SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦] આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ “જેમ આ વર્ષે, તેમ આવતા વર્ષે પણ આ પ્રમાણે બે પાંચમ આવનાર છે. આ વખતે આપણે કરેલા સર્વમાન્ય નિર્ણય અનુસાર આરાધના કરે. ચોમાસા પછી બધા આચાર્યો ભેગા મળીને આ અંગે વિચાર કરીને જે ઉચિત જણાશે તેમ નિર્ણય લઈશું.” પણ પિલા વર્ગે આનો અસ્વીકાર કર્યો. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતાં આપણું બોલ રે”-જેવી એ વર્ગની મને દશા બની ગઈ. પરિણામે, તપાગચ્છ સંઘમાં આ પ્રશ્ન પર બે પક્ષ પડી ગયા; એકતિથિપક્ષ અને બેતિથિપક્ષ એવાં એનાં નામ પડ્યાં. સં. ૧૯૩માં પણ એ જ પ્રમાણે ભેદ રહ્યો. બંને પક્ષે પોત પોતાની માન્યતા સાચી ઠરાવવાના તમામ પ્રયાસો શરૂ થયા. એમાં વર્તમાનપત્રો ને પત્રિકાઓ દ્વારા એકબીજાને ખોટાં ઠેરવતાં લખાણે તથા સાચી-ખોટી ને સારી-નરસી રજૂઆત થવાં લાગ્યા. અને ગાળાગાળીઓનું પ્રમાણ પણ ખૂબ વધવા લાગ્યું. ચોમેર નિન્દા, કલેશને ઈષ્યનાં થર જામતા ગયા. એને નિયમનમાં રાખનાર કોઈ ન હોઈ એ પુરજોશથી ફાલવા લાગ્યા. આના પરિણામે, સંઘહિતચિંતક, સરળ અને તટસ્થ પુરુષનાં હૈયામાં ભારે વિષાદ વ્યાપી ગયે. આ મતભેદ દૂર કરીને ઐકય કરાવવાના એમના પ્રયાસનું પરિણામ નિષ્ફળતામાં આવતાં, એમનાં મન ખેદ અનુભવી રહ્યાં. આ દિવસોમાં સૂરિસમ્રાટની પરિસ્થિતિ આવી હતી? એમનો સિદ્ધાન્ત એ હતું કે “છાપાં અને લેખો લખવા-લખાવવાથી છેટા રહેવું, સાધુએ એમાં કદી રસ ન લેવો.” એટલે ચાલતી ગાળાગાળીથી તેઓ પૂરા અલિપ્ત હતા. કેઈની જોડે લડવું નહિ, પણ કઈ સામેથી લડવા ઇરછે અને આવે છે, પોતાના સાચાં સિદ્ધાન્તની સબળતા પુરવાર કરવા, એની જોડે ચર્ચા કરીને એને સાચા માર્ગે લાવવો.” આ એમની વ્યવહાર-નીતિ હતી. તિથિચર્ચામાં લગભગ તેઓ મૌન હતા. આનો અર્થ એ નહિ કે તેઓ આ પ્રશ્નનું સમાધાન નહોતા ઈચ્છતા; તેઓ આના સમાધાન માટે ખૂબ આતુર હતા, ને જ્યારે જ્યારે જરૂર જણાય, ત્યારે ત્યારે એ માટે તટસ્થપણે પ્રયાસ પણ કરતા. અને એટલે જ, જ્યારે સંઘના અને બંને પક્ષના આગેવાનોને આના સમાધાન અંગે કાંઈ વાટાઘાટે કરવી હોય, કે માર્ગદર્શન જોઈતું હોય, ત્યારે સૂરિસમ્રાટ વગર એમને કોઈ જ માર્ગ ન રહે. એ લેકે વારંવાર એમની પાસે આવતા. અને ત્યારે સૂરિસમ્રાટ પણ પૂરી નિખાલસતાથી, કેઈનીયે શેહમાં તણાયા વિના, પોતાને જે સાચું લાગતું તે કહેતા, ને માર્ગદર્શન આપતા. તિથિચર્ચામાં, સૂરિસમ્રાટ જેટલી જ હૈયાઉકલત શ્રી વિજયનન્દનસૂરિજીની પણ હતી. કેટલીક વાર તો સૂરિસમ્રાટને જે રસ્તો સૂઝે, એ જ આમના મનમાં પણ અનાયાસે ઊગતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy