SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શાસનસમ્રાટ રસી મૂકીને જ જવા-આવવા દેતા હતા. આમ પ્રવેશબંધી જેવું થઈ ગયું હતું. પૂજ્યશ્રી આદિને પણ તેઓએ અટકાવ્યા. પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યા કે અમે જેનમુનિઓ આહારવિહારમાં ઘણું નિયમિત તથા કડક હાઈએ છીએ, માટે અમને જવા દે. ત્યારે તેઓએ જવા દીધા. કમે કરીને નાગોર પધાર્યા. પંદરેક દિવસ સ્થિરતા કરી. ઉપાશ્રયની બાજુમાં એક મોટું મકાન હતું, તે સંબંધી ઉપદેશ આપતાં તે મકાન તેના માલિક-શ્રાવક ઉપાશ્રય ખાતે સમર્પણ કરી દીધું. નાગરથી વિહાર કરતાં માર્ગમાં અજવાણું ગામે નાગરવાળા શા. ભરૂબક્ષ કાનમલજી સમદડીયા વંદનાથે આવ્યા, ત્યારે પૂજ્યશ્રીએ તેમને પ્રેરણાત્મક ઉપદેશ આપે. પરિણામે તેમણે નાગરમાં તપાગચ્છની વાડી, ધર્મશાળા તથા દેરાસર બંધાવ્યા. ખજવાણુથી મેડતા રોડ-શ્રીફલવૃદ્ધિ(ફલેધિ) પાશ્વનાથના તીર્થની યાત્રા કરીને મેડતા પધાર્યા. મેડતા રેડમાં સં. ૧૧૮૧માં પૂઆ. શ્રીધર્મઘોષસૂરિજીએ શ્રીફલેધીપાર્થ પ્રભુની પ્રતિષ્ઠા કરેલી. ત્યારબાદ સં. ૧૨૦૪માં પૂ. આ. શ્રી વાદિદેવસૂરિજીએ પુનઃ પ્રતિષ્ઠા કરી. મેડતામાં મહાયોગીશ્રી આનંદઘનજી મ. તથા મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. ના નામથી પ્રસિદ્ધ મોટા ઉપાશ્રય છે. કહેવાય છે કે એ બન્ને મહાપુરૂષો આ તરફ ઘણીવાર વિચરેલા. અહીં પૂ. ઉપાધ્યાયજી મ.એ ઘણા ગ્રંથો રચેલા. અહીં ૧૪ દેરાસરે છે. પૂ. ઉપા. શ્રીધર્મસાગરજી મ.ના સમયમાં અહીં તપા, ખરતર તથા ઊકેશ ગચ્છીને શાસ્ત્રાર્થ થયેલ. જેમાં કહે છે કે તપાગચ્છને વિજય થયેલે. શ્રી ધર્મસાગરજી મ.ના પરમભક્ત શા. કલ્યાણમલજી કે–જેમને ઉપાધ્યાયજી મ. સાથે અદ્દભુત પ્રસંગ આજે પણ પર્યુષણ પર્વમાં “ક્ષમાપના કર્તવ્યના દષ્ટાન્ત તરીકે વર્ણવાય છે–તેઓ આ મેડતાના શ્રાવક હતા. અહીં અઠવાડિયું સ્થિરતા કરીને પૂજ્યશ્રી જયતારણ(જેતારણુ) પધાર્યા. અહીં જેની વસતિ ઘણી હતી. ચાર દેરાસરે હતા. અહીં ભંડારમાં સુવર્ણ અક્ષરે લખાયેલ “શ્રી ભગવતી સત્ર વગેરે ગ્રંથ હતા. એ સર્વને દર્શન કરીને ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પૂજ્યશ્રી બિલાડા પધાર્યા. માર્ગમાં કેકીંદ ગામે તેઓશ્રીને ઠલ્લા થઈ ગયા. એક દિવસ તે ૫૦ ઠલ્લા થઈ ગયા. બિલાડા ગામે પધારીને ત્યાં યોગ્ય ઉપચાર શરૂ કર્યા. એથી ધીરે ધીરે સ્વસ્થતા આવવા લાગી. બિલાડામાં પાંચ સુંદર–પ્રાચીન જિનાલય હતા. સ્થાનકમાગીઓની વસતિના બાહુલ્યને કારણે દેરાસરની આશાતના થતી જઈને ઉપદેશદાનદ્વારા પૂજ્યશ્રીએ તે બંધ કરાવી. અને જીર્ણ દેરાસરને ઉદ્ધાર કરાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy