SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તી-આશાતનાનુ નિવારણ અને પિતાજીને આત્મ-સંતાષ એની આજે ઘાર-આશાતના થઈ રહી હતી, પાલિતાણાના નામદાર મહારાજાના હાથે. આથી સારાયે જૈન સંઘ-ખળભળી ઉઠયેા હતેા. વાત એવી બનેલી કે-પાલિતાણા સ્ટેટના નામદાર મહારાજા શ્રી માનસિંહજી જૈનેાની લાગણી દુભાય એટલા જ માટે ગિરિરાજ ઉપર દાદાની યાત્રાના બહાને ચઢતા, અને પગમાં ખૂટ (Boot) પહેરીને, બીડી પીતાં પીતાં દાદાના દરબારમાં જતા. ७८ આથી શ્રદ્ધાળુ જૈનેની લાગણી ઘણી દુભાવા લાગી. હિંદભરના અનેામાં તે વિષે જબ્બર ઉહાપાતુ જામી ગયા. કાણુ એવા જૈન હોય કે જે પેાતાના મડાન તીર્થાધિરાજની થઈ રહેલી આવી ધાર આશાતના સાંખી લે ? શાન્તિપ્રિય જેને જેએ મહારાજા સાથે સખંધ ધરાવતા હતા, તેઓએ ગામેગામ સભાએ યાજીને આવી આશાતના અંધ કરવા માટેના. મહારાજાને તાર-પત્રા દ્વારા વિનતિ કરી. પણ પરિણામમાં સરિયામ નિષ્ફળતા જ મળી. ભારતના સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સ`ઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર પણ આ બાબતમાં તાત્કાલિક અને ચાંપતાં પગલાં લેવાની સૂચનાઓવાળા ઢગલા બંધ તાર-ટપાલ આવવા લાગ્યા. આ વખતે અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલના સઘમાં પધારેલા આપણા પૂજ્યશ્રી પાલિતાણામાં બિરાજતા હતા. પેઢીના પ્રતિનિધિઓએ તેઓશ્રીની સલાહ લીધી. તેઓશ્રીએ સૂચવ્યુ. કે-“અને ત્યાં સુધી શાન્તિ-સલાહ અને સમજાવટથી કામ પતે તે સારૂ'. ન પતે તા પછી કાટ (coart) તે છે જ.” પૂજ્યશ્રીની સૂચનાનુસાર પેઢીના પ્રતિનિધિએએ નામદાર મહારાજાને સમજાવવાની કાશીષ કરી, પણ વ્ય. મહારાજાએ તે એ આશાતના ચાલુ જ રાખી. આથી પેઢીએ રાજકોટની એ. જી. જી. (Agent to the Governar General)ની કોટમાં ના. મહારાજા સામે કેસ (case) દાખલ કર્યાં. આ જાણીને ના. મહારાજા ખૂબ ક્રોધિત થયા. હઠાગ્રહને વશ થઇને જૈનાની લાગણી વધારે દુભવવા માટે તેઓ તૈયાર થયા. તેમણે ગામના મુસલમાનાને ખેલાવીને તેમના દ્વારા ગિરિરાજ ઉપર આવેલા ઈંગારશાપીરના સ્થાનકે છાપરું અને પાકી દીવાલે સ્ટેટના ખર્ચે મ ધાવવા માટે ઇંટ–ચુના-પતરાં વિ. સામાન પહાડ ઉપર મેાકલ્યા. અને પોતે ખેલવા લાગ્યા કે “હું ઈંગારશાપીરના સ્થાનકે મુસ્લીમે પાસે બકરાને ભાગ ચઢાવરાવીશ, અને દાદા આદીશ્વર ઉપર તેનુ લેાહી છાંટીશ, ત્યારે જ જપીશ.” રક્ષક જ જ્યારે ભક્ષક બને,' ત્યારે પ્રજા ઉપર તેને કાબૂ રહેવા બહુ મુશ્કેલ છે, જોકે સત્તાના જોરે તે પ્રજાને દખાવી શકે છે, પણ ‘બહુ તે થાડા માટે જ હાય’–એમ એ સત્તાનું જોર લાંબે સમય ટકતું નથી, એ અનુભવ-સિદ્ધ વાત છે. મહારાજાના આવા વિચારની જાણ થતાં જ પાલિતાણાના શ્રી સઘે ત્યાં રહેલા તમામ જૈનાની એક સભા (Meeting) આપણા પૂજ્યશ્રીની નિશ્રામાં ચેાજી. તમામ સાધુ-સાધ્વી– શ્રાવક-શ્રાવિકાઓ તેમાં હાજર રહ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy