SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગોઠહન પણ આપણા ચરિત્રનાયકશ્રીને પ્રભાવ કહે કે તેમના વ્યાખ્યાનને જાદુ ગણે, તેઓશ્રીના વ્યાખ્યાનમાં બન્ને પક્ષના શ્રાવક શ્રદ્ધાપૂર્વક આવતા. પેટલાદની જેમ ખેડામાં પણ પૂજ્યશ્રીએ જીવદયાનો ઉપદેશ આપીને “પાંજરાપોળના નિર્વાહની સુન્દર વ્યવસ્થા કરાવી આપી. ખેડામાં માસ–કલ્પ કરીને તેઓશ્રી બારેજા થઈને મહીજ પધાર્યા. અહીંયા અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિવ તેઓશ્રીને અમદાવાદ પધારવા માટે વિનંતિ કરવા આવ્યા. નગરશેઠ મણીભાઈ તે વખતે સ્વર્ગવાસ પામ્યા હતા. અને તેમના સ્થાને નગરશેઠ તરીકે શેઠ ચીમનલાલ લાલભાઈ હતા. એમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. શરૂઆતમાં કેટલોક સમય બહારની વાડીમાં બિરાજ્યા. ત્યાં નિયમિત વ્યાખ્યાન ચાલતું. શહેરમાંથી ઘણું શ્રાવકે સાંભળવા માટે આવતા. પાંજરાપોળ-ઉપાશ્રયે સ્થાપેલી પાઠશાળા પણ અહીં લાવવામાં આવી હતી. ત્યાંથી પાંજરાપોળના ઉપાશ્રયે પધાર્યા. અને ૧૯૫૬નું એ ચાતુર્માસ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીએ ઉપદેશ દ્વારા બે સ્થાયી કાર્યો કરાવ્યા. (૧) અમદાવાદમાં અબેલ પશુઓની પાંજરાપોળના નિર્વાહ માટે લગભગ બે લાખ રૂપિયાનું ફંડ (fund) કરાવ્યું. (૨) જનધર્મનું મહાન તત્ત્વજ્ઞાન ભણવા-જાણવાને લાભ શ્રાવકોને પણ મળે, એ હેતુથી પૂજ્યશ્રીએ “જૈન તત્ત્વવિવેચક સભાની સ્થાપના કરી. તેના મુખ્ય–મુખ્ય સભાસદ –નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી, ભોગીલાલ મંગળદાસ, તારાચંદ લસણવાળા, શેઠ જેસીંગભાઈ હઠીસિંગ, શેઠ પ્રતાપસીંહ મેહેલાલભાઈ, શેઠ વાડીલાલ સારાભાઈ (વી. એસ. હોસ્પીટલવાળા), શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ દલપતભાઈ મગનભાઈ શેઠ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ જેસીંગભાઈ કાળીદાસ શેરદલાલ, શેડ લાલભાઈ ભેગીલાલ, શેઠ ચંદુલાલ જેસીંગભાઈ શેઠ જગાભાઈ ભેગીલાલ, શેઠ અમુભાઈ રતનચંદ વગેરે હતા. આ બધાં શ્રેણિવર્યો પૂજ્યશ્રીના પરમ–ભકત હતા અને આજીવન રહ્યા હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તત્ત્વવિવેચક સભાના માધ્યમે તેઓ અનેકવિધ ધર્મ-પુણ્ય કાર્યો કરતા હતા. [૨૦] ગહન અમદાવાદના આ ચાર્તુમાસમાં એકવાર ફતાસાની પિળના રહીશ શ્રી મનસુખમામા નામના એક શ્રાવક એક છોકરાને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. એ છોકરે તેમને ત્યાં રહેતે હતે. એની તેજસ્વિતા અને ભવ્યતા જોઈને તેમને વિચાર આવ્યો કે જે આ છોકરો જેસીંગભાઈ જેવા શેઠને ત્યાં હોય તો તેને સારો વિકાસ થઈ શકે. આથી તેઓ તેને જેસીંગભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy