SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦] આ. વિ.નંદનસૂરિ-સ્મારકમથ સક્રિય ભાગ લેવામાં શ્રી જૈમ શ્વેતામ્બર મૂર્તિ પૂજક સાધુ સધનુ નેતૃત્વ શ્રી વિજયનંદનસ્જીિએ સભાળેલુ'. આ મહાત્સવ-વર્ષની ઉજવણી આંતરાષ્ટ્રીય તેમ જ સરકારી ધોરણે પણ થવાની છે, એવા સમાચારથી કેટલાક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સશ્વના અમુક સકુચિત મનેવૃત્તિ ધરાવતા વર્ગમાં હલચલ મચી ગઈ. એમને લાગ્યું કે ‘આ ઉજવણી એક કાવતરું છે. અને એ દ્વારા ભારતીય આય સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરવાની કાવતરાખાજોની તેમ છે. માટે આ ઉજવણી અટકાવવી જોઈ એ.” એમણે એ અંગે પ્રવૃત્તિ આદરી. લેખ લખવા, પત્રા લખવા વગેરે શરૂ થયું. એક પત્ર, આ ઉજવણી-વિરાધના મુખ્ય સૂત્રધાર ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રી વિજયન ંદનસૂરિજીને પણ લખ્યા. એના જવાખમાં એમણે જણાવ્યું : “શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સામેના કે શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ સામેના વિરોધમાં તે અમારા સહમત હેાય જ નહીં, પરંતુ આ તમારા ઉજવણીના વિરોધના કાર્યોંમાં પણ અમારી સમતિ નથી, તેમ તે અમે યાગ્ય પણ માનતા નથી. · તેમાં અમારી સમતિ જાણી શકાઈ હતી ’ – એવુ· જે તમારા સમજવામાં છે, તે પણ તમારી સમજણુ ખાટી છે. “ વ. અખિલ ભારતીય સસ્કૃતિ રક્ષક સભા તરફથી તા. ૧૧-૧૦-૭૧, સામવારના અહાર પડેલ, તેમ જ તા. ૨૯-૧-૭ર શનિવારના બહાર પડેલ પત્રિકામાં ‘પ્રભુ શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મા વર્ષની ઉજવણી સબધમાં ભાગ ન લેવા, ને લેનાર ભાઈ એને રાકવા, શ્રી શ્રમસ’ઘના આદેશ છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમસઘના આદેશ છે.' આવું જે લખવું તે પણ વ્યાજબી નથી. અમુક અમુક વ્યક્તિગત વિધમાં શ્રી શ્રમણસઘને કાંઈ પણ સબંધ નથી. ” આ પછી એમણે અન્ય ત્રણ આચાર્યાંની સાથે એક જાહેર નિવેદન અહાર પાડ્યુ. ઉજવણીના સરકારી કાર્યક્રમની રાહ જોવાના અને તેના વિરોધ નહિ કરવાના એ નિવેદનમાં અનુરોધ હતા. આ પછી બિનસાંપ્રદાયિકતાની નીતિને વરેલી ભારત સરકારે ઉજવણીને રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કર્યો. સરકારની ભાવના હતી કે “ભારતમાં થયેલ મહાન પુરુષાની આવી પુણ્યતિથિની ઉજવણી કરીને એ મહાન પુરુષોના ધર્મ-નીતિ અને સદાચારમય જીવન તથા ઉપદેશાને ભારતની તથા વિશ્વની જનતા સમક્ષ રજૂ કરવાં. અને એ રીતે જનતાનાં નૈતિક મૂલ્યાને ઉન્નત બનાવવાં, અને આમાં સાંપ્રદાયિક માન્યતા કે ધારણા ને જરા પણ હસ્તસ્પ ન કરવા. ” સરકારની “ સીધી-સ્પષ્ટ વાત હતી. એને અનુલક્ષીને જ એણે ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy