SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] આ. વિનદનસૂરિ સ્મારક પાસે મોકલ્યા. એ વખતે સૂરિસમ્રાટ તળાજા હતા. એમણે મુસદ્દાની વાત કરીને તેમાં સુરિસમ્રાટની સંમતિ અને સલાહ માંગી. સૂરિસમ્રાટનું મંતવ્ય એવું હતું કે “શાસ્ત્રાર્થ ભલે થાય, પણ એ લેખિત ન થે જોઈએ; એ તે જાહેર અને મૌખિક જ હવે જોઈએ.” આ મંતવ્ય ધરાવવા પાછળ એમની ઊંડી દીર્ધદષ્ટિ કામ કરતી હતી. આ બાબત લક્ષ્યમાં રાખીને સૂરિસમ્રાટ વતી શ્રી વિજયનન્દનસૂરિજીએ જ વાત ઉપાડી : “જાહેર અને મૌખિક રીતે શ્રી વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કરે હોય, તે તેમાં અમારી સંમતિ છે.” બદામી કહેઃ “સાહેબ ! આ મુસદ્દામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની જ વાત છે.” આ સાંભળીને એમણે એ મુસદ્દો વાંચવા માંગે. બદામીએ એ કાઢી આપતાં એમણે મોટેથી વાં. એમાં લખેલું : “પાલિતાણું – તા. ૧૯-૪-૪ર : વૈશાખ સુદ ૪-રવિવાર. શ્રી સકળસંઘની તિથિચર્ચા સંબંધી મતભેદની શાતિને માટે નિર્ણય મેળવવાને સારું શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થોનાં નામો લાવે તેમાંથી અમારે બંનેએ (આચાર્ય શ્રી સાગરાનંદસૂરિ તથા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ) બે નામોની પસંદગી કરવી. એમાં જે એક નામ બંનેને સંમત આવે તેને સરપંચ નીમી, તે, બંને પક્ષોના મંતવ્યોને સાંભળીને, જે નિર્ણય આપે તે અમારે બંનેએ કબૂલ રાખી, તે મુજબ વરતવું, આ મુજબ વરતવાનું બંધન બંનેના શિષ્ય સમુદાયને મંજૂર રહેશે. વિજયરામચંદ્રસૂરિ દા. પોતે. આનંદસાગર. દા. પોતે.” આ વાંચીને એમણે કહ્યું : “સહી કરનાર બંને આચાર્યો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ વિના પણ પિતપોતાનું મંતવ્ય મધ્યસ્થને સમજાવી શકે છે. આમાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ એ કઈ શબ્દ છે જ નહિ.” એ સાંભળીને બદામીએ મુસદ્દા લઈને પુનઃ બરાબર વાં , અને તરત એમણે કબૂલ્યું કે “આપની વાત બરાબર છે.” પછી પૂછયું : “તો પછી સાહેબ ! જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કઈ રીતે થાય?” શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “એ ત્રણ રીતે થઈ શકે છે. એક, રાજસભામાં ગોઠવ હોય તે પણ થઈ શકે છે; ભાવનગર રાજ્ય છે, વલભીપુર રાજ્ય છે, પાલિતાણા રાજ્ય પણ છે. જ્યાં કરવો હોય ત્યાં અમે તૈયાર છીએ.” બદામી કહે : “આમ બનવું તે અત્યારે અસંભવ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy