________________
[૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ સંઘને લગતાં બીજાં કાર્યો કરવાની સુગમતા ઊભી થાય. અને આ વિષેના માર્ગદર્શનની આશા શેઠશ્રી પરંપરાનુસારી વર્ગ પાસેથી રાખે છે, ખાસ કરી આપની પાસેથી જ રાખે છે. પ્રસંગોપાત્ત મેં સૂચના કરી હતી કે આ વિશેનું વિચારપૂર્ણ માર્ગદર્શન મળવાનું સ્થાન વાસ્તવિક શ્રી નંદનસૂરિજી મહારાજ છે. શેઠને એ વાત સમજાઈ છે. મને લાગે છે કે આ પ્રસંગે આપના તરફથી માર્ગદર્શન મળશે એ અતિ લાભદાયી બાબત છે. શાસનની દષ્ટિએ અને અનેક દૃષ્ટિએ શેઠશ્રીને શ્રદ્ધા પણ છે, તે આપ યોગ્ય કરશો.”
શેઠના પત્રના ઉત્તરમાં શ્રી વિજયનંદનસૂરિજીએ ખૂબ ઉદારતા, તટસ્થતા અને દીર્ઘ દષ્ટિભર્યું સવિસ્તર માર્ગદર્શન આપ્યું. એ કેવું કીમતી હતું, એ આપણે પણ જોઈએ:
તમાએ લખ્યું જે “બીજા ઘણું કોયડા ઉકેલવા સારુ તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર એકમત થવું જરૂરી છે.” તે તદ્દન વ્યાજબી છે. કારણ, તિથિ-આરાધનના એકમતમાં જ ભાવી તમામ ઉકેલની સુલભતા છે, અને તેમાં જ શ્રી જૈન સંઘનું ગૌરવ સમાયેલું છે.
તમેએ તે તિથિ-આરાધનાના પ્રશ્ન ઉપર તમામનો એકમત થવા બાબતમાં અમારી પાસે માર્ગદર્શન માગ્યું તો તેના જવાબમાં –
(૧) અમને એમ લાગે છે કે તિથિનો એક નિર્ણય પટ્ટકરૂપે લેવાય તો તે કામ વધારે સુગમ થાય એટલે-“અત્યાર સુધીમાં તિથિની આરાધના તપાગચ્છના જે જે સમુદાયે પિતે પોતાની માન્યતા પ્રમાણે જે જે રીતે કરી છે તે તમામ સમુદાયે શાસ્ત્રના સાપેક્ષભાવે, સમજીને કરી છે. પણ હવે તે રીતે જુદી જુદી આરાધના ન થતાં એક જ આરાધના થાય તે માટે, શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખીને, અરસપરસ શાંતિપૂર્વક અને સમજૂતીથી, એક પટ્ટકરૂપે નિર્ણય લાવવો જોઈએ.” અને આ પટ્ટકનું કાર્ય ત્યાં અમદાવાદ બિરાજતા આચાર્ય મહારાજે વિ. એકમત થઈ અને બહાર બિરાજતા આચાર્ય મહારાજે વગેરના વિચારે મેળવી સર્વસંમત થઈ કરે અને અમદાવાદને શ્રીસંઘ તે કાર્યને સહર્ષ વધાવે. . “(૨) હવે કદાચ ઉપર જણાવ્યા પ્રમાણે પટ્ટકરૂપે નિર્ણય ન આવી શકે તો પછી અમદાવાદના નગરશેઠ વિમળભાઈ શેઠ, તમારા જેવા વિચારશીલ પુરુષ સાથે વિચારવિનિમય કરી, અમદાવાદના શ્રીસંઘને બોલાવે અને શ્રીસંઘમાં તેઓ તિથિ બાબતને એક નિર્ણય જાહેર કરે અને તે પ્રમાણે તમામ તપાગચ્છ ચતુર્વિધ શ્રીસંઘ તિથિની આરાધના કરે. આ રીતે અમારા ક્ષપશમ પ્રમાણે આ પ્રકારનું માર્ગદર્શન હાલ અમારા વિચારમાં આવે છે.”
આવું કીમતી માર્ગદર્શન આપવા છતાં, એનો અમલ થવો જ જોઈએ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org