SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૫૧] સૂરિસમ્રાટ જેવું માર્ગદર્શન આપવા ધારે, એવું જ આ પણ આપતા. અને એ કારણે, તિથિ અંગેની સઘળી વાતોમાં ને વિચારણાઓમાં તેઓ પૂરે રસ લેતા, ને એ રીતે સૂરિસમ્રાટની જવાબદારીમાં સહભાગી બનતા. પણ, સૂરિસમ્રાટ અને શ્રી વિજયનન્દનસૂરિજી, બંનેની પરિણામગામી દીર્ધદષ્ટિમાં ચિક્કસ વસી ગયું હતું કે “જે ઈરાદાઓથી અને હેતુથી નવા તિથિમતનું પ્રવર્તન થયું છે, તે જોતાં આ વાતનું સમાધાન કોઈ ઉપાયે થાય તેમ છે નહિ. બંને પક્ષે સરળતા હોય, સાચી વાત સમજવાની ને સ્વીકારવાની વૃત્તિ હોય, તે જ સમાધાન શક્ય બને.” એટલે એ માટે થતા પ્રયાસો એમની નજરમાં લગભગ નિરર્થક જ હતા. છતાં, સમાધાનના પ્રયાસમાં પોતાનો જે સહકાર અપેક્ષિત હય, તે આપવામાં એમણે કદી કચાશ ન કરી. એક પ્રયાસ સં. ૧૯૯૩માં થયો. આમાં મુખ્ય ભાગ સામા પક્ષના આગેવાનોએ લીધેલો. એમની વિનંતિ અનુસાર એવું નક્કી થયું કે “એકતિથિપક્ષે સૂરિસમ્રાટ, આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે અને સામા પક્ષે તેના જન્મદાતા આચાર્ય, બધાએ ખંભાતમાં ભેગા મળીને આ પ્રશ્નનો નિવેડો લાવ.” સામા પક્ષની પાકી કબૂલાત મેળવ્યા પછી, પોતાની અનિચ્છા છતાં, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરેના અનુરોધથી, એમની સાથે સૂરિસમ્રાટે નાદુરસ્ત તબિયતે પણ જામનગરથી વિહાર કર્યો, પણ આ વિહારને માર્ગ અરધે કપાયે કે તરત જ સામો પક્ષ ફરી ગયે! એણે ગલ્લાતલ્લાં કરવા માંડ્યાં, જૂઠાણને આશ્રય, જે એમના તરફથી અપેક્ષિત જ હતે, લી. આ વખતે શ્રી વિજયનન્દનસૂરિજીએ એ પક્ષના આગેવાનોને ખૂબ ઠપકે આખે; અને તે પછી સૂરિસમ્રાટે એ પ્રશ્નમાંથી રસ ઓછો કરી નાખ્યો. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સમાધાનની વાટાઘાટે ચાલુ રાખી. એના પરિણામે સં. ૧૯૯૮માં એવો નિર્ણય થયે કે “શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ પ્રશ્ન હાથમાં લે. તેઓ એક મધ્યસ્થ (લવાદ) નીમે, એ લવાદ શાસ્ત્રાર્થના માધ્યમે બંને પક્ષનાં મંતવ્ય જાણે. ને પછી એ જે નિર્ણય આપે, એ બધાને કબૂલ-મંજૂર.” આ અનુસાર એક મુસદ્દો ઘડીને એમાં બંને પક્ષના એક એક આચાર્ય સહી કરી, અને એ કસ્તૂરભાઈ શેઠને સુપરત કર્યો. એ મુસદ્દા પર સૂરિસમ્રાટની સંમતિ અને સલાહ મેળવવા માટે શેઠે જાણીતા જજ શ્રી સુરચંદભાઈ પી. બદામી, શ્રી ભગુભાઈ સુતરિયા, શ્રી ચમનલાલ લાલભાઈ, શ્રી જીવતલાલ પ્રતાપશી, અને શ્રી પિપટલાલ ધારશી, આ પાંચ ગૃહસ્થોને સૂરિસમ્રાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy