SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શાસનુસાર ત્યારે પૂજ્યશ્રીએ સ્પષ્ટ ફરમાવ્યું કે દેશનેતાઓ કેશમાં છે તે બરાબર છે. પણ તમારો શેઠિયાઓમાં જ વિવાહના-લગ્નના પ્રસંગે ઉજવાય છે, અને સવજનો-નેહી-સંબંધીઓ માટે જમણુમાં પિસ્તાની બરફીઓ કરાય છે, ને ખવડાવાય છે. ત્યાં ગ્યાોગ્યને વિચાર નથી આવતું. અને દાદાની ૪૦૦મી વરસગાંઠની નવકારશી કે જેમાં–ચણાના લાડવા, ચણાના ગાંઠીયા, ચણાનું શાક અને ચાના લોટની કઢી કરાય છે, અને તમારા એક લગ્નથીયે ઓછું ખર્ચ આવે છે, ત્યાં જ દેશનેતાઓનું બહાનું મૂકાય છે.” - પૂજ્યશ્રીની સાચી વાત સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. થેડી વાર પછી શેઠ જેશંગભાઈ એ તોડ કાઢતાં કહ્યું કે આપણે બે ટીપ કરીએ. એક ટીપ સાધમિક-સહાયની, ને બીજી નવકારશીની. જેની જેમાં ઈચ્છા હોય, તે તેમાં લખાવે. કસ્તૂરભાઈ કહે : હું મારી મેળે સાધર્મિક-ભક્તિમાં બે હજાર રૂપિયા વાપરીશ. પણ આપણે સંઘમાં વિખવાદ પડે એવું નથી કરવું. સંઘ એકમતથી ને એક વિચારથી જે નક્કી કરે તે કરવાનું છે.” - આ પછી સૌ છૂટા પડ્યા. નવકારશી અંગે કંઈ નિર્ણય ન લેવાય, આથી શહેરમાં હા મચી ગઈ કે-કસ્તૂરભાઈ શેઠે નવકારશી બંધ રખાવી. આ હહાથી અગ્રણીઓ અકળાયા. તે જ દિવસે બપોરે શેઠ પ્રતાપસિંહભાઈ હાંફળાહાંફળા પૂજ્યશ્રી પાસે આવ્યા, અને પૂછ્યું : સાહેબ ! આ બાબતમાં શું કરવું છે ? પૂજ્યશ્રીએ કહ્યું : “શું કરવું કેમ ? નવકારશી કરવાની છે. અને એ માટે ટીપ કરે. પહેલાં દેશવિરતિસમાજ અને યંગમેન્સ જૈન સેસાયટીવાળાને પૂછી લ્યો કે તમારે નવકારશી કરાવવી છે? નહિતર પાછળથી એ લેકે ખાલી જુઠાણું ફેલાવશે.” એ બંને સંસ્થાવાળાને પૂછી લેવામાં આવ્યું. તેમની ના આવતાં પૂજ્યશ્રીની પાસે જ શ્રેષ્ઠિવને એકત્ર કરીને ટીપ કરી, શ્રીતત્ત્વવિવેચકસભા તરફથી નવકારશી કરવાનું જાહેર થયું. બીજા દિવસે વહેલી સવારે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શા. ગિરધરલાલ છોટાલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમને જોતાં વેંત પૂજ્યશ્રીએ પૂછયું કેમ અત્યારે વહેલાં? નવકારશી માટે જ આવ્યા છે ને ? તેમણે હા પાડતાં કહ્યું કે સાહેબ ! નવકારશી ન કરવી એવું કરતૂરભાઈનું કહેવું નથી. તેઓ તે એમ કહે છે કે એ માટે પૈસા આપવાની મારી રુચિ નથી. “તે પછી નવકારશીને આદેશ લેવા માટે નગરશેઠ પાસે સૌની સાથે કસ્તૂરભાઈએ જવું પડશે, અને નવકારશી–સમયે આવીને પાટ ઉપર બેસવું પડશે. એ નક્કી કરી લાવો.” પૂજ્યશ્રીએ સ્પષ્ટતા માગી. તરત જ તેઓ શેઠ પાસે ગયા, અને નકકી કરી આવ્યા. વૈશાખ વદ છઠને એક જ દિવસ બાકી રહેલે. એક દિવસ પહેલાં જે આ નક્કી થયું. અમદાવાદના સમસ્ત સંઘની નવકારશીની તૈયારીઓ એક દિવસમાં કેમ થાય? એ વિમાસણ હતી. પણ આખા અમદાવાદને એક રૂપિયામાં જમાડવાની કાબેલિયત ધરાવતાં અમદાવાદના શ્રેષ્ઠિઓ મુંઝાય શાના ? શેઠ ચમનલાલ લાલભાઈ વગેરેએ કમર કસીને મહેનત આદરી. ગણત્રીના કલાકોમાં તે નવકારશી અંગેની સર્વ સામગ્રી તેયાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy