં આવી પણ આશ્ચર્ય – પ્રભુજી ત્યાંથી ખસ્યા જ નહિ. ઘણી મહેનત કરી, પણ નિષ્ફળ. છેવટે પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. તેઓશ્રીએ શુદ્ધભાવપૂર્વક ગદ્દગદ કંઠે પ્રભુની સ્તુતિ અને વિનંતિ કરી કે – બહે નાથ ! આપને મહિમા કેનાથી અજાયે છે? આપ જ્યારથી અહીં પધાર્યા, ત્યારથી દિનપ્રતિદિન આ મહાતીર્થના ઉદ્ધારનું મહાકાય સરલતમ જ બનતું જાય છે. એ આપને જ અચિંત્ય પ્રભાવ છે. હે દેવાધિદેવ ! આપ અમારી વિનંતિ સ્વીકારે. અમે અહીંયા આ તીર્થમાં ગિરિરાજ ઉપર નૂતન જિનાલય બંધાવીને તેમાં આપને મૂળનાયક તરીકે બિરાજમાન કરીશું. માટે હે નાથ ! અમારા પર કૃપા કરીને આજ્ઞા આપે અને ગિરિરાજ ઉપર પધારો. આ સ્તુતિ પૂર્ણ થતાં વાર જ હજારો લોકોના આશ્ચર્ય વચ્ચે પ્રતિમાજી ઊંચકાયા. ગિરિરાજ ઉપર પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર બાવન જિનાલય બંધાતું હતું. તેની કેટલીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy