SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શાસનસમ્રાટ આ સઘળાં પ્રતિમાજીની પલાંઠીમાં શિલાલેખ લખવા-કોતરવાનું કાર્ય પૂરઝડપે ચાલુ હતું. એક શુભ ચોઘડિયે શ્રીમૂળનાયક પ્રભુ ઉપર શિલાલેખ કરવાની શરૂઆત કરવામાં આવી. કુશળ કારીગર સ્નાનાદિથી શુદ્ધ થઈને કેતરવા બેઠે. પણ આશ્ચર્ય. ટાંકણું ચાલે જ નહિ. ઘણું પ્રયત્ન કર્યા. કેમેય ટાંકણું અડે જ નહિ. ટાંકણુની તીક્ષણ ધારને વધુ તેજ કરી. ટાંકણું બદલ્યાં. અરે! કારીગર પણ બદલ્યાં. પણ બધુંય નિરર્થક. શિલાલેખને એક અક્ષર પણ ન જ કેતરાયો. સૌ વિચારમાં પડી ગયા, ગભરાયા કે આ શું ? પૂજ્યશ્રીને જાણ કરવામાં આવી. પૂજ્યશ્રી તરત ત્યાં પધાર્યા. પળવારમાં જ તેઓશ્રી જ્ઞાન-દષ્ટિ વડે બધું પામી ગયા. તેઓશ્રી ત્યાંથી દેરાસરમાં–જ્યાં શ્રીનમિનાથ પ્રભુ હતા, ત્યાં ગયા અને ભકિતસભર સ્વરે પ્રાર્થના કરી કે પ્રભો ! આપને આ તીર્થમાં સુંદર જિનાલય બંધાવીને તેમાં મૂળનાયક તરીકે જ પધરાવવાની અમારી ભાવના છે, તે સફળ બને. હે નાથ ! હવે કૃપા કરે.” આ પછી પૂજ્યશ્રીની સૂચનાથી એ જ કારીગરે લેખ કેતરવા માટે ટાંકણું અડાડયું કે તરત જ અક્ષરે સહેલાઈથી કેતરાવા લાગ્યા. પ્રભુના અલૌકિક પ્રભાવથી સૌ વિસ્મિત બની રહ્યા. દેરાસરની બહાર વિશાળ ગાનમાં મેટે મજબૂત મંડપ બાંધવામાં આવ્યું હતું. એ મંડપમાં શાસ્ત્રીય વિધિપુર સર સુવિશાળ વેદિકા રચવામાં આવી. તેની ઉપર આકર્ષક રીતે ૧૦૦૦ પ્રતિમાજી પધરાવવામાં આવ્યા. જેનારા પણ વિચારમાં પડી જતાં કે આ તે પ્રતિમા નગર છે કે શું? મહા સુદિ ૧૩ ના મંગલ દિવસે જલયાત્રા અને કુંભસ્થાપનાના મંગલ વિધાનપૂર્વક ૨૨ દિવસના આ મહામહોત્સવને પ્રારંભ થયો. લોકેને માટેની વ્યવસ્થા અપૂર્વ હતી. શ્રી વકીલ, કામદાર, તથા અન્ય શ્રેષ્ઠિ શ્રાવકોએ એને માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ વાત સં. ૧૯૮૯ (ઈસ.૧૯૩૩)ની સાલની છે. મહા-ફાગણ માસમાં આ મહોત્સવ ઉજવાયો હતો. તે વખતે ત્યાં હેમાભાઈ શેઠની ધર્મશાળા સિવાય બીજું એકે ય સ્થાન નહિ. હાલ જ્યાં પેઢી બેસે છે, તે ઓરડાઓ હતા. તેમાં પૂજ્યશ્રી સપરિવાર બિરાજતા હતા. આ સિવાય ઉતારા માટે અન્ય સ્થાન હતું નહિ. અને મહોત્સવ પ્રસંગે હજારે માણસે ત્યાં આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે તે ૨૫ હજારની મેદની એ તીર્થમાં એકત્ર થયેલી. એ બધાને ઉતરવા માટે ૩૦૦ ઉપર તે પાકી-કંતાનની ઓરડીઓ બાંધી હતી, અનેક તબૂ, શમિયાણું તથા રાવટીઓની સુંદર સગવડ કરી હતી. આ તંબૂ-શમિયાણું વગેરેની રાજસી સગવડ ભાવનગર સ્ટેટના નામદાર મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી તથા તેમના મુખ્ય દિવાન સર પ્રભાશંકર પટ્ટણી સાહેબ કે જેઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા, તેમના તરફથી મળી હતી. બીજી પણુ-જમણુની-પાણીની સર્વ સગવડ સંપૂર્ણપણે ત્યાં કરવામાં આવેલી. આવાં જંગલમાં પણ મંગલસમી આ અદ્ભુત સગવડ તથા વ્યવસ્થા જોઈને લોકે મેંમાં આંગળા નાખી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy