________________
[૨૮૪]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ અને નક્કર પગલાં ભરવા ઇચ્છી રહ્યા છે એવી છાપ તેઓશ્રી સાથેની મારી છેલ્લી મુલાકાત ઉપરથી મારા મન ઉપર પડી હતી, પણ જાણે કુદરતને એ મંજૂર ન હતું અને તેઓ પોતાના જીવનને ધન્ય બનાવીને મહાપ્રયાણ કરી ગયા. ખરેખર, તેઓના સ્વર્ગવાસથી જૈન સંઘમાં ન પૂરી શકાય એવો અવકાશ ઊભો થયો છે.
શ્રી નંદનસૂરિ મહારાજ રચયિતા-શ્રી શાંતિલાલ બી. શાહ, મુંબઈ શ્રી નંદનસૂરિ મહારાજ, શ્રી નંદનસૂરિ મહારાજ; ભક્તિ-ભાવ ભરી અંતરમાં, વંદન કરીએ આજ.
નંદનસૂરિ મહારાજ..(૧) નામ નત્તમ સાર્થક કીધું, જીવન નિર્મળ ઉજજવળ કીધું; શાસનના સમ્રાટની સન્મુખ, અસિખાંડા સમું સંયમ લીધું; ગુરુદેવ છે ગૌરવવંતા ઉદયસૂરિ મહારાજ.
નંદનસૂરિ મહારાજ...(૨) સંયમને ઉલ્લાસ ભર્યો છે, ધર્મ તો શ્વાસેશ્વાસ ભર્યો છે; ચંદન સમા શીતળ કિરણોમાં, અંતરમાં ઉજાસ ભર્યો છે; રાત દિવસ છે જેને હૈયે શાસન કેરી દાઝ.
નંદસૂરિ મહારાજ...(૩) આગમ શાસ્ત્રોના એ જ્ઞાની, કિંતુ લેશ નહીં અભિમાની સહુને સુખશાતાદેનારી, કરુણાવંતી એમની વાણી; સદાયે જાગ્રત-તત્પર રહેતા જીવન-સાધના કાજ.
નંદનસૂરિ મહારાજ....(૪) ભક્તોને ભક્તિ સમજાવે, ભૂલેલાને માર્ગ બતાવે; વિધીઓને વહાલ કરીને, અપનાવી લેતા સમભાવે; હૈયું જેનું સાગર જેવું, રાખે સહુની લાજ.
નંદનસૂરિ મહારાજ...(૫) સત્યના એ તે સદાયે પૂજારી, શ્રદ્ધાની છે ખરી ખુમારી; ધર્મ વિહેણું કંઈક લેકેની, જીવન-નૌકા લીધી ઉગારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org