SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શાસનસમ્રા ભાવના અમલી બને તે પહેલાં જ તેઓ સ્વર્ગવાસી બન્યા; આથી એ કામ ન થયું. તેમની દેરાસર ખાતાની તે મિલકત સુરદાસ શેઠની પિળમાં રહેતા તેમના સુપુત્રી શ્રી પુંજીબેન દલપતરામ પાસે પડી હતી. એમાંથી પિતાજીની મહેચ્છા પૂર્ણ કરવાની તક તેઓ શોધી રહ્યા હતા. એ અવસરે શ્રીકદંબગિરિતીર્થના પ્રસ્તુત દેરાસરના આદેશની તેમને જાણ થઈ. તરત જ તેઓ મહુવા ગયા. ત્યાં પૂજ્યશ્રીને વિનંતિ કરી : “સાહેબ ! અમારે આદેશ લેવાની ભાવના છે. હું આદેશ લીધા વગર પાણી પણ વાપરવાની નથી. આપ સાહેબની કૃપા હોય તે આદેશ મળશે.” - પૂજ્યશ્રીએ પંજીબેનની આદેશ લેવાની દઢ અભિલાષા પારખી. તેઓશ્રીએ સૌને વાત કરી કે : બેલે ! તમારા સૌની ઈચ્છા હોય તો આ પુંજીબેનને આદેશ આપીએ. આપણે રૂપિયાને વિચાર નથી કરવાને. પણ સામી વ્યકિતની ભાવના જેવાની છે. માટે તમારા સૌની ઈચ્છા થતી હોય તે આદેશ આપીએ. સૌએ કહ્યું કે સાહેબ ! આમાં અમને શું પૂછવાનું? આપશ્રીમાન દીર્ઘદ્રષ્ટા છે–મહાપુરુષ છે. આપને જે ઉચિત લાગે તે કરવાનું જ હોય. અને એમાં અમારી સંમતિ જ હોય. આમ સૌની સંમતિ જણાતાં પૂજ્યશ્રીના સાનિધ્યમાં શ્રીકદંબગિરિ તીર્થમાં બંધાનાર ભવ્ય શિખરબંધી દેરાસરને આદેશ શા. કરમચંદ કુલચંદ વતી તેમના સુપુત્રી શ્રી પુંજી બેનને અપાયે. પંજીબેનની પ્રસન્નતાને પાર ન રહ્યો. તેમના સ્વર્ગસ્થ પિતાની અને તેમની વર્ષોની શુભભાવના આજે પૂજ્યશ્રીની કૃપાથી સફળ થઈ. ખરેખર, મહાપુરુષોની દયાને પ્રકાર કેઈ નિરાળે જ હોય છે. આ પછી–એક મંગલમુહ એ જમીન ઉપર શ્રી મહાવીર પ્રભુને મહાપ્રાસાદ નવેદિત શિલ્પી સેમપુરા શ્રી પ્રભાશંકરભાઈ ઓઘડદાસની દેખરેખ તળે બંધાવે શરૂ થયે. એ જિનાલય માટે પ્રાચીન સુંદર પ્રભુપ્રતિમાની તપાસ શરૂ થઈ. પૂજ્યશ્રીની ભાવના હતી કે જ્યાં સુધી શ્રીવીરપ્રભુની પ્રાચીન પ્રતિમા મળી જાય, ત્યાં સુધી નવા ન ભરાવવા. શ્રીવીરપ્રભુની સંપ્રતિ મહારાજાના વખતની સુંદરાકાર પ્રતિમા શંખલપુરમાં છે, એ વાત તેઓશ્રીના ધ્યાનમાં હતી. તેઓશ્રીએ શ્રાવકેને તે પ્રતિમા મેળવવાનો પ્રયાસ કરવા ઉપયોગ આપે. અમદાવાદના શા. સારાભાઈ જેશીંગભાઈ તથા સાત ફુલચંદ છગનલાલ વગેરે ગૃહસ્થ ત્યાં ગયા. પૂજ્યશ્રીએ સૂચવેલી મૂર્તિના દર્શન કરીને તેઓ અતિ–આલ્હાદ પામ્યા. સ્થાનિક સંઘ પાસે તેમણે એ મૂર્તિ માટે માગણી મૂકી. ગામના શેઠે સંધ ભેગો કર્યો. વિચારણાપૂર્વક અમુક નકરો લઈને પ્રતિમાજી આપવાનું સંઘે નક્કી કર્યું. બન્ને ગૃહસ્થ બીજે દિવસે પ્રતિમાજીની પૂજા કરીને લઈ જવા તૈયાર થયા. ત્યાં જ એકાએક શેઠે ના પાડી. પ્રતિમાજી આપવાના નથી એમ જણાવ્યું. ફુલચંદભાઈ વગેરેએ તેમને ઘણું સમજાવ્યા કે-આ તીર્થના મૂળનાયક થશે. પૂ. ગુરૂમહારાજને ઘણા ગમ્યા છે, માટે તમે આપે. પણ એ લોકે ન માન્યા. છેવટે સંઘે આપેલાં પ્રાચીન પરિકરને વેગન ભરીને તેઓ પાછાં આવ્યા. આ પછી બીજે પણ તપાસ કરી, પણ મનમાની મૂર્તિ ન મળી, એટલે પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને નવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy