SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] આ. વિ.નંદનસૂરિસ્મરક્યર્થ આ નિર્ણયથી ખંભાતમાં આનંદ છવાઈ ગયો. તિથિપ્રશ્નના સૌથી વધુ કડવાં ફળ ખંભાતે ભગવ્યાં હતાં, એટલે એને આ નિર્ણયથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. આ નિર્ણયને સંમતિ આપતા શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ વગેરે વૃદ્ધ પુરુષના પત્ર સુરિસમ્રાટ પર અઠવાડિયામાં જ આવી ગયા છે, એ વાતની ભાળ મળતાં શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ તરફથી મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા શ્રી ભાસ્કરવિજયજી એ અંગે આનંદ વ્યક્ત કરવા આવ્યા. એ વખતે શ્રી વિજયનંદનસૂરિજીએ એમને પૂછયું : “તમારું કામ કેટલે પહોંચ્યું?” જવાબ મળે : પ્રયાસ ચાલુ છે, હજી વાર લાગશે.” આ તક ઝડપીને શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “જ્યારે સં. ૧૯૯૨માં તમે બધાએ જુદી સંવત્સરી-શનિવારની-કરી, ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ સાદડી ગામે ચોમાસું રહેલા તમારા પૂજ્ય ગુરુમહારાજની (શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજની) આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાનુસાર શનિવારની સંવત્સરી જાહેર કરી હતી અને તેના મેટાં મોટાં પોસ્ટર છપાવીને બહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ મોજૂદ છે. તો આ વખતે જ્યારે, ખુદ શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજ પોતે સમાધાનનો માર્ગ કાઢે છે, અને સમાધાનને નિર્ણય લાવે છે, ત્યારે શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પિતે એમ જ કહી દેવું જોઈએ કે “પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભાદરવા સુદ પાંચમ બે કરી હતી, ને શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તો અત્યારે તેઓશ્રી જે સમાધાન કરે, અને જે એક નિર્ણય લાવે તે માટે અને અમારે–સર્વને કબૂલ જ છે. આ રીતે એમણે શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમતિ મોકલી આપવી જ જોઈએ.” શ્રી ભાસ્કરવિજયજીએ કહ્યું : “સાદડીની વાત હું નથી જાણતો.” ત્યારે શ્રી વિક્રમવિજયજી કહે: “નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે બરાબર છે.” આ પછી ફરી એકવાર શ્રી વિજયલક્ષમણસૂરિજી સૂરિસમ્રાટ પાસે આવ્યા. એ કહેઃ “શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહી કદાચ ન આવે તો ચાલે કે કેમ? કેમ કે, શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજની સહી આવે એમાં એમની સહી આવી જ જાય છે.” આના જવાબમાં શ્રી વિજયનન્દનસૂરિજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આમાં તે રામચંદ્રસૂરિજીની સહી જોઈએ જ. જ્યારે તિથિચર્ચાને નિવડે લાવવા માટે સાગરાનંદસૂરિજી મહારાજ અને વિજયરામચંદ્રસૂરિજીએ પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા સ્વીકારી હતી ત્યારે લવાદના પ્રતિજ્ઞાપત્રમાં શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ગુરુ શ્રી વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy