________________
[૧૦]
આવિનદનસૂરિ સ્મારકગ્રંથ आमूलाद्रत्नसानोर्मलयवलयितादा च कूलात् पयोधेर्यावन्तः सन्ति काव्यप्रणयनपटव स्ते विशङ्कं वदन्तु । मुद्रीकामध्यनिर्यन्ममृणरसझरी माधुरी भाग्यभाजां
वाचामाचार्यतायाः पदमनुभवितु कोऽस्ति धन्यो मदन्यः॥ આ સાંભળીને કહેઃ “કેટલી એની (જગન્નાથની) ખુમારી છે! ” પછી એને બીજે ક્ષેક “પારીન્દ્રા પુર” બોલ્યો. એટલે એનો અર્થ બોલાવ્યું. પછી પૂછયું :
આ શેને ક છે?” મેં કહ્યું : “જગન્નાથે કામરૂપના રાજા પ્રાણનારાયણ માટે પ્રાણાભરણ કાવ્ય બનાવ્યું છે, એને આ શ્લોક છે.”
પછી જ નરમ સ્લોક છે. એનેય અર્થ કરાવ્યો. “સિદ્ધિકરીના સુધાંશુ' શ્લેક બો . પૂછયું: “આ શેને ?મેં કહ્યું : “પદ્માનંદ મહાકાયને.” એ કાવ્ય કોનું છે? ” “અમરચંદ્રસૂરિનું.” “એ તે અતિ હતા ને?” “ના, સાહેબ! સ્વાદિશબ્દસમુરચયના કર્તા અમરચંદ્રસૂરિનું આ કાવ્ય છે.”
આ પછી “માતમ! મન ! મેતે !” શ્લેકના બે ચરણ યાદ કરીને બેલ્યા આખો યાદ ન આવ્યો તેને અફસેસ કર્યો.
શ્લોકે બોલવાનું કાર્ય પૂરું થતાં મેં પૂછયું : “સાહેબજી! પેલી ડાહ્યાભાઈની કવિતા આપ બોલે છે, તે કઈ ?”
પૂછયું : “ડાહ્યાભાઈ ધોળશાની ને? મને આખી તે યાદ નથી; બે લીટી યાદ છે. આમ કહીને એ લીટીઓ બેલ્યા :
“ડાપણુ દરિયે વાત વિસામ માણેક મિત્ર ક્યાં મળશે? જજે જાનમમાં રાજ જગતનું, વાત વિસામે ન ટળશે.
હજુ જગન્નાથને ભજ લે, તું ગોથા ખાય છ શીદ ને?” આ લીટીઓ બે-ત્રણ વાર બોલ્યા. પહેલી લીટી બીજી વાર બોલીને કહેઃ ““માણેક એમની પત્નીનું નામ હતું એમ કહેવાય છે. એ મરી ગયા પછી પોતે આ લીટી બેલ્યા છે.”
આ પછી મને પ્રશ્ન કર્યો : “દલપતરામની કવિતાઓ છપાય છે ખરી?” મેં હા કહી, એટલે કહ્યું: “એની ચેપડીઓ મંગાવવી જોઈએ.” અને પછી દલપતરામની કવિતાની લીટીઓ બોલવા માંડ્યા:
“નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,
સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.” “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેણમાં કોણ જાશે?” વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org