SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ જ્ઞાતિભેદનિવારણ પ્રશ્ન ઉપાડો જોઈએ. આમ દશા અને વીશા શ્રીમાળીને અમુક વર્ગ આ બાબતમાં એક થઈ ગયો. અને એ વર્ગો બને જ્ઞાતિના અમુક આગેવાનોની સહીઓ સાથે સંઘપતિ નગરશેઠ ચીમનભાઈ ઉપર શેઠ અંબાલાલભાઈને સંઘ બહાર મૂકવાની અરજી મોકલાવી. પણ નગરશેઠ વિ. સંઘાગ્રણીઓ સમજદાર હતા. તેમણે વિચાર્યું કે –એક નજીવી બાબતને મેટું સ્વરૂપ આપીને અંબાલાલભાઈ જેવી વ્યકિતને સંઘ બહાર મૂકવાનું કઈ પ્રયોજન નથી. અને તેમ કરવું, તે સંઘને જ હાનિકર છે. અને આ જ કારણથી કે-કદાચ સંઘ કેઈ મહત્વના કાર્ય પ્રસંગે એકઠો થાય, તે બન્ને જ્ઞાતિવાળા લેકે અંબાલાલભાઈને સંઘ બહાર મૂકવાની હિલચાલ મોટા પ્રમાણમાં કરે, તે માટે તેઓ-નગરશેઠ વિગેરે અગ્રણીઓ સંઘ પણ ભેગે કરતા નહોતા. આથી સંઘના કેટલાક મહત્ત્વના કાર્યોમાં પણ વિલંબ થવા લાગે. આ દરમ્યાન જ્ઞાતિના જ કોઈ માણસે શેઠ અંબાલાલભાઈના માતા-પિતા ઉપર બેટા આક્ષેપ કરતું પેમ્ફલેટ(Pamphlet)બહાર પાડયું. આથી શેઠ આખી જ્ઞાતિ ઉપર કાયદેસર પગલાં લે, એવી તંગ પરિસ્થિતિ સર્જાણી. આ પરિસ્થિતિ થાળે પાડવા માટે મોટા મોટા શ્રેષ્ઠિઓ-આગેવાનોએ ઘણા પ્રયાસે કર્યા, પણ સમાધાન વધારે અશકય બનવા લાગ્યું. ત્યાં સુધી કે–અમદાવાદના સંઘમાં પણ બે ભાગલા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ આથી આપણે પૂજ્યશ્રીમાન જ્યારે ધોલેરાથી અમદાવાદ તરફ વિહાર કરતાં કરતાં બાવળા મુકામે પધાર્યા (માસા પૂર્વે), ત્યારે ત્યાં સુરતને સંઘ વિનંતિ કરવા આવેલ, પણ ત્યાં જ શેઠશ્રી મનસુખભાઈ વિ. અમદાવાદના આગેવાને આવ્યા, અને તેઓએ પૂજ્યશ્રીને વિનંતિ કરતાં કહ્યું કે : સાહેબ ! શેઠ અંબાલાલભાઈના પ્રશ્નને અત્યારે ખૂબ ગંભીર સ્વરૂપ લીધું છે. એને ઉકેલ હવે આપ શ્રીમાન સિવાય કોઈ લાવી શકે તેમ નથી. માટે કૃપા કરીને આપ સાહેબ આ વર્ષે તે અમદાવાદ પધારે, અને આનો ઉકેલ કરે. જેથી શ્રીસંઘમાં શાન્તિ થાય, અને સંઘને કાર્ય–રથ નિર્વિધ્રપણે ચાલવા લાગે. આ કારણથી પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાનું સ્વીકાર્યું, અને પધાર્યા. શેઠ અંબાલાલભાઈ ને પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. એક વાર તેઓ વંદનાથે આવ્યા, અને પૂજ્યશ્રીને કહ્યું કે કાર્ય સેવા ફેરમાવો. સમયના જાણ પૂજ્યશ્રીએ કહ્યું: “અંબાલાલભાઈ ! શેઠ મગનભાઈ કરમચંદ આખી દશા શ્રીમાળી જ્ઞાતિના ૧૨૦૦ ઘરના શેઠ હતા. હવે આપણે જ્ઞાતિમાં તડ પાડીને અર્ધ-જ્ઞાતિના શેઠ બનવું નથી. માટે જે રીતે જ્ઞાતિમાં શાન્તિ સ્થપાય એ રીતે ગ્ય સમાધાનના માર્ગે આવવું, એમાં જ તમારૂં, જ્ઞાતિનું, અને અમદાવાદના શ્રીસંઘનું હિત સમાયેલું છે.” અંબાલાલભાઈની ઈચ્છા પતાવવાની નહોતી. પણ “જીવવત્ત શિવા ર” એ ઉકિતઅનુસાર પૂજ્યશ્રીરૂપ ગુરૂદેવના વચનને પિતાની ગમે તેવી ઉત્કટ ઈચ્છા કરતાં પણ અધિક માનનાર અંબાલાલભાઈએ કહ્યું: સાહેબ ! આપનું વચન મારે આંખમાથા પર છે. હવે આપશ્રીના માર્ગદર્શનાનુસાર સમાધાન થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy