________________
શાસનસમ્રાટ્
અને અદ્ભુત હતી કે તેઓશ્રી કાઈપણ સૂત્ર કે ગ્રંથ વાંચે. તેા પણ તત્ત્વરૂચિમાન્ શ્રોતાઓને મન તેા ગાળનું ગાડું મળ્યા જેવા આનદ આવતા. પણ આ વખતે લોકોને તેઓશ્રીના મુખથી શ્રીભગવતીસૂત્ર સાંભળવાની તીવ્ર ઉત્કંઠા થવાથી તેઓએ તેએશ્રીને તે માટે વિનતિ કરી.
૧૧૪
પૂજ્યશ્રીએ તેને પ્રસ્તુત સૂત્ર વહેંચાય, તે તે દિવસેામાં કરવાના-એકાસણાં કરવા, દેવવંદન કરવું, ધૂપ-દીપના ઉપયોગ સાથે સૂત્રમાં વારવાર આવતા શ્રીગૌતમસ્વામી મહારાજના નામ પર પૂજા કરવી, વિ. વિધિ ખતાન્યા. ઉત્સાહી લેાકેાએ તરત જ તે વિધિ કરવાનુ સ્વીકારી લીધું. અને અનેક આત્માએ એ વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા.
આથી પૂજ્યશ્રીએ શુભ-મુહૂતે “પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર” તથા ભાવના-અધિકારે સૂરિપુર દર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પ્રણીત “શ્રી સમરાઈચ્ચ-કહા” ની દેશના શરૂ કરી.
વાચનના પ્રારંભે શેઠ શ્રીમનસુખભાઈ ભગુભાઈ વિ.એ મહાત્સવ કર્યાં. તેમજ વાચન– પ્રાર’ભદિનથી શેઠ મનસુખભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ દલપતભાઇ મગનભાઈ, શેઢ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ મેાહેાલાલ મૂળચ ંદ, વિગેરે સંઘના પ્રતિષ્ઠિત અગ્રણીએએ હાજરી આપવા માંડી, પ્રથમ દિવસે શ્રેષ્ઠિએએ સૂત્રનુ સુવણુ મહેારાથી પૂજન કર્યુ હતું.
દિન-પ્રતિદિન શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. આથી ઉપાશ્રયની જગ્યા નાની પડવાથી નજીકમાં આવેલી શેઠશ્રી જેશીગભાઈની વાડીમાં વિશાળ મંડપ માંધવામાં આવ્યેા. અને પૂજ્યશ્રી હમેશા ત્યાં વ્યાખ્યાન વાંચવા પધારતા.
શેઠશ્રી અંબાલાલ સારાભાઈ પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તથા વન્દ્રનાથે ઘણીવાર
આવતા.
તેમના પૂજ કરમચંદ પ્રેમચંદે શ્રીસિદ્ધગિરિજી ઉપર ટુક અંધાવેલી. અને શેઠ મગનલાલ કરમચંદે પણ અનેક સ્થળેાએ ધમ શાળા-ઉપાશ્રય-દેરાસર વિ. ખોંધાવેલ છે. ૧
તે દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. તેમણે પોતાની બહેનને ધેાલેરાવાળા એક સ્થાનકવાસી ભાઈ વેર (ઘાળખહાર) પરણાવી હતી. જોકે એ ભાઈની પાસે સાધારણના એક રૂપિયા ભરાવી, વીશસ્થાનકની પૂજા ભણાવરાવી, તે મૂર્તિપૂજક તરીકે તેમને સ્વીકાર કરાવ્યો હતા. અને તે રહેતા હતા—એ ધનાસુતારની પોળના પાંચમાં પણ તેમને દાખલ કરાવ્યા હતા. પણ આ કાય પાતે પોતાના બંગલે જ્ઞાતિને જણાવ્યા સિવાય જ કરેલ હેાવાથી જ્ઞાતિના અધ ઉપરાંત લાકો વિરૂદ્ધ થયા હતા. તેમણે આ કાણુને આગળ ધરીને શેઠને જ્ઞાતિ-મહાર મૂકવાની ઝુંબેશ ઉપાડી.
પણ અંબાલાલભાઈ જ્ઞાતિના આગેવાન હતા. અને તેઓ એકલે હાથે જ્ઞાતિને પહેાંચી વળવાની તાકાત ધરાવતા હતા. એટલે દશાશ્રીમાળી જ્ઞાતિવાળાઓએ વીશાશ્રીમાળી જ્ઞાતિના આગેવાનને પણ તેમની વિરૂદ્ધ ઉશ્કેર્યા કે : આ તે ધર્મ વિરૂદ્ધ કાં છે, માટે સ ંઘે આ
૧-અમદાવાદમાં-દોશીવાડાની પાળવુ અષ્ટાપદનું દેરાસર, ધીકાંટા પરનું શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનુ દેરાસર, તથા કામેશ્વરની પેાળનું દેરાસર—એ બધાં એમણે કરાવેલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org