SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સીમલા–કરાર આપણા પૂજ્યશ્રીએ શેઠ માણેકલાલ મનસુખભાઈ, વકીલ છેટાલાલ ત્રિકમલાલ, કારભારી નરશીદાસ નથુભાઇ, તથા ઉદયપુરના શ્રીશનલાલજી ચતુર વગેરેને મેલાવીને આ તીથ અંગેના આપણા કાયદેસર હક્કની તથા કેસ લડવા માટેના વ્યાજબી મુદ્દાઓની સમજણુ આપી. પછી કહ્યું કે : “દિગ ંબરો સાથે સમાધાન કરવું એટલે શું ?–જેમને આ તી માં તલભાર પણ માલિકી-અધિકાર નથી તેમને એ અધિકાર આપણે જ સુપ્રત કરવો, (જેથી અત્યાર સુધી આપણી સચ્ચાઈ પુરવાર કરવા માટે ખર્ચેલા પૈસા તથા લડેલા કેસેા નિરર્થક જ ગણાય.) દિગ ંબરાને આપણા ધમસ્થાનામાં ભાગ આપવા, કિંગખાના જ શરતી કથન મુજબ તેઓ કહે તેા જ આપણે આ તીર્થાંમાં પ્રતિમા પધરાવાય, અને તે કહે તેવાં જ ચરણ-પગલાં આપણે પધરાવવા પડે. આવું સમાધાન કરવું એ આપણા માટે ભારે હાનિકારક છે. અને આ સમાધાનથી દિગંબરાને પૈસા ખરચ્ચા વગર અને લેગ આપ્યા વિના જ જોઈતા અધિકારા સસ્તામાં મળી જશે. માટે આ સમાધાનની વાતો જવા દે, અને કેસ લડો. ૨૧૭ પૂજ્યશ્રીની આ દીર્ઘ દ્રષ્ટિભરી સલાહ આગેવાનેાના ગળે ઉતરી. અને તેમણે કમ્પ્રેામાઈઝમાં વિરોધ ઉઠાવ્યા. કેસ ચાલ્યા. એ કેસના ફૈસલેા આ ૧૯૮૪ના વર્ષે આવી ગયા. એમાં આપણ્ણા આંશિક વિજય થયા. આપણી શિથિલતા, આપણા મતભેદો જ આનુ' કારણ હતાં. હઁગ ખાને તે આંશિક પરાજય મળ્યા છતાંય અમુક અંશે પૂના કરતાં અધિક અધિકાર મેળવવાને તે સમથ બન્યા હતા, તેથી આનંદ જ હતા. આ કેસ પત્યા પછીના દિવસેામાં આ કેસમાં મહત્ત્વના ભાગ લેનાર માહાશ શ્રાવક વકીલ શ્રીકેશવલાલ અમથાશાહે પૂજ્યશ્રી ઉપર એક પત્ર લખ્યા હતા, એ પત્રમાં તેઓ આપણા વિજયની આંશિકતાના હેતુના ઉલ્લેખ કરતાં જણાવે છે કે : શ્વેતાંખરામાં ગુજરાતમાં પણ કુસંપ છે, એ સ્પષ્ટ રીતે દેખાઈ આાળ્યું હતું. આપ જેવા મહાન આચાર્ય દેવેશ શાસનરથ ચલાવા છે. પરંતુ હાલના નાદાન વગ આપની સલાહ લેતા નહીં હાવાથી તીર્થોનું સંરક્ષણુ ખરાખર થઈ શકતું નથી. દિગબરીમાં પૈસા છે, વિદ્વાના છે, સંપ છે, એના કરતાં વધારે આપણામાં છે, એ મારા અનુભવ ઉપરથી હું સ્પષ્ટ રીતે કહી શકું તેમ છું. આપણામાં પૈસા છે, વિદ્વાના છે, ઉત્સાહ છે, પરંતુ માન્ક(?)ની દુ་ભતા ? ઘણા પૈસા ખરાખ થાય છે. પરંતુ ધાર્યું કાયર નથી થઈ શકતું. કેટલાંક કેસા ન લડવા જેવા લડાય છે. અને પહેલેથી પુરાવા ખરાબર કરવા જોઈ એ તે પ્રમાણે થતુ નથી.” ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy