SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થોદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ ૧૦૫ ' છેવટે નિર્ણય થયો કેઃ પૂજ્યશ્રીએ અમને (કામળિયા દરબારને ઉપદેશ આપીને અમારા દુવ્યસને છોડાવ્યા છે.” એવી હકીકત દસ્તાવેજમાં આવે તો અમારે આ દસ્તાવેજ કબૂલ છે. - સૌ આ વાતમાં સંમત થયા. દસ્તાવેજ લખાયે. તેમાં ઉપરવાળી હકીકત લખાઈ. અને કામળિયા દરબારોએ ડુંગર ઉપર પસંદ કરાયેલા ૯ ઑટે શેઠ આ. ક.ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપ્યા. દસ્તાવેજ રજીસ્ટર્ડ (Registered) કરાવવા માટે સેનગઢ થાણાના ઉપરી અધિકારી પાસે જવું પડતું, તેથી પેઢીના મુનીમજીને બોલાવી દસ્તાવેજ લઈને સોનગઢ મોકલ્યા. બધાના સહી-સિક્કા સાથે દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયે. આમ તીર્થોદ્ધારના શ્રીગણેશ મંડાયા. તીર્થોદ્ધાર એ આપણું પૂજ્યશ્રીના જીવનના અનેક ઉચ્ચતમ ધ્યેયોમાંનું એક પરમધ્યેય હતું. અને એ દયેય સિદ્ધ થવાને મંગલ-પ્રારંભ તેઓશ્રીના પવિત્ર હસ્તે નિર્વિઘતયા થઈ ગયે. “વિમાર્ચે મહામનામું.” બેદાનાનેસથી પૂજ્યશ્રી ચોક પધાર્યા. અહીંના કામળિયા દરબારોએ પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને શ્રી હસ્તગિરિરાજના ડુંગર ઉપરની અમુક જગ્યા પેઢીને વેચાણ આપવા નક્કી કર્યું. પણ તત્કાલીન અમુક સંયોગને અનુસરીને પૂજયશ્રીએ તે જગ્યા લેવાની ના જણાવી. ચેકથી રોહિશાળા ગામ નજીક હતું. ત્યાં પધાર્યા. અહીં પિઢીની એક જુની ધર્મશાળા, બે એરડા, તથા પશુઓ માટે ઘાસ ભરવાનું એક છાપરૂં વિ. હતું. પહેલાં અહીં ગરાસિયાઓ પાસે પેઢીને અમુક રકમ લેણ હતી. પણ પેિઢીએ તે રકમ માંડી વાળી, અને બીજી ઘેડી રકમ આપીને અમુક એકર જમીન તેઓની પાસેથી વેચાણ લઈ લીધી હતી. રહિશાળાના પાદરે શેત્રુંજી નદી વહેતી હતી. અહીંયા શ્રી આદીશ્વર પ્રભુના ચરણપાદુકાની વર્ષો જુની દેરી હતી, જે રોહીશાળાની પાજ–પાગના નામે ઓળખાતી હતી. અહીંથી શ્રી શત્રુંજયગિરિરાજની યાત્રા માટે ચઢાતું હતું. ઉપર ચઢતાં અધ–રસ્તે એક કુંડ (કનેરામને કુંડ) આવતો હતો. રેન્ડિશાળાથી માંડીને એ કુંડ પર્યન્તની સર્વ જગ્યા એજન્સીની હકુમત હતી. અને કુંડની પેલી બાજુની સર્વ જમીન પાલિતાણુ-દરબારની હકુમતની હતી. આ પાછલા રસ્તે, ઘણાં યાત્રીઓ યાત્રા કરવા માટે ચઢતા. આ બધી જમીન વિ. જોઈને આપણું પૂજ્યશ્રીમાનને વિચાર આવ્યો કે “અહીં રેહિશાળાની જમીનમાં તળાટી-ધર્મશાળા વિ. તથા ઉપર ચઢતાં કુંડ પાસે આવેલી સપાટ જગ્યા વેચાણું લઈ તેમાં ભવ્ય જિનમંદિર બાંધવામાં આવે તે ઘણું ઉત્તમ કાર્ય થાય. કેઈકવાર પાલિતાણા–રાજ્ય તરફથી કનડગત થાય, ને જયતલાટીવાળા રસ્તે યાત્રા બંધ કરવાનો પ્રસંગ આવે, તે આ રહીશાળાની પાગના પાછલે રસ્તે લોકો સુખપૂર્વક દાદાની યાત્રા કરી શકે, અને સ્ટેટને કાંઈ પણ રખેમું આપવું ન પડે. ઉપર ચઢતાં માર્ગમાં કુંડની પિલી તરફ પાલિતાણું સ્ટેટને રસ્તે આવે, પણ તે જાહેર માર્ગ–રાહદારી માર્ગ ગણાય, એટલે તે માટે સ્ટેટ કાયદેસર કાંઈ વાંધો લઈ ન શકે.” ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy