SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શાસનસમ્રાટ તથા દેખરેખ માટે “શ્રીકાપરડા તીર્થ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની મંગળ સ્થાપના કરી. પાલીના શ્રીકુલચંદજી નામના એક ગૃહસ્થને પેઢીમાં મુનીમજી તરીકે રાખી લીધા. તેમણે પણ ત્યાં આવીને કાયમી પ્રભુપૂજા શરૂ કરી. ગઢના પ્રવેશદ્વારની ઓરડીઓ સાફ કરી ત્યાં-દરીખાનામાં જ પેઢીની ગાદી બીછાવી. દેરાસરનું સમારકામ શરૂ કરાવ્યું. તેઓ નીડર તથા કડક સ્વભાવના હોવાથી જાટલોકો તેમને આમ કરતાં અટકાવી ન શક્યા. ત્યારબાદ પૂજ્યશ્રી પુનઃ બિલાડા પધાર્યા અને ત્યાંથી જત થઈને પાલી પધાર્યા. પાલી-શ્રી સંઘની આગ્રહપૂર્ણ વિનંતિથી સં. ૧૯૭૪ નું ચાતુર્માસ ત્યાં કરવાનું સ્વીકાર્યું. ચોમાસા પૂર્વેઘાણેરાવવાળા શ્રીમૂળચંદજી જાવંતરાજજી અહીં પૂજ્યશ્રીને વંદન કરવા આવ્યા, અને તેમણે વિનંતિ કરી કે સાહેબ ! આપ અહીં પધાર્યા છે, તો મારી ભાવના છે કે-આપશ્રીની નિશ્રામાં એક અઠ્ઠાઈ મહોત્સવ તથા નવકારશી કરવાને લાભ મને મળે. - પૂજ્યશ્રીએ ફરમાવ્યું : “તમારી ભાવના ઘણી ઉત્તમ છે. પણ શ્રીકાપરડાજીના ઉદ્ધારમાં પણ તમારે લાભ લેવા છે.” “સાહેબ! આપનું વચન મારે પ્રમાણ છે. પણ મારી આ ભાવના મને પૂર્ણ કરવાની રજા આપો. એટલે પૂજ્યશ્રીએ સંમતિ આપતાં મૂળચંદજીએ પાલીમાં ઘણું ઉલ્લાસથી અઠ્ઠાઈ–મહોત્સવ તથા નવકારશી વિ. શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. આ પ્રસંગે તેમના ભાગીદાર શ્રી જસરાજજી અનેપચંદજી, સાગરમલજી પરવાળ તથા સલેરાજજી વિ. આવેલા. તેમણે પૂજ્યશ્રીના ઉપદેશથી કાપરડાજી માટે રૂ. સાડા ત્રણ હજાર નોંધાવ્યા. મૂળચંદજીએ સાડા સત્તરસે રૂપિયા આપ્યા. બિલાડાવાળા પનાલાલજી વગેરેએ પણ ટીપમાં સારી રકમ નોંધા વતા લગભગ છ હજારની ટીપ થઈ. આ બાજુ-ચોમાસામાં અમદાવાદથી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ પૂજ્યશ્રીને વાંચવા માટે આવ્યા. તેમને ઉપદેશ કરતાં તેઓએ રૂ. ૩ હજાર જીર્ણોદ્ધાર માટે આપ્યા. એટલે કુશળ સોમપુરા દ્વારા કાપરડાજીને જીર્ણોદ્ધાર શરૂ થયો. ચારે મજલે પ્રતિમાજી સ્થાપન થઈ શકે, તે માટે પબાસણ-ગાદી વગેરે વ્યવસ્થિત કરવામાં આવ્યું. હવે-શ્રી પનાલાલજી, શ્રી ધૂલાચંદજી રાંકા, ગજરાજજી સીંધી, જાલમચંદજી વકીલ વગેરે જુદા જુદા ગામના અગ્રણી ગૃહસ્થ પાલી આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે - ચોમાસા પછી આપ સાહેબના પવિત્ર હસ્તે જ આ તીર્થની પ્રતિષ્ઠા થવી જોઈએ. પ્રતિષ્ઠાની વાત વિચારતાં પૂજ્યશ્રીના ચિત્તમાં એવી ભાવના થઈ કે “કાપરડાની ઉન્નતિ તથા પ્રસિદ્ધિ સવિશેષપણે ત્યારે જ થાય કે જ્યારે કેઈ ભાવુક આત્મા સંઘ લઈને ત્યાં જાય, અને હજારે આત્માઓ એ તીર્થની યાત્રા કરે. કારણ કે-સંઘમાં આવેલા હજારે આત્માઓના હૃદયમાં તીર્થનું જ એક ધ્યાન હાય, અને તે ધ્યાનના પ્રભાવે એ તીર્થક્ષેત્રનું માહાત્મ્ય પણ જાગૃત બને.” અને–“કાદશી માવના જ, ઉત્તર્મિત સાદી” જેવી જેની ભાવના, સિદ્ધિ પણ એને એવી મળે જ. પૂજ્યશ્રીની આ પવિત્ર ભાવના સદ્ય ફળી. ફલેધીવાળા શ્રાવકવર્ય શા. કિશનલાલજી સંપતલાલજી કે જેઓ પાલીમાં રહેતા હતા, તેમને કાપરડાજી www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy