SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આપને ઉચિત લાગે તે ૨૨૫ પછી ટુંક સમયમાં જ જમીનની માપણી કરી અને પાકાં ૪૫ હાથ લાંબી-પહોળી જમીન અઘાટ વેચાણ લઈ લીધી. દરબારોની માંગણી પ્રમાણે ગામમાં એક સુંદર ચારો પણ બંધાવી આપે. એમાં તે વખતે ૪૦૦ રૂપિયાનો ખર્ચ થયો. વકીલ તથા કામદાર મહુવા-પૂજ્યશ્રી પાસે જઈ આવ્યા. સર્વ બીના જણાવી. પૂજ્યશ્રીને એથી અપાર હર્ષ થયે. તેઓ શ્રીમાનની વર્ષોની ભાવના આજે સફળતાના પ્રથમ પગથિયે પહોંચી ગઈ હતી. [૪૬] આપને ઉચિત લાગે છે...... જમીન લેવાઈ ગઈ. ખાતમુહત અને શિલાસ્થાપન તે પ્રથમથી જ થયેલા હતા. હવે એ જમીનમાં ૭૨ જિનાલયના નિર્માણને તથા તેને આદેશ આપવાને વિચાર ચાલ્યો. પ્રથમ તો પૂજ્યશ્રીનો વિચાર એક નાનું સરખું દેરાસર બાંધવાને હતું કે જેથી યાત્રિકોને પ્રભુદર્શન-પૂજનનો લાભ મળી શકે. પણ પછીથી એ વિચાર બદલાયે. “શ્રીનાભગણધર ભગવંતના મુખેથી આ ગિરિવરને મહિમા સાંભળીને શ્રીભરત મહારાજાએ શ્રીમહાવીર પ્રભુને ભવ્ય પ્રાસાદ અહીં કરાવ્યું હતું, એ વાત તેઓશ્રીના મરણપથમાં હતી જ. એટલે તેઓશ્રીને લાગ્યું કે–એ ભવ્ય પ્રાસાદની સ્મૃતિ કરાવે એવો શ્રીમહાવીપ્રભુને ૭૧ દેવકુલિકાસમેત મહાન પ્રાસાદ બંધાવ. તેમાં ગઈ, ચાલુ, અને આવતી ચોવીશી, વીશ વિહરમાન તથા ચાર શાશ્વતા જિન તેમજ શ્રીગણધરભગવંતાની મૂર્તિઓ પધરાવવી. આ ઉમદા વિચાર તેઓશ્રીએ શિષ્યગણને તથા વકીલ, કામદાર અને શેઠ ચીમનલાલ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા) વગેરે શ્રેષ્ઠિગણુને જણાવ્ય. સૌએ એકી અવાજે એ વધાવી લીધું. સૌને જવાબ હતોઃ “આપશ્રીમાનને બોલ પડે. એ અમારે કરવાનું આ પ્રમાણે મહાપ્રાસાદ બનાવવાનું નક્કી થયું. પછી એ જિનાલયના આદેશની વાત આવી. જિનાલયને આદેશ એટલે–એ જિનાલય આદેશ લેનાર ગૃહસ્થ તરફથી બંધાય, મૂળનાયક પ્રભુજી એના નામના ભરાવાય, અને તેમને ગાદીનશીન પણ તે જ કરે. આ મહામૂલે આદેશ લેવા માટે શેઠ માકુભાઈ શેઠ ચીમનલાલભાઈ વગેરે અનેક શ્રેષ્ઠિવારા તૈયાર થયા. અમદાવાદના વતની સ્વ. શા. કરમચંદ કુલચંદ પૂજ્યશ્રીના પરમભક્ત હતા. પૂજ્યશ્રીની સસ્પેરણુનુસાર શેરીસા પાસેના “વામજ ગામમાં એક દેરાસર બંધાવવાની તેમને ભાવના થયેલી. (વામજ ગામમાં જમીનમાંથી પ્રાચીન ભવ્ય જિનબિંબ પ્રગટ થયા હતા.) પણ એ ૧. ૩૦ હાથ લાંબી અને એક હાથ પહેળી જમીન=પાકે એક હાથ લાંબી પહોળી જમીન ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy