SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શાસનસમ્રાટું ' અને ત્યાં જ મનોમન તીર્થોદ્ધારને નિર્ધાર થઈ ગયો. એની સાથે એ કાર્ય આરંભ પણ થઈ ચૂકયે. એ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતનો પ્રવાહ ધોધમાર વછૂટ. અમૃતનું સિંચન ગમે તેવી નીરસ ધરતીને પણ સરસ અને પલવિત બનાવી દે છે, તો આ તે ઉપદેશામૃતને ધોધમાર પ્રવાહ હતે. એનાથી કંઈક ભદ્ર પરિણામી જીવોના-કામળિયાઓના હૈયાં આદ્ર બન્યાં, તેઓએ હિંસા વિગેરે વ્યસનને ત્યાગ કર્યો. અરે ! ત્યાં ગામમાં આગેવાન ગણાતા દરબાર આપાભાઈ કામળીયા વિ. તે પૂજ્યશ્રીના પરમશ્રદ્ધાળુ ભક્ત બની ગયા. ખરેખર ! જ્યાં સ્થાવરતીર્થ અને જંગમતીર્થ એ ઉભયતીર્થની પવિત્રતમ છાયા હોય, ત્યાં ક ભદ્રજીવ એમાં આળેટીને પિતાના આત્માને પાવન બનાવવાનું ચૂકે ? પૂજ્યશ્રીના ઉપદેશથી વ્યસન–મુક્ત બનેલા કામળિયા દરબારો પૂજ્યશ્રીના ઉપકારનો બદલો વાળવાની ભાવનાવાળા થયા. પૂજ્યશ્રી તે દરબારોને લઈને ગિરિરાજ ઉપર પધાર્યા. ત્યાં જઈને દરબારો સમક્ષ તેઓશ્રીએ પિતાની ઈચ્છા વ્યકત કરી કે “આ ગિરિવર ઉપરની અમુક અમુક (અમે પસંદ કરીએ તે) જગ્યા તમે શેઠ આ. ક. ની પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ આપે. ત્યાં અનેક ધર્મસ્થાને ઉભાં થશે, તેમાં ધાર્મિક કાર્યો થશે, અને તેથી તમારું પણ શ્રેય થશે.” | દરબારે કહે અમારે વેચવી નથી. આપને ભેટ આપવી છે. જે આપ સાહેબ સ્વીકારો તો આ ગામ પણ ભેટ આપવા અમે તૈયાર છીએ. પૂજ્યશ્રીએ તેમની પરીક્ષા ખાતર જુદા જુદા સ્થાને ૯ પ્લેટ ભારે પરિશ્રમ ઉઠાવીને નકકી કર્યા. એમાં કેટલાક દિવસો થયા. ત્યાર પછી તે વખતના ત્યાંના એક ખાતેના એજ ન્સીના) થાણદાર શ્રી વખતસિંહજી, કે જેઓ લાલીયાદના ક્ષત્રિય હતા, અને પૂજ્યશ્રીના પરમ ભકત હતા તેમને, ચાક ગામના શ્રાવક વકીલ શ્રીગોવધનદાસને, જેસરના કામદાર વાસા પાનાચંદભાઈને, તથા અમદાવાદથી શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓને બોલાવીને એ ૯ પ્લેટના વેચાણ દસ્તાવેજ લખાવવાની શરૂઆત કરી. આ જોઈને કામળિયાઓ બેલ્યાઃ અમે તો પૂજ્ય ગુરૂમહારાજના નામ ઉપર ભેટ આપીએ, પેઢીના નામે વેચાણ નહિ. પૂજ્યશ્રીએ તેઓને ધાર્મિક નિયમાનુસાર તેમ કરવા ના કહી. ત્યારે દરબારે કહેઃ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિજી મહારાજના નામે અકબર બાદશાહે સનંદ આપી છે, તે આપને આમાં શું બાધ છે ? પૂજ્યશ્રીએ કહ્યું. “ભાઈ હું હીરવિજયસૂરિ નથી, હું તે એમના ચરણની રજ સમાન છું.” પણ દરબારની ભક્તિએ તે હદ કરી. તેઓ કહે: આપ ભલે ગમે તેમ કહો, પણ અમારે મન તે આપ એવા જ મહાપુરૂષ છે. આપશ્રી ભલે આ જમીન ભેટ તરીકે ન સ્વીકારો પણ દસ્તાવેજમાં આપનું નામ તે જોઈએ જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy