SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આવી દૂર દેશી ભાવનાથી તેએશ્રીએ કુંડ પાસેની જમીન ગરાશિયાએ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવા વિચારણા કરી. અને એ માટે એ ગરાસિયાઓને ઉપદેશ પણ આપ્યા. એથી ગરાશિયા એ જમીન પેઢીને વેચવા માટે તૈયાર થયા. ૧૦૬ દીર્ઘદ્દેશી પૂજ્યશ્રીની દૂર ંદેશીપૂર્વકની આ ભાવના શેઠ કુંવરજી આણંદજી, શેઠ અમરચંદ જસરાજ, તથા શેડ મનસુખભાઈ ભગુભાઈ વગેરે પેઢીના સર્વ અગ્રણીઓને ખૂબ જ ગમી ગઈ. તેઓએ વિચાયુ. કે-લાખા રૂપિયાના ખર્ચે ન બને એવુ` કા` પૂજ્યશ્રીના હાથે સરળતાથી ખની રહ્યુ છે. માટે તે કાને વધાવી લઈને, એમાં વેગ મળે તેવું આપણે કરવુ જોઈ એ. પણ પેઢીના કેટલાક પ્રતિનિધિઓનુ કહેવુ એમ થયું કે પેઢી અને પાલિતાણા-ઠાકાર, અન્ને વચ્ચે સમાધાનની વાતા ચાલે છે. એ માટે સીમાના નકશાઓ પણ તૈયાર થાય છે. માટે આ કાર્ય ન કરાય તો સારૂ આથી, સૌના સલાહ-સંપથી જ કાર્ય કરવામાં માનનારા પૂજ્યશ્રીમાને એ કામ બંધ રાખ્યું, અને રોહિશાળા-ડુંગરવાળી જમીનના અર્ધું તૈયાર થયેલા દસ્તાવેજ રદ કર્યાં. જો આ વખતે રેાહિશાળાની આ જમીન ખરીદીને તેમાં દેરાસર આદિ તૈયાર કરવામાં આવ્યુ હાત, તે સં. ૧૯૮૨ માં શ્રીસ ́દ્યને ગિરિરાજની યાત્રા બંધ કરવાના દુઃખદ પ્રસંગ ન આવત. પણ ભવિતવ્યતા અન્યથા નથી કરાતી. ત્યારપછી પૂજ્યશ્રી ભંડારીયા આદિ ગામામાં વિચરીને પુનઃ ચાક પધાર્યાં. અહીયા તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રીઉદ્દયવિજયજી મ.ની તબીયત એકાએક નરમ થઈ ગઈ. તેઓશ્રી ખલ ન્યુમેનિયાના તથા સન્નિપાતની ભયંકર માંઢગીમાં સપડાયા. તેઓને ચેાગ્ય ઔષધેાપચાર મળી શકે, એટલા માટે પૂજ્યશ્રી તરત જ ત્યાંથી વિહાર કરીને પાલિતાણા પધાર્યા. ત્યાં ચાગ્ય-ઉપચારો શરૂ કર્યો. આ સમાચાર ખંભાત પહેાંચતાં ત્યાંથી શેડ પરષોત્તમભાઈ વિગેરે શ્રાવકા ખંભાતના વિખ્યાત વૈધશ્રી રણછોડભાઇને લઇને આવી પહેાંચ્યા. અમદાવાદથી શેડ મનસુખભાઈ એ પેાતાના ફેમીલી (Family) ડૉકટર ઝવેરભાઇને મેાકલ્યા. મુનિરાજશ્રીની આ માંદગી પ્રાણઘાતક નીવડે એવી હતી. પૂજ્યશ્રીની સાથે રહેતા વિદ્વાન્ શાસ્ત્રીશ્રી શશિનાથ એ સ્વમાન્યતા અનુસાર મૃત્યુજય મંત્રજાપ આદરી દીધે હતા. સૌએ આશા મૂકી દીધી હતી. પશુ ડૉ. ઝવેરભાઇની કાબેલિયતે સૌને આશ્ચય – ગરકાવ કરી દીધા. તેઓએ અદ્દભુત હિંમત અને કુશળતાપૂર્વકના ઉપચારથી બેભાન મુનિવરને ભાનમાં લાવી દીધા, અને સૌની નિરાશાને આશામાં ફેરવી દીધી. ત્યારપછી તે સતત ઉપચારથી ઘેાડા દિવસેામાં તેને સંપૂ આરામ થઇ ગયા. પાલિતાણાથી ચૈત્રીપૂનમ ખાદ્ય વિહાર કરીને પૂજ્યશ્રીમાન્ સપરિવાર વલભીપુર પધાર્યા. અહીંના ના. ઢાકાર સાહેબ શ્રીવખતસિ ંહજી પૂજ્યશ્રીના પરમભકત હતા. તેઓએ પૂજ્યશ્રીના અમૃત-મીઠા ઉપદેશ સાંભળવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરીને તેઓશ્રીને થાડા દિવસ રાકયા, અને ઉપદેશ-પાનના અણુમાલ લહાવા લીધા. આ વખતે વળા–શ્રીસંઘે તથા ના. દરબારશ્રીએ ચે।માસા માટે આગ્રહભરી વિનંતિ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy