SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૧૧૫] અને બીજે દિવસે શ્રી પુણ્યવિજ્યજી મહારાજ અને શ્રી વિજયપ્રતાપસૂરિજીના કથન પછી એમણે શ્રી વિજયરામચંદ્રસૂરિજીના વક્તવ્ય પર કડક સમાલોચના કરતાં જણાવ્યું ગઈકાલે પોણા બે વાગે પુણ્યવિજયજીના નિવેદનમાં જે સૂચન થયું, જે તેમનું પિતાનું સ્વતંત્ર નહતું પણ તેમની પાસે કોઈ પણ તરફથી આવેલ સૂચના ઉપરથી હતું, કે આ. શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી, આ. શ્રી ઉદયસૂરિજી, આ. શ્રી હરખસૂરિજી, આ. શ્રી માણેકસાગરસૂરિજી, આ પાંચે વૃદ્ધ પુરુષને આ કાર્ય સંપવામાં આવે અને તેઓ આને વિચાર કરી જે માગ સૂચન કરે તે માગે આપણે ચાલીએ તો તે જરૂર ઈચ્છવા યોગ્ય છે. આના જવાબમાં પિોણાચારને પાંચ મિનિટે રામચંદ્રસૂરિજીએ પિતાનું જે વક્તવ્ય કર્યું તેમાં તેઓએ ઉપરોક્ત પાંચ વૃદ્ધ પુરુષો અમારે કબૂલ છે, બરાબર છે, તેઓને આ કાર્ય સોંપીએ અને તેઓ જે વિચાર આપે તે માગે આપણે જઈએ તે વાત અમારે સંમત છે.” તે રીતે સ્વીકાર કર્યો નથી, એ ચોકકસ છે. અમોને લાગે છે કે તેઓની સમજણમાં ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે યોગ્ય મહાપુરુષ નહોતા; યેગ્ય લાગ્યા હશે તો મહાપુરુષ નહિ હોય; મહાપુરુષ તેઓની સમજણમાં હશે તો પણ તેઓ ગ્ય છે, તેવું તેઓની સમજણમાં નહિ હોય. એટલે તેઓની સમજણમાં તે પાંચે ગ્ય મહાપુરુષ નહોતા. તેઓ પિતાના વક્તવ્યમાં જણાવે છે કે “જે ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે, વિચારી શકે અને સમજી શકે, તેવા યોગ્ય મહાપુરુષોને સોંપવું જોઈએ.” એને સ્પષ્ટ અર્થ છે કે “ઉપરોક્ત પાંચે વૃદ્ધ પુરુષે ચોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, તેવું તેમની સમજણમાં નથી. એગ્ય રીતે શાસ્ત્ર વિચારી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. અને “ઉપરોક્ત પાંચે જણ શાસ્ત્રોને યોગ્ય રીતે સમજી શકે છે.” તેવું પણ તેમની સમજણમાં નથી. એટલું જ નહિ, પણ ઉપરોક્ત પાચે વૃદ્ધ પુરુષોગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે છે, વિચારી શકે કે સમજી શકે તેવા નથી, એવું રામચંદ્રસૂરિજીની સમજણમાં જરૂર જણાય છે, જેથી તેઓએ તે પાંચે વૃદ્ધ પુરુષોનાં નામ કાલે કબૂલ કર્યા નથી. હવે આ પાંચે વૃદ્ધ પુરુષો સિવાય અત્રે વિદ્યમાન તપાગચ્છીય શ્રી દેવસૂર શ્રમણસંઘમાં યોગ્ય મહાપુરુષો બીજા શ્રી રામચંદ્રસૂરિજીની સમજણમાં કોણ કોણ છે તે પણ આપણી સમજણ બહારના વિષય છે, કારણ, આપણે કદાચ કોઈ નામ સૂચવીએ તે તેઓ કહી શકે છે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને જોઈ શકે એમ નથી.” બીજુ નામ સૂચવીએ તોપણ તેઓ કહી શકે છે કે “આ પુરુષ યોગ્ય રીતે શાસ્ત્રોને વિચારી શકે એમ નથી.” ત્રીજાનું નામ કદાચ સૂચવીએ તે પણ તેઓ કહી શકે કે “આ પુરુષ ગ્ય રીતે શાસ્ત્રોને સમજી શકે તેમ નથી.” અને આવું કઈ પણ મહાપુરુષ માટે તે યોગ્ય મહાપુરુષ નથી. એવું શ્રી રામચંદ્રસૂરિજીના મોઢે, અમારે કહેવરાવવું અને અમારે સાંભળવું, એ અમારી જરાય ઈચ્છા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy