SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શાસનસમ્રાટુ પેટને ખાડે પૂરવા માટે પિતાના કિંમતી પશુધનને માનવ પાણીના મૂલે વેચવા માંડ્યો. સુખ-દુઃખના સંગાથી–નિર્દોષ પ્રાણીઓ એને ભારરૂપ લાગ્યા. આ વખતે આપણા ચરિત્રનાયકશ્રી બહારની વાડીએ બિરાજતા હતા. વ્યાખ્યાન વાંચવા માટે તેઓશ્રી હંમેશ શહેરમાં પધારતા. એકવાર નિત્યનિયમ પ્રમાણે તેઓશ્રી શહેરમાં વ્યાખ્યાનાથે પધારી રહ્યા હતા. સાથે કેટલાક મુનિવરે, તથા શા. કેશવલાલ અમથાલાલ વકીલ, શ્રી લક્ષ્મીચંદ ભૂધર બગડીયા (બોટાદ) વિગેરે શ્રાવક હતા. સવારને એ સમય હતો. લોકો ઉલ્લાસભેર પ્રાતઃકાર્ય આટોપીને સ્કૃતિથી દનિક કાર્ય ક્રમમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા. આ વખતે માર્ગ પર થોડે દૂર એક માણસ ભેંસના ટેળાને દોરી જતો હતો. સહસા પૂજ્યશ્રીની નજર તેના પર પડી. મેં એની ચાલ તથા તેના દેરનારના દેખાવથી તેઓશ્રીને અણસાર આવી ગયું. તરત જ તેઓશ્રીએ પૂછ્યું: લકમીચંદઆ ભેંસે કયાં લઈ જવાય છે ? કોણ લઈ જાય છે ? - લક્ષ્મીચંદભાઈ એ તપાસ કરીને જણાવ્યું કે લઈ જનાર કસાઈ છે, અને કસાઈખાને વધ માટે ભેંસને લઈ જાય છે. આ સાંભળીને દયાની મૂર્તિમંત અવતાર સમા પૂજ્યશ્રીનું હૈયું દ્રવી ઉઠયું. તેઓશ્રીના મનમાં મંથન ચાહ્યું કે રે ! અમ સમા દયા ધર્મના ઉપદેશક અને પાલક બેઠાં છે, તેય આ ઘોર હિંસા થાય? નહિ, નહિ, નહિ, આ પ્રાણીઓને કઈ પણ ભોગે મૃત્યુ-મુખમાંથી ઉગારવા જ જોઈએ. તરત જ તેઓશ્રીએ શ્રી કેશવલાલ વકીલને કહ્યું: “વકીલ ! આ નિર્દોષ પ્રાણીઓ કઈ પણું ભેગે-ઉપાયે બચી જવા જોઈએ, તેમને વધ ન જ થ જોઈએ.” કેશવલાલભાઈ તથા લક્ષમીચંદભાઈએ તક્ષણ તેઓશ્રીના આ વચનને અમલ કર્યો. પેલા કસાઈ પાસે જઈને થોડી સમજાવટથી, ડી ધાક-ધમકીથી, ભેંસોને છોડાવી લીધી. અને એમને અભયદાન આપીને પાંજરાપોળ મોકલી આપી. ભેંસે પણ જાણે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતી હોય, તેમ પૂજ્યશ્રીની સામું જોઈને ભાંભરતી-ભાંભરતી ચાલી ગઈ. આ બનાવથી પૂજ્યશ્રીના અંતરમાં ઘણું જ દુઃખ થયું. ભેંસોને કસાઈખાને લઈ જવાઈ રહ્યાનું એ દશ્ય હજી એમની આંખ સમક્ષ તરવરતું હતું. તેઓશ્રીને થયું કે આ તે આપણે જોઈ ગયા એટલે છોડાવી. પણ આવાં તે કેટલાંય નિર્દોષ પ્રાણીઓ પ્રતિદિન હણતાં હશે ? રે ! આ મૂંગા પ્રાણીઓનું કેશુ? આવા વિચારમાં ને વિચારમાં તેઓશ્રી ઉપાશ્રયે પહોંચ્યાં. વ્યાખ્યાન શરૂ થયું. આજે તેઓશ્રીએ જીવદયા વિષે દર્દી–ભર્યા અને સામાના અંતરતલને સ્પર્શી જાય એવા સ્વરે ઉપદેશ આપે. હજારોની સંખ્યામાં હણાઈ રહેલા આ પ્રાણીઓના બેલી થવાની તેઓશ્રીએ હાકલ કરી. અને તે જ વખતે જીવદયાની ટીપ શરૂ કરાવી. ગણત્રીના જ દિવસોમાં તેઓશ્રીના પ્રેરક ઉપદેશને ચમત્કાર સર્જાશે. મૂંગા પ્રાણીઓને છોડાવવાની-અભયદાન આપવાની ટીપમાં રૂ. ૧ લાખ (દોઢ લાખ) નેધાયાં. અને અભયદાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy