SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્તે લંબ ! २४३ એક બાજુ–વિશાળકાય મંડપમાં પ્રભુજીની સન્મુખ પૂજ્યશ્રીમાન, આચાર્યશ્રી વિદયસૂરિજી મ. આ. શ્રી વિજયનંદન સૂરિજી મ. આદિ મુનિભગવંતે તથા વિધિકારકે વિશુદ્ધ અને પવિત્ર વિધિવિધાને કરાવી રહ્યા હતા. આજે સિદ્ધચક પૂજન તે કાલે બ્રહનંદ્યાવતપૂજન. આમ વિવિધ પૂજને અને પછી પ્રભુજીના જગજંતુહિતકારક પાંચ કલ્યાણકેના મહાન વિધાને ક્રમસર ચાલી રહ્યા હતા. જાણે ત્યાંની દુનિયા દિવ્ય અને મંત્રમય બની ગઈ. બીજી બાજુ–હંમેશાં નવકારશી (સંઘજમણુ) થવા લાગી. આજે આ શેઠ તરફથી તે કાલે વળી બીજા શેઠ તરફથી—એમ બાવીશ નવકારશીઓ થઈ. લેકે ખાતાં થાક્યા. જોતજોતામાં ૨૦ દિવસ ઉત્સાહ ને ઉલ્લાસમાં વહી ગયા. એકવીસમે-ફાગણ શુદિ બીજને મહાન દિવસ આવ્યા. આજે-અંજનશલાકાનું સર્વોત્કૃષ્ટ વિધાન થવાનું હતું. અરૂપીમાં રૂપને આરેપ કરવાને હતા. સિદ્ધમાં સાધ્યપણાની સમાપત્તિ કરવાની હતી. ધાતુ-રત્ન-પાષાણુમય પ્રભુપ્રતિમામાં પ્રાણની પ્રતિષ્ઠા એટલે જ અંજનશલાકા. જિનશાસનમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ અને મહત્ત્વપૂર્ણ વિધાન એટલે જ પ્રાણપ્રતિષ્ઠા. આજે એ જ વિધાન અહીં થવાનું હતું— જિનશાસનના શિરતાજ – મહાસત્ત્વશાલીતપાગચ્છાધિરાજ સાક્ષાત બ્રહ્મમૂર્તિ સમા આપણુ મહાન સૂરિરોજના પવિત્ર હસ્તે. નેબત-શરણાઈ વગેરે વિવિધ વાજિંત્રોના મધુર અને કેમળ સૂર વાતાવરણની મંજુલતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. લોકોના હૈયામાં હર્ષ અને કુતૂહલની મિશ્ર લાગણી પ્રકટ સ્વરૂપ લઈ રહી હતી. અને મહાનું પવિત્ર પળે અંજન વિધાન(પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક) નિવિઘપણે થયું. જિન ભગવાનમાં જ્ઞાનની અનંત જ્યોત પ્રગટી, અને સમસ્ત જગતું કે” અનિર્વચનીય આનંદની લાગણી અનુભવી રહ્યું, હજારે લોકેના કંઠમાંથી જયજયના ગગનભેદી નાદ નીકળી રહ્યા. આજે શેઠ ચંદુલાલ બુલાખીદાસ-અમદાવાદવાળા તરફથી નવકારશી થઈ. આ અંજનશલાકાની આગલી રાત્રે ભયાનક વાવાઝોડું થયું. એ ભયંકર ટળી ઊડ કે-તંબૂ-રાવટી-કંતાનની ઓરડીઓ વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયું. જોકે તે આ વટળીયાની ખબર જ ન હોય, તેમ જ્યાં ત્યાં સૂતા હતા. જાણે કેઈએ અવસ્થાપિની નિદ્રાને પ્રયોગ કર્યો હોય. પણ આ વંટેળીયે શમી ગયા પછી પૂજ્યશ્રીએ પિતાના બહુશ્રુત શિષ્ય આ. શ્રીઉદયસૂરિજી મ. ને પ્રશ્ન કર્યો : ઉદયસૂરિ ! આ કઈ જગ હતો ખરો ? તેમણે કહ્યું : “હા સાહેબ ! આ જગ હતું. અને હજી સવારે સાડા પાંચ વાગે આ જોગ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy