SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] આ. વિ.નદ્રનસૂરિ-સ્મારક્સ થ ૨૦૦૪થી શરૂ થયેલા મતભેદને નિર્દેશ કરતાં એમણે જણાવ્યુ : “ ૨૦૦૪માં આ પ્રસંગમાં કીર્તિસાગરસૂરિજી, પ્રતાપસૂરિજી, રામસૂરિજી તથા વિમળવાળા વગેરે અમુક વ્યક્તિએ જુદા પડવા, કે જેઓએ અને જેએના વડીલોએ ૧૯૯૨ સુધીમાં તે આ રીતે જ છઠ્ઠના ક્ષય કરી ચેાથની સ*વત્સરી કરી હતી. પણુ ડહેલાના તથા લવારની પાળ વગેરે ઉપાશ્રય તેમ જ ધર્મશાળા તથા આંખલી પાળના ઉપાશ્રય વગેરે સ્થળે પણ આ રીતે જ આરાધના થઈ હતી. માત્ર અમુક વર્ગ ડહેલાની પરંપરાના ધારી માથી જુદો પડયો હતા. ” સ. ૨૦૧૩માં હવે શુ થશે, એના ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું : “ અને આ વખતે-૨૦૧૩માં-ડહેલાના ઉપાશ્રય તથા લવારની પાળ વગેરે ઉપાશ્રય તેમ જ નીતિસૂરિજી મહારાજના અને વલ્લભસૂરિજીના સમુદાય જુદા પડવાને વિચાર કરશે, એટલે બુધવારની સવત્સરીના વિચાર કરશે. પણ અમેા તેા, જે ચાલ્યા આવે છે, તે જ ધારી માગમાં છીએ અને જુદા પડ્યા નથી. ” પોતાની માન્યતાને કેટલાક લેાકા કદાગ્રહમાં ગણતા હતા. એમની એ માન્યતાને નિખાલસભાવે રઢિ આપતાં એમણે સ્પષ્ટતા કરી : ** આજ સુધીના (૨૦૧૨ સુધીના ) તિથિ-પરપરાના ડહેલાના ઉપાશ્રયના વર્ષોથી ચાલ્યા આવતા ધોરી માર્ગ વ્યાજબી નથી અને વ્યાજબી હતા નહિ, એ રીતે જો સ'ઘ ઠેરવશે અને સમજાવશે, તેા અમારે કાંઈ આગ્રહ છે નહિ. જે વ્યાજબી હશે તે કરવાને અમે ખુશી છીએ. કોઈ રીતના અમારા આગ્રહ સમજવા નહિ. કદાગ્રહ એ જ મિથ્યાત્વનુ મૂળ છે અને સર્વ દુઃખનું કારણ છે, એમ અમે માનીએ છીએ. અમે તે ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની તિથિની શુદ્ધ પર’પરાને શાસ્ત્રાનુસારી સાચી સમજીને જ આચરતા આવ્યા છીએ અને આચરીએ છીએ. ” ૨૦૧૩માં ચાથ-ગુરુવારની સંવત્સરી કરી, તા બેતિથિવાળાની સાથે થશે, ને તેથી તે એમના મતને ફાવતા વેગ મળશે તેનુ શું ?—આ પ્રશ્નના ઉત્તર સમજાવતાં એમણે કહ્યું : “ બીજા પક્ષ સાથે કે બીજા ગચ્છ સાથે અમે। ભળી જઈએ છીએ, એવું પણ કશુ નથી. જ્યારે બીજો પક્ષ ભાદરવા શુદિ પાંચમને ક્ષય માનીને ચાથ ગુરુવારની સંવત્સરી આરાધે છે, ત્યારે અમા, ડહેલાની પર‘પરા પ્રમાણે, અન્ય પંચાંગના આધારે, છઠ્ઠના ક્ષય માનીને, પાંચમને સાચવીને ચાથ ગુરુવારે સવત્સરી આરાધવાના નિય રાખીએ છીએ, અને, એક દિવસે અનેક ગચ્છાની સવત્સરી સાથે આવે છે, એથી કાંઈ એકબીજામાં ભળી જવાતું નથી. ” પાંચમના ક્ષયે છઠ્ઠના ક્ષય સ્વીકારવામાં બળ પૂરતા એક વિશિષ્ટ ફાયદો દર્શાવતાં એમણે કહ્યું: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy