SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા [૨૩] સ્વ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે જૈન શાસ્ત્રામાં જે પારંગતપણું મેળવ્યુ હતું, તેથી વિના અતિશયાક્તિએ એમ કહી શકાય કે તે જૈનોલાજી (જૈનવિદ્યા) ના જીવતાં-જાગતાં એન્સાઇકલાપીડિયા ( જ્ઞાનષ ) હતા. એમની આ જ્ઞાનસાધના એવી મૂળગામી હતી અને તેથી એમનુ હૃદય એવુ વિકસિત થઈ ગયુ` હતુ` કે જેને લીધે તેઓ કાઈ પણ શાસ્ત્રીય તેમ જ સામાન્ય વ્યવહારના પ્રશ્નોમાં પણ સ્પષ્ટ અને અસંગ્ધિ ઉકેલ, માર્ગદર્શન તથા સલાહ, સાવ સહજભાવે, આપી શકતા. તેઓની આવી અદ્ભુત શક્તિના મને જાતઅનુભવ થયા હતા અને તેના મને અનેક વાર લાભ પણ મળ્યા હતા. એમ લાગે છે કે, ગમે તેવા અટપટા પ્રશ્નની ખાખતમાં સરળ ઉકેલ બતાવવા એ એમના માટે જાણે રમતવાત હતી. અને મને જયારે પણ એમની સાથે ધ વાર્તા કરવાના પ્રસ`ગ મળતા ત્યારે એમના બહુશ્રુતપણાના અને જાગ્રત સ્મરણશક્તિનેા અનુભવ થયા વગર ન રહેતા. કેટલીક વાર તે પોતાની વાતના સમર્થનમાં તેઓ મને પાતાના વિશાળ પુસ્તકાલયમાંથી પુસ્તકે પણ વાંચવા આપતા. ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણ-વર્ષ જેવા અપૂર્વ પ્રસંગની ભારતમાં તથા ગુજરાત રાજ્યમાં સરકારી ધારણે જે કાંઈ ઉજવણી કરવામાં આવી, તેની સામે જે કાંઈ થાડા વિવાદ ઊભા થયા હતા, તે ખાખતમાં તેઓનુ મંતવ્ય બહુ જ સ્પષ્ટ, સીધું અને અસદિગ્ધ હતુ. મારે કહેવુ જોઈ એ કે, આ આખતમાં તેએએ ભારતના આખા જૈન સમાજને સ્પષ્ટ અને સફળ દારવણી આપી હતી અને આ ઉજવણીને રાષ્ટ્રીય ધારણે સફળ અનાવવામાં અસાધારણ ફાળા આપ્યા હતા. તેમાં રહેલ લાભાલાભને સમજવાની વિવેકબુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ અને સમયજ્ઞતાના લીધે જ તેએ આ પ્રમાણે કરી શકયા હતા. તેઓશ્રીની સાધુજીવનને શેાભાવે એવી એક વિશેષતા એ હતી કે, અમુક ખાખતમાં પોતે અમુક પ્રકારને નિશ્ચિત અભિપ્રાય ધરાવતા હોય છતાં, પોતાથી જુદો અભિપ્રાય ધરાવતી વ્યક્તિ પ્રત્યે પણ કયારેય દ્વેષ કે તિરસ્કારની ભાવના રાખતા ન હતા. ટૂંકમાં, દીક્ષાપર્યાય અને ચારિત્રના પાલનમાં આટલી ઉચ્ચ કોટીએ પહેાંચેલ સાધુ ભગવંતામાં એમના જેટલી સમતા અને સહિષ્ણુતા મે ભાગ્યે જ જોઈ છે. તેઓએ ભગવાન મહાવીરની અનેકાંતવાદ અને સ્યાદ્વાદની શૈલીને પાતાના જીવનમાં ઉતારવાના સતત પ્રયત્ન કર્યા હતા. શાસન પ્રત્યેની દાઝ અને શાસનમાં એકરાગ અને સપ વધે એ માટેની ઝંખના તેમ જ જૈન શાસન જીવમાત્રને માટે ગ્રાહ્ય અને તે ખાખતની ચિંતા જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ ધરાવતા હતા, એ વાતના હુ. પણ સાક્ષી છું. પાલીતાણામાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપરના પ્રતિષ્ઠા-મહોત્સવ પૂરો થયા બાદ તેઓ આ દિશામાં . કઈક ચોક્કસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy