SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૬૧] પ્રેમસૂરિજીની હયાતી છતાંય પિતાની જ સહી કરી હતી; શ્રી વિજ્ય પ્રેમસૂરિજીની સહી નહોતી કરાવી. એટલે આ નિર્ણયમાં પણ શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહી હોવી જ જોઈએ.” શ્રી વિજયલક્ષ્મણસૂરિજી કહે: “એમણે પી. એલ. વૈદ્ય વખતે સહી આપી છે, એટલે જ આમાં સહી આપવા વિચાર નથી.” આનો ઉત્તર આપતાં સૂરિસમ્રાટે કહ્યું : “આ વિચાર એમનો વાજબી નથી. કારણ, હું તેમ જ વિજયલબ્ધિસૂરિજી મહારાજ જે નિર્ણય લાવીએ, તે કદાચ પી. એલ. વૈદ્યના ચુકાદાને મળતા આવે તેમાં વિયરામચંદ્રસૂરિને કાંઈ વાંધો નથી. અને કદાચ અમારે નિર્ણય વિદ્યના ચુકાદાથી જુદો આવે, તે પી. એલ. વિદ્ય અમારા બંનેની સાથે શાસ્ત્રાર્થ કરી શકે છે. એટલે એમાં પણ વિજયરામચંદ્રસૂરિને વાંધો હોય જ નહિ.” આની પુરવણી કરતાં શ્રી વિજયનન્દનસૂરિજીએ કહ્યું : “પી. એલ. વૈદ્યના નિર્ણય વખતે વિજયરામચંદ્રસૂરિજીએ સહી આપી છે, એટલે આમાં આપવાની જરૂર નથી, એ એમનું કથન બિલકુલ વાજબી નથી, માત્ર બહાનું જ છે.” થોડા દિવસો પછી સૂરિસમ્રાટ સપરિવાર ખંભાતથી એક માઈલ દૂર આવેલા શકરપર ગામે પધાર્યા. ત્યાં પાટણવાળા સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ વંદનાથે આવ્યા. શેઠ કેશવલાલ બુલાખીદાસ તે વખતે ત્યાં બેઠા હતા. નગીનભાઈએ વંદન કરીને બેસતાં બેસતાં કહ્યું : “સાહેબ ! હવે આ તિથિનું બધું ચોકકસ પતી જશે.” આટલું કહી, ખિસ્સામાંથી એક કાગળ કાઢીને શ્રી વિજયનંદનસૂરિજીને વંચાવ્યો. એ વાંચીને તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ એમને રોકડું પરખાવ્યું: “હવે એ પતવાનું નથી, એ લખી રાખજે !” આપ આમ કેમ કહે છે, સાહેબ?” નગીનભાઈ અકળાઈ ગયા. શ્રી વિજયનંદનસૂરિજી કહેઃ “આ પત્રમાં વિજયરામચંદ્રસૂરિજી ખંભાત આવવાનું લખે છે. એટલે મને લાગે છે કે હવે પતવાનું નથી. ખરી રીતે તો તેમણે શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજને લખી દેવું જોઈએ કે “તિથિ બાબતમાં આપ જે સમાધાન લાવશે તે મારે કબૂલમંજૂર છે.” અહીં આવવાને શું અર્થ છે? મેં તે એકવાર વિજયલબ્ધિસૂરિજી મહારાજને પણ, સ્તંભનાજીના દેરે ભેગા થયા ત્યારે, કહ્યું હતું કે “મહારાજ ! આપની ભાવના ઘણી ઉત્તમ છે, સરળતાથી ભરેલી છે. કઈ રીતે આ તિથિચર્ચાને અંત આવે, અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ બાબતમાં આપને જશ મળવો કે આપને જશ આપે, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.” આ સાંભળીને નગીનભાઈ અવાક બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy