SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૮૭] સંવત્સરી કરવી, તે વ્યાજબી ગણાય, અને તે જ તપાગર (દેવસૂર) સંઘની એકતા સાચવવાની ખરી ભાવના સચવાય. ૧૯૮લ્માં પણ સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આ રીતે જ આરાધના કરી હતી.” છઠ્ઠનો ક્ષય કરવાની પ્રણાલિકાને પિષણ આપનારાં નક્કર છાતો રજૂ કરતાં એમણે ખૂબ શ્રદ્ધાથી વાતો કરી : આચાર્ય શ્રી વિજયનંદસૂરિજી (શ્રી આત્મારામજી) મહારાજ, શ્રી મેહનલાલજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ મહારાજ (લવારની પોળવાળા), પં. શ્રી ગંભીરવિજયજી ગણિ મહારાજ, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજ્યમહનસૂરિજી, ડેલાવાળા શ્રી ધર્મવિજયજી ગણિ વગેરે પૂર્વ પુરુષે આજ સુધીની ડહેલાના ઉપાશ્રયની શાસ્ત્ર અને પરંપરા અનુસારી તિથિની પ્રણાલિકાને આધારે જ ચાલનારા હતા; પિતાની કલ્પનાના આધારે ચાલનારા નહોતા. તેઓ બહુશ્રુત, અનુભવી અને શ્રી વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને દેવસૂર પરંપરાને જરા પણ વિરોધ આવે એવું કદી પણ કરે એવું માનવાને કઈ પણ કારણ નથી. શ્રી આત્મારામજી મહારાજને પણ પિતાની હયાતીમાં છઠ્ઠના ક્ષયનો જ મત હતો. તા. ૧૫–૮–૩૭ના “શ્રી આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪, અંક ૧૨મામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પણ લખી ગયા છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧લ્પરમાં ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય માન્ય હતો.” તેમ જ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વગેરેએ પણ ૧૯૮૯ સુધી તે આ પ્રમાણે અન્ય પંચાંગને આધારે છઠ્ઠને ક્ષય માન્ય હતું. તે વાત ૧૯૮૯ના “વીરશાસન, વર્ષ ૧૧ના અંક ૪૧ તથા ૪૪માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે સકળ તપાગચ્છીય દેવસૂર શ્રીસંઘમાં એક સાગરજી મહારાજના સમુદાય સિવાય તમામે આજ (૨૦૧૨) સુધીની ડહેલાના ઉપાશ્રયની ચાલી આવતી તિથિની શુદ્ધ પ્રણાલિકા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે છઠ્ઠનો ક્ષય માની, પાંચમને સાચવી, ચોથની સંવત્સરી કરી હતી. અને એ પ્રણાલિકા પ્રમાણે જ આ વર્ષે પણ અન્ય પંચાંગના આધારે છઠ્ઠને ક્ષય માની, પાંચમ સાચવી, ચોથ ગુરુવારે સંવત્સરી આરાધવી જ વ્યાજબી ગણાય.” કેટલાક લોકો શંકા કરતા હતા કે “વડીલેએ આચરેલી પ્રણાલિકા સાચી જ હેય, એમ કેમ માની લેવાય?” આવી શંકાને એમણે ઉપરની વાતમાં નિરાસ કર્યો, અને વડીલે અને એમની પ્રણાલિકાને સ્વચ્છ શ્રદ્ધાથી સ્વીકારવા પર ભાર મૂક્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy